જો તમે આ રીતે કરશો મેથીનો ઉપયોગ, તો આટલી બધી બીમારીઓ શરીરમાંથી ભાગી જશે
મિત્રો, આપણા દેશના લગભગ દરેક વ્યક્તિના રસોઈઘરમા અનેકવિધ પ્રકારના મસાલાઓ હોય છે જેનો ઉપયોગ તે ભોજનને વધુ પડતુ સ્વાદિષ્ટ બનાવવા માટે કરતો હોય છે. આ મસાલાઓમા જ એક વિશેષ વસ્તુ છે મેથી કે જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા સિવાય પણ અનેકવિધ રીતે થઇ શકે છે.
તેમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. જે તમારી પેટ થી લઈને ડાયાબીટીસ સુધીની તમામ સમસ્યાઓને ક્ષણભરમા જ દૂર કરી દે છે. આયુર્વેદમા મેથી એક વિશેષ સ્થાન ધરાવે છે, તેમા સમાવિષ્ટ આયુર્વેદિક ગુણધર્મો તમારા શરીરને તંદુરસ્ત અને નીરોગી રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે, તો ચાલો જાણીએ મેથીના સેવનથી થતા લાભ વિશે.
કોલેસ્ટેરોલ નિયંત્રણમા રહે :
જો તમે નિયમિત મેથીનુ સેવન કરો તો તે તમારા શરીરમા કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામા સહાયરૂપ સાબિત થાય છે. તેમા પુષ્કળ માત્રામા લિપોપ્રોટીન સમાવિષ્ટ હોય છે. જે તમારા કોલેસ્ટ્રોલના સ્તરને વધઘટ થતા અટકાવે છે અને તમારા શરીરને આવશ્યક પોષકતત્વો પૂરા પાડે છે.
હૃદય સાથે સંકળાયેલી બીમારીઓ દૂર રહે :
લીલી મેથીનો પ્રયોગ બધા લોકોએ અપનાવવો જોઈએ. તે આપણા હૃદયની તંદુરસ્તી જાળવવા મદદ કરે છે અને તેમા ગૈલેકટોમનૈન ની હાજરીને લોધે હૃદયને સ્વસ્થ બનાવી રાખે છે. મેથીમાં પોટેશિયમની ઉચ્ચ માત્રા સામેલ હોય છે, જે રક્તસંચાર ને નિયંત્રિત રાખે છે.
પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર થાય :
આ વસ્તુનુ સેવન તમારા પેટ માટે રામબાણ ઇલાજ સાબિત થાય છે અને તેનુ સેવન કરવાથી પેટ ચોખ્ખુ રહે છે. અપચાની સમસ્યા થતી નથી અને તેનો ઉપયોગ ચા ની સાથે કરવાથી પેટ નો દુ:ખાવો દૂર થઇ જાય છે. આ વસ્તુ તમને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામા સહાયરૂપ સાબિત થાય છે.
શરીરના દુ:ખાવામા રાહત મળે :
આ વસ્તુનુ સેવન શરીરના દુ:ખાવા અને સંધિવાની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે. વળી તેમા પુષ્કળ માત્રામા કેલ્શિયમ , આયરન અને ફોસ્ફરસ સમાવિષ્ટ હોય છે, જે તમને શરીરના દુ:ખાવામા રાહત અપાવે છે.
ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને :
આ વસ્તુમા પુષ્કળ માત્રામા પ્રોટીન, ફાઇબર, વિટામિન-સી, પોટેશિયમ અને લોહતત્વ સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરને અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ આપે છે.
ડાયાબિટીસની સમસ્યા નિયંત્રણમા રહે :
ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા લોકો માટે મેથીનો પ્રયોગ ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે. તેમા પુષ્કળ માત્રામા એમિનો એસિડ સમાવિષ્ટ હોય છે, જે ઈન્સ્યુલીનને વધારે છે અને તમારા બ્લડસુગર લેવલને નિયંત્રણ રાખે છે, જેથી તમને ડાયાબીટીસ જેવી સમસ્યાઓ સામે રક્ષણ મળી રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જો તમે આ રીતે કરશો મેથીનો ઉપયોગ, તો આટલી બધી બીમારીઓ શરીરમાંથી ભાગી જશે"
ટિપ્પણી પોસ્ટ કરો