ધોનીના સંન્યાસ પહેલા જ એની પત્નીએ આપી દીધા હતા વિદાઈના સંકેત, તેજીથી વાયરલ થઈ પોસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને સંભવતઃ સૌથી સફળ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતના ૭૪ માં સ્વતંત્રતા દિવસના અવસર પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. એમણે ખુબ જ શાંતિપૂર્વક એક ઈન્સ્ટા દ્વારા પોતાના સંન્યાસનું એલાન કર્યું. સાથે જ એમણે એક ગીત દ્વારા પોતાના કરિયરના બધા જ ઉતારચડાવને ખુબ જ અનોખા અંદાજમાં પેશ કર્યું. તેમને આપણે હવે ભારતીય ક્રિકેટ ટીમના વાદળી ટીશર્ટમાં નહિ દેખી શકીએ, પણ એ આઈપીએલ રમશે. ખાસ વાત એ છે કે માહી દ્વારા સંન્યાસની પોસ્ટ પહેલા જ એમની પત્ની સાક્ષીએ કેટલીક ઈન્સ્ટાપોસ્ટ દ્વારા સંકેત આપી દીધા હતા. આવો જાણીએ, આખરે સાક્ષીએ પોતાની પોસ્ટમાં શું લખ્યું હતું?
સાક્ષીએ પહેલા જ આપ્યા હતા નિવૃતિના સંકેત
માહીએ કરી ઈમોશનલ પોસ્ટ
મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ પોસ્ટમાં એક ગીત દ્વારા પોતાના સમગ્ર ક્રિકેટ કરિયરના ફોટા શેર કર્યા હતા. આ ફોટો સાથે ધોનીએ ‘મેં પલ દો પલ કાશાયર હું’ ગીત પણ બેકગ્રાઉન્ડમાં મુક્યું હતું. જણાવી દઈએ કે ધોનીના સંન્યાસના એલાન પછીથી એમના ફેન્સમાં એક નિરાશાની લહેર દોડી ગઈ છે,કારણકે ધોનીના ફેંસ એમણે મેદાનમાં હજી થોડો સમય રમતા જોવા ઇચ્છતા હતા. પણ હકીકત એ છે કે હવે ધોની આપણને ક્યારેય વાદળી ટી શર્ટમાં નહિ જોવા મળે. જોકે, હવે જોવાનું એ છે કે એ આઈપીએલ ક્યાં સુધી રમે છે?
ધોનીએ શરુ કરી આઈપીએલની તૈયારી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ પછી ધોની આઈપીએલની 13 મી સીજનમાં રમતા જરૂર જોવા મળશે, એમણે આઈપીએલ માટે તૈયારીઓ પણ શરુ કરી છે. જણાવી દઈએ કે એ ચેન્નાઈ જવા રવાના થઇ ગયા છે, ચેન્નાઈમાં પ્રેક્ટીસ સેશન પછી એ આખી ટીમ સાથે યુએઈ જશે. આ વખતે આઈપીએક સંયુક્ત અરબ અમીરાતના ત્રણ મોટા શહેર આબુ ધાબી, દુબઈ અને શારજાહમાં યોજાશે. એવામાં આઈપીએલની બધી ફ્રેન્ચાઈજી ટીમો ધીમે ધીમે યુએઈ જવા રવાના થશે. જતા જતા એ પણ જણાવી દઈએ કે આઈપીએલ ૧૯ સપ્ટેમ્બરથી શરુ થઈને ૧૦ નવેમ્બરના ખતમ થશે. એટલે કે આવનારા દિવસોમાં ક્રિકેટ ફેન્સને ક્રિકેટની મજા માનવા મળશે.
0 Response to "ધોનીના સંન્યાસ પહેલા જ એની પત્નીએ આપી દીધા હતા વિદાઈના સંકેત, તેજીથી વાયરલ થઈ પોસ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો