માત્ર એક મહિના સુધી કારેલાના રસનું સેવન કરવાથી જાડાપણાથી કેન્સર જેવા રોગો દૂર થાય છે,જાણો કેવી રીતે
બહુ ઓછા લોકો હોય છે જે કારેલા ખાવાનું પસંદ કરે છે તેનું કારણ એ છે કે મોટાભાગના લોકોને કારેલાનો કડવો સ્વાદ બિલકુલ પસંદ નથી હોતો અને આની ક્ડવાશના કારણે લોકો ખાતા નથી.પરંતુ એવું કહેવામાં આવે છે કે દવા જેટલી કડવી હોય તેટલી વધુ અસરકારક છે, તેવી જ રીતે કારેલા ભલે કડવા હોય પણ તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ અસરકારક છે. ખાસ કરીને તેનો રસ ઘણા રોગોને કાબૂમાં રાખવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે.જો તમે વજન ઓછું કરવા વિશે વિચારી રહ્યા છો તો તમારે કારેલાનો રસ પીવો જોઈએ.તો ચાલો આજે અમે તમને જણાવીએ કારેલાના રાસ્ના કેટલાક શ્રેષ્ઠ ફાયદાઓ વિશે જણાવીએ.

કારેલાનો રસ બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદગાર સાબિત થાય છે.તમને જણાવી દઈએ કે તેમાં બે પ્રકારનાં કમ્પાઉન્ડ જોવા મળે છે.જે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે.ખાલી પેટ પર કારેલાનો રસ પીવાથી ડાયાબિટીઝનું જોખમ પણ ઘણી હદ સુધી ઓછું થાય છે.
માનવામાં આવે છે કે કડવો કારેલાનો રસ કેન્સરના રોગ અને કિડનીમાં થતી પાથરીને દૂર કરવામાં મદદગાર છે.આ સિવાય બીજા અન્ય રોગો જેમ કે ઉલટી,ડાયરિયા,ગેસની સમસ્યા,કમળો,સંધિવા અને મોના અલ્સરમાં પણ ઘટાડો થાય છે.

કારેલાનો કડવો રસ આંખો માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.તેમાં બીટા કેરોટિન હોય છે.જે આંખોને લગતા રોગોને દૂર કરે છે અને આંખોની દ્રષ્ટિને તીક્ષ્ણ બનાવવા માટે પણ ફાયદાકારક છે.
જો તમને પાચનમાં કોઈ તકલીફ હોય તો તમારે કરેલાનો રસ પીવો જ જોઈએ.આ કરવાથી તમને લાભ મળશે, તે મગજના વિકાસ માટે પણ મદદરૂપ સાબિત થાય છે.

કડવા કારેલાના રસમાં એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.જે લોહીને સાફ કરવામાં મદદગાર સાબિત થાય છે.આને કારણે તમારી પિમ્પલ્સની સમસ્યા તમારાથી દૂર રહે છે.
કારેલા એ એવું શાક છે,જેના સેવનથી તમને ક્યારેય પણ નુકસાન નહીં થાય.આમાં ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં મળી આવે છે.એક મહિના સુધી દરરોજ કારેલાનો કડવો રસ પીવાથી કફની સમસ્યા અદૃશ્ય થઈ જાય છે.ઉધરસની સારવારમાં પણ કારેલા ઘણો ફાયદો કરે છે.

ડાયાબિટીઝના દર્દીને તેમની આ સમસ્યા દૂર કરવા માટે સરખા પ્રમાણમાં કારેલા અને ગાજરને મિક્સ કરી તેનો રસ પીવો જોઈએ.આને કારણે બ્લડ સુગરનું સ્તર ધીરે ધીરે ઘટવા લાગે છે.સવારે આ રસ પીવો ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.કારેલામાં મોમર્સિડાઇન અને ચૈરાટીન જેવા એન્ટી-હાઇપર ગ્લાયકેમિક તત્વો હોય છે.જે ડાયાબીટિઝની સમસ્યા દૂર કરે છે.

જો તમને અથવા તમારા કુટુંબમાં કોઈને ભૂખ ન લાગવાની તકલીફ હોય,તો કારેલાનો કડવો રસ તમારી આ સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થશે.હકીકતમાં ભૂખ ન હોવાને કારણે શરીરને સંપૂર્ણ પોષણ મળી શકતું નથી,જે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. એટલા માટે દરરોજ કારેલાનો રસ પીવો અથવા કડવી કારેલાની શાકભાજી ખાવાથી પાચન ક્રિયા જળવાય રહે છે,જે ભૂખ વધારે છે.

કારેલામાં જોવા મળતા બીટર્સ અને એલ્કલોઇડ્સ લોહી શુદ્ધિકરણ તરીકે કાર્ય કરે છે.કારેલાનું કડવું શાક ખાવાથી અથવા કારેલાને પીસીને તેનું જ્યુસ પીવાથી તમારી સમસ્યા દૂર થાય છે.અથવા સૂવાના સમયે તમારા હાથ અને પગ પર કારેલાની પેસ્ટ લગાવવાથી પીમ્પલ્સ,દાદર,ખંજવાળ અથવા ચામડીમાં લાલાશ જેવા ચામડીના રોગો દૂર થાય છે.

બવાસીર જેવી સમસ્યા દૂર કરવા માટે દરરોજ એક ચમચી કારેલાના રસમાં અડધી ચમચી ખાંડ નાખીને પીવાથી અને એક મહિના સુધી દરરોજ આ ઉપાયથી તમારી બવાસીરની સમસ્યા દૂર થાય છે.સંધિવા અથવા હાથ-પગના દુખાવાની સમસ્યા દૂર કરવા માટે કારેલાના રસથી માલિશ કરવાથી આ સમસ્યા થોડા દિવસોમાં જ દૂર થાય છે.

કારેલાના રસમાં એક લીંબુનો રસ મેળવીને રોજ સવારે બે મહિના સુધી તેનું સેવન કરવાથી શરીરમાં બિનજરૂરી ચરબી ઓછી થાય છે અને જાડાપણાની સમસ્યા દૂર થાય છે.જો પાચનની પ્રક્રિયા યોગ્ય હોય તો પેટ પણ બરાબર રહે છે,આને કારણે શરીરમાં ચરબી નથી આવતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "માત્ર એક મહિના સુધી કારેલાના રસનું સેવન કરવાથી જાડાપણાથી કેન્સર જેવા રોગો દૂર થાય છે,જાણો કેવી રીતે"
ટિપ્પણી પોસ્ટ કરો