શિયાળામાં તમારા વાળમાં પણ બહુ થઇ જાય છે ખોડો? તો આજથી જ કરવા લાગો આ નાનકડું કામ
શિયાળાની ઋતુમાં વાળ ખારવા અને ડેન્ડ્રફની સમસ્યા સામાન્ય છે. ઠંડા હવામાન દરમિયાન માથાની ચામડી શુષ્ક રહેવાને કારણે ખોડો ઝડપથી થાય છે અને તેનાથી વાળને મોટું નુકસાન થાય છે. ડેન્ડ્રફના કારણે વાળ નબળા પડે છે અને ખૂબ જ સરળતાથી તૂટી જાય છે. વાળની યોગ્ય સંભાળ અને શરીરમાં વિટામિન અને ખનિજોની અભાવને કારણે ડેંડ્રફની સમસ્યા થાય છે. ઠંડીના કારણે ક્યારેક વાળ ખૂબ સુકાઈ જાય છે. જો કે, કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી તમે ખૂબ જ સરળતાથી ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો અમે તમને ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટેના ઘરેલુ ઉપાય વિશે જણાવીએ.

– એલોવેરામાં હાજર એન્ટિફંગલ્સ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ડેન્ડ્રફની સમસ્યાથી રાહત આપી શકે છે. એલોવેરા વાળ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેને માથાની ચામડી પર લગાડવાથી વાળના મૂળમાં પોષણ મળે છે અને ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે.

– લેમનગ્રાસ તેલમાં એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ડેન્ડ્રફ ઘટાડવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી માથા પર કોઈ ચેપ લાગતો નથી.
– ટી ટ્રી ઓઈલમાં ટેરપીનેન -4 નામનું તત્વ હોય છે જે ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરે છે. આ સિવાય તે વાળને મૂળમાંથી પણ પોષણ આપે છે.
– બાળકોના વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરવા માટે દહીં ખૂબ ફાયદાકારક છે. તમે બાળકોના માથાની ચામડી પર ખૂબ જ સરળતાથી દહીં લગાવી શકો છો. આ ડેન્ડ્રફને ઘટાડવામાં મદદ કરશે.

– ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા માટે સારી કંપનીના એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરી શકાય છે. ડોક્ટરની સલાહ લઈને તમે કોઈપણ સારા હર્બલ અથવા આયુર્વેદિક એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો.
– માથાની ચામડી પર બેકિંગ સોડા લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. જો કે, તેનો વધુ ઉપયોગ કરવાનું ટાળો કારણ કે તે ઘણા લોકો પર રિએક્શન પેદા કરી શકે છે.
– વાળને સ્વસ્થ રાખવા માટે સારો આહાર લો. તણાવ પણ દૂર કરો અને વધુ ખુશ રહો.

– લીમડો તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતો છે. જો તમે વાળ ખરવાની અને ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા માંગો છો અને તમે ઝડપી પરિણામો ઈચ્છો છો તો આજથી જ લીમડાનો ઉપયોગ કરવાનું શરુ કરો. લીમડો તંદુરસ્ત માથા પરની ચામડી, વાળના વિકાસ અને વાળ ખરવાને નિયંત્રિત કરે છે. આ માટે લીમડાના પાનને સારી માત્રામાં પાણીમાં ઉકાળો અને તે જ પાણીથી તમારા વાળ થોડીવાર માટે ઘસો, ત્યારબાદ સાફ પાણીથી તમારા વાળ ધોઈ લો. ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા માટે અઠવાડિયામાં આ ઉપાય 2-3 વખત કરો.

– નાળિયેર તેલમાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે વાળને ડેન્ડ્રફ, ઇન્ફેક્શનથી બચાવીને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ માટે એક વાટકીમાં 4-5 ટીપાં ટી ટ્રી તેલ 2 ચમચી ડુંગળીનો રસ અને 2 ચમચી નાળિયેર તેલ મિક્સ કરી દો. ત્યારબાદ આ મિક્ષણ વાળની માથાની ચામડી પર સારી રીતે લગાવો. લગભગ અડધો કલાક આ તેલ માથામાં રહેવા દો ત્યારબાદ તમારા વાળ શુધ્ધ પાણી અને શેમ્પૂથી ધોઈ લો.

– બટેટામાં વિટામિન સી, આયરન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ માટે બટેટા અને ડુંગળી બંનેને સમાન માત્રામાં મિક્સ કરી વાળમાં સારી રીતે લગાવો અને 10 મિનિટ સુધી હળવા હાથે વાળની માલિશ કરો. ત્યારબાદ 5 મિનિટ પછી વાળને શુધ્ધ પાણી અને શેમ્પૂથી ધોઈ લો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શિયાળામાં તમારા વાળમાં પણ બહુ થઇ જાય છે ખોડો? તો આજથી જ કરવા લાગો આ નાનકડું કામ"
ટિપ્પણી પોસ્ટ કરો