ફાટેલી એડીની સમસ્યા દૂર કરશે પેટ્રોલિયમ જેલી, જાણો તેના ફાયદા અને તેને લગાવવા માટેની રીત
જ્યારે પણ ઉનાળા દિવસો હોય છે ત્યારે આપણે સુંદર કપડાં સાથે સુંદર સેન્ડલ પણ પહેરીએ છીએ, જે આપણા પગની સુંદરતામાં વધારો કરે છે, પરંતુ શિયાળાના દિવસો આવતા જ આપણા પગની સુંદરતા એકદમ ગાયબ થઈ જાય છે. આપણા પગ જાડા મોજા અને પગરખાંમાં છુપાઈ જાય છે. આપણને એ ખ્યાલ નથી કે ઠંડી આપણા પગને કેટલી હદે સુકવી દે છે, પરિણામે જો યોગ્ય રીતે પોષણ ન મળે તો પગમાં તિરાડો પડે છે અને લોહી નીકળતું હોય છે. શિયાળાના દિવસોમાં આ સમસ્યા લગભગ દરેક વ્યક્તિમાં જોવા મળે છે.

તમારી આ સમસ્યા દૂર કરવા અને તમારા પગને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે અહીં જણાવેલી ટિપ્સ અપનાવો.
– જો તમને હજી પણ ઉંચી એડીના સેન્ડલ પહેરો છો, તો તમે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરો, જે તમારા પગની તિરાડો દૂર કરશે અને ઉંચી એડી પહેરવાથી તમારા પગ વધુ સુંદર લાગશે. આ માટે સૂવાના સમયે પેટ્રોલિયમ જેલીથી તમારા સ્વચ્છ પગ પર માલિશ કરો અને મોજા પેહરી લો. આ તમારા પગને એકદમ નરમ અને કોમળ બનાવશે.

– સૌથી પેહલા તમારી પગની એડીને નવશેકા પાણીમાં પલાળો ત્યારબાદ એડીને સારા કપડાથી સાફ કરો, હવે તેમાં એલોવેરા જેલ લગાવો અને થોડીવાર માટે સુકાવા દો પછી મોજાં પહેરો. આ ઉપાય તમારી પગની એડીને નરમ બનાવશે.

– પગની એડીની તિરાડો દૂર કરવા માટે લીંબુનો રસ, થોડું મીઠું, ગિલસરીન અને ગુલાબ જળ લો. ત્યારબાદ આ દરેક ચીજને સારી રીતે મિક્સ કરો, પછી પગને હળવા પાણીથી ધોઈ લો. હવે આ મિશ્રણને પગની એડી પર હળવા હાથથી લગાવો અને પગ ખુલ્લા રાખીને સૂઈ જાઓ.

– મધને કુદરતી એન્ટિસેપ્ટિક માનવામાં આવે છે જે ફાટેલી પગની એડીઓ મટાડવામાં મદદ કરે છે અને મધના ગુણધર્મ ત્વચાને પહેલાની જેમ ફરીથી બનાવવામાં મદદ કરે છે. ફાટેલી એડીની સમસ્યા દૂર કરવા માટે સૌથી પેહલા અડધું ટબ ગરમ પાણી લો અને તેમાં એક કપ મધ ઉમેરો. ત્યારબાદ તેમાં 15 થી 20 મિનિટ માટે તમારા પગ પલાળી રાખો. આ ઉપાય દરરોજ કરવાથી તમારા પગની ફાટેલી એડીની સમસ્યા દૂર થશે અને તમારા પગ એકદમ મુલાયમ બનશે.

– ચોખાના લોટથી પગની ચામડી નરમ, શુદ્ધ અને પુનર્જીવિત થાય છે. તેથી ચોખાના લોટનો ઉપાય ફાટેલી એડી માટે ફાયદાકારક છે. આ માટે સૌથી પેહલા 3 થી 4 મોટી ચમચી ચોખાનો લોટ, થોડું મધ અને 3- 4 ટીપા એપલ સાઇડર વિનેગરના ઉમેરી એક પેસ્ટ બનાવો.

ત્યારબાદ 10 મિનિટ માટે તમારા પગની એડીઓને ગરમ પાણીમાં પલાળી રાખો, ત્યારબાદ આ પેસ્ટથી તમારી એડીની મસાજ કરો. આ ઉપાય અઠવાડિયામાં 2 વખત કરવાથી ફાટેલી એડીની સમસ્યા દૂર થાય છે. આ સિવાય જો તમારી એડી વધુ ફાટેલી છે તો આ મિક્ષણમાં તમે બદામનું તેલ ઉમેરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ફાટેલી એડીની સમસ્યા દૂર કરશે પેટ્રોલિયમ જેલી, જાણો તેના ફાયદા અને તેને લગાવવા માટેની રીત"
ટિપ્પણી પોસ્ટ કરો