જો તમે કોરોનામાંથી સાજા થયા બાદ નહિં રાખો આ 10 વાતોનું ધ્યાન, તો ફરી આવી જશો કોરોનાની ઝપેટમાં
જે દર્દીઓને ગંભીર ચેપ લાગ્યો હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય તેમણે ઘરે ઓક્સિમીટર રાખવાનું જણાવવામાં આવ્યું છે.
તમારી રીતે કોઈ દવા ન લો,જો તબિયત ખરાબ લાગે તો પહેલા ડોક્ટરની મુલાકાત જરૂરથી લો.
કોરોના રોગચાળો ચારે બાજુથી ફાટી નીકળ્યો છે,તે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે.પરંતુ આ રોગની પુન રિકવરી પ્રાપ્ત થયા પછી લોકોને એવો વિશ્વાસ આવી ગયો છે કે કોરોના કોઈ જીવલેણ રોગ નથી.જો કે કોરોના એ એક એવી વસ્તુ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે,પછી ભલે તમસરો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય.
અધ્યાયનો દ્વારા જણાવવામાં આવ્યું છે,કે સાર્સ-કોવ 2 વાયરસ કેવી રીતે તમારા શરીરમાં લાંબા સમય સુધી રહી શકે છે.જ્યાં સુધી વાયરસનો પ્રકોપ ઓછો ન થાય ત્યાં સુધી તેની આડઅસર તમારા શરીરમાં આવતી રહેશે.એક અધ્યયન મુજબ,કોરોના વાયરસથી સાજા થયેલા ગંભીર દર્દીઓમાં આશરે 75 ટકા છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ,થાક,તાણ અને અસ્વસ્થતાની ફરિયાદો સાથે હોસ્પિટલમાં પાછા ફર્યા છે.
કેટલાક શહેરોમાં કોવિડ કેર ક્લિનિક્સ ખુલ્લા છે.કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે માર્ગદર્શિકા જારી કરી છે.મોટાભાગના લોકો વાયરસના ચેપ પછી એન્ટિબોડીઝ પ્રાપ્ત કરે છે,જે ફરીથી ચેપ થવાની સંભાવનાને અટકાવે છે.જો કે,હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ એન્ટિબોડી કેટલા સમય સુધી અસરકારક છે.વૃદ્ધો અથવા ઉચ્ચ જોખમની કેટેગરીમાં આવતા લોકો માટે પોસ્ટ કોવિડ કેરની વધુ જરૂર છે. <તેથી,કોરોનાથી સ્વસ્થ થવા છતાં વ્યક્તિએ તેના સ્વાસ્થ્યને અવગણવું જોઈએ નહી અને ડોક્ટરની સલાહ મુજબની પરેજી પણ જરૂરથી પાળવી જોઈએ.
કોરોના વાયરસને દૂર રાખવા માટે લોકોને સામાજિક અંતરને અનુસરીને માસ્ક પહેરવા ઉપરાંત કેટલીક અન્ય સલાહ આપવામાં આવી છે.તો ચાલો અમે તમે જણાવીએ કે કોરોના વાયરસથી રિકવરી મળ્યા પછી પણ કઈ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.
1. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પાણી,જ્યૂસ પીવું જરૂરી છે.નવશેકું પાણી તમારા ગળા માટે ફાયદાકારક હોઈ શકે છે.જે દર્દીઓને ગળા અને કફની પીડા છે તેઓએ ગરમ પાણીથી વરાળ અને કોગળા પણ કરવા જોઈએ.દર્દીઓ તેમની પ્રતિરક્ષા વધારવા માટે ઉકાળો પણ પી શકે છે.
2. ઘણા કોરોના દર્દીઓને કસરત કરવાની સલાહ આપવામાં આવી છે.જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તે શ્વાસ લેવાની કસરત પણ કરી શકે છે.વર્કઆઉટ્સ કરીને તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો થઈ શકે છે.યોગ તમારા તાણને દૂર કરવામાં ખુબ જ મદદગાર છે.
3. શરીરને તંદુરસ્ત રાખવા માટે વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર આહાર બીજું મહત્વપૂર્ણ પગલું છે. કોવિડને કારણે તમારા શરીરમાં ઘણાં તાણ આવે છે અને દવાઓ તમારા શરીરને પણ નબળું બનાવી શકે છે. તેથી ખાતરી કરો કે ફળો,શાકભાજી અથવા જે તે ખોરાક ખાવ છો,તે સંતુલિત આહાર હોવો જોઈએ.
4. તંદુરસ્ત બનવા માટે સંપૂર્ણ નિંદ્રા ખૂબ જ મહત્વપૂર્ણ છે.રોગમાંથી બહાર આવ્યા પછી શરીરને ખૂબ મુશ્કેલી ન આપો અને તેને પૂરતો આરામ આપો.
5. ધૂમ્રપાન અને આલ્કોહોલનો દુરૂપયોગ એ કોવિડ ચેપનું કારણ હોઈ શકે છે અને લાંબા ગાળે શરીર માટે હાનિકારક હોઈ શકે છે.તેથી ધૂમ્રપાન અને આલ્કોહોલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
6. જો તમે પહેલાથી જ કોઈ રોગથી પીડિત છો અને તેની દવાઓ લેતા હો તો છોડશો નહીં.યોગ્ય સમયે ડોઝ લો અને જરૂરી પરીક્ષણો કરાવો અને તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો.
7.દર્દીઓ માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ દવાઓની પણ સલાહ આપવામાં આવી છે.
8. જે દર્દીઓને ગંભીર ચેપ લાગ્યો હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય તેમને પણ ઘરે ઓક્સિમીટર રાખવા જણાવ્યું છે.
9.જો તમને કોઈ સમસ્યા થઈ હોય,જેમ કે તાવ શરદી,કફ અથવા કોઈપણ ગંભીર સમસ્યામાં કોઈ દવા જાતે લેશો નહીં,જો તબિયત ખરાબ લાગે તો પહેલા ડોક્ટરને મળો.
10. આ ઉપરાંત,વારંવાર તમારા હાથ ધોવાનું ભૂલશો નહીં.ઘરે અને બહાર નીકળવાના સમયે માસ્ક જરૂરથી પહેરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જો તમે કોરોનામાંથી સાજા થયા બાદ નહિં રાખો આ 10 વાતોનું ધ્યાન, તો ફરી આવી જશો કોરોનાની ઝપેટમાં"
ટિપ્પણી પોસ્ટ કરો