જાણો ભગવાનના મંદિરની આસપાસ ફેરી ફરવા પાછળનું શું છે મહત્વ….
ભગવાનના મંદિરની આસપાસ કેમ કરવામાં આવે છે પરિક્રમા ? શું આપ જાણો છો આ વિષે.
આપણે બધા ક્યારેકને ક્યારેક મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઈએ જ છીએ. જયારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે ઘણી બધી વ્યક્તિઓ એવી જોઈએ છીએ જેઓ મંદિરની ચારે તરફ ફરીને મંદિરની પરિક્રમા કરતા હોય છે. એટલું જ નહી આપણે પોતે પણ ઘણીવાર આ ક્રિયાનું અનુસરણ કરતા મંદિરની પરિક્રમા કરતા હોઈએ છીએ કે પછી એવામાં આપણેએ ત્યાં કેટલાક લોકોને પરિક્રમા કરતા જોયા હશે. હવે શું આપ મંદિરની આસપાસ કરવામાં આવતી પરિક્રમા વિષે જાણો છે કે, અંતે આ પરિક્રમા કેમ કરવામાં આવે છે.?

મંદિરમાં પરિક્રમા કરવાનું મહત્વ :
-મંદિર અને ભગવાનની મૂર્તિની આસપાસ પરિક્રમા કરવાથી સકારાત્મક ઉર્જા આપના શરીરમાં પ્રવેશ કરે છે અને આપને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. આ સાથે જ પરિક્રમા કરવા વિષે એવી પણ માન્યતા છે કે, ઉઘાડા પગે મંદિરના પરિસર કે પછી ભગવાનની આસપાસ પરિક્રમા કરવાથી વધારે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.

-જયારે ભગવાન ગણેશજીએ પોતાના ભાઈ કાર્તિકેય અને સ્વર્ગના અન્ય દેવતાઓની સાથે પ્રથમ પૂજ્ય દેવતા બનવા માટે સંસારની પરિક્રમા કરવાની સ્પર્ધા કરે છે ત્યારે કાર્તિકેય અને સ્વર્ગના દેવતાઓ પોતાની સૃષ્ટિ પ્રત્યેની જવાબદારી ભૂલી જઈને સ્પર્ધામાં ભાગ લેવા માટે ચાલ્યા જાય છે. ત્યારે ભગવાન ગણેશજી પોતાની ચતુરાઈનો ઉપયોગ કરીને પોતાના માતા દેવી પાર્વતી અને પિતા મહાદેવનું પૂજન કરીને તેમની આસપાસ ત્રણ ચક્કર લગાવે છે અને ભગવાન ગણેશ વિજય પ્રાપ્ત કરી લે છે. કેમ કે, ભગવાન ગણેશજી માટે આખી દુનિયા માતા- પિતાના ચરણોમાં જ છે.

-આ પણ એક કારણ છે કે લોકો પૂજા- અર્ચના કર્યા પછી સૃષ્ટિના નિર્માતાની આસપાસ ચક્કર લગાવે છે અને આ સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે, મંદિર અને ભગવાનની પરિક્રમા કરવાથી આપના ઘરમાં ધન- સમૃદ્ધિ પ્રવેશ કરે છે અને આપના જીવનમાં ખુશીઓ હંમેશા માટે જળવાઈ રહે છે.

-આપે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે, મંદિર કે પછી ભગવાનની આસપાસ પરિક્રમા કરતા સમયે આપના જમણા હાથનું ભગવાનની તરફ હોવો જોઈએ તો જ આપના દ્વારા કરવામાં આવેલ પરિક્રમાને શુભ માનવામાં આવે છે.

-મંદિર અને ભગવાનની પરિક્રમા કરવાથી આપની આસપાસ અને આપના મનમાં સકારાત્મક ઉર્જા અને સકારાત્મક વિચારોનો સંચાર થવા લાગે છે. એટલું જ નહી, આપના જીવનમાં પણ આપને ઘણા સકારાત્મક પરિવર્તન આપને જોવા મળી શકે છે. એટલા માટે આપે મંદિરમાં જાવ છો ત્યારે કે પછી ભગવાનની આસપાસ પરિક્રમા જરૂરથી કરવી જોઈએ.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "જાણો ભગવાનના મંદિરની આસપાસ ફેરી ફરવા પાછળનું શું છે મહત્વ…."
ટિપ્પણી પોસ્ટ કરો