આર્થિક તંગીથી કંટાળી ગયા હોવ તો કરી લો આ નાનકડી વસ્તુનો ઉપાય, દૂર થઇ જશે બધી સમસ્યાઓ
સીપ જેવો એક પથ્થર જે નદીમાં મળી આવે છે તેને ગોમતી પથ્થર કહેવામાં આવે છે જેને ભગવાનની પૂજાની સાથે જ ટોટકા કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. આવામાં ગોમતી ચક્ર એક બાજુથી પથ્થર જેવું દેખાતું હોય છે પરંતુ બીજી બાજુથી સમતળ હોય છે અને એનાથી ઘણા પ્રકારના લાભ પ્રાપ્ત કરી શકાય છે.
અપનાવો આ ટોટકા:
-આર્થિક લાભ:
ધનવાન બનવા માટે સોમવારના દિવસે ૧૧ અભિમંત્રિત ગોમતી ચક્રોને હળદરથી તિલક કરવું જોઈએ અને ભગવાન શિવજીનું ધ્યાન કરીને તેને પીળા કપડામાં બાંધીને આખા ઘરમાં ફેરવી દેવું જોઈએ. ત્યાર બાદ આ ૧૧ અભિમંત્રિત ગોમતી ચક્રોને વહેતા પાણીમાં વિસર્જિત કરી દેવા જોઈએ.
-આવક વધારવા માટે:
આપે પોતાની આવક વધારવા ઈચ્છો છો તો શુક્રવારના રોજ ૧૧ અભિમંત્રિત ગોમતી ચક્રોને પીળા કપડા પર રાખીને માતા લક્ષ્મીનું સ્મરણ કરતા વિધિ- વિધાનથી પૂજા કરવી અને ત્યાર બાદ બીજા દિવસે તે કપડા માંથી ૪ ગોમતી ચક્રને લઈને એક એક કરીને ઘરના ચાર ખૂણામાં દબાવીને રાખી દેવા જોઈએ.
તેમજ ત્યાર બાદ બીજા ૩ ગોમતી ચક્રોને લાલ વસ્ત્રમાં બાંધીને પોતાના ઘરની કે પછી વ્યવસાયની તિજોરીમાં રાખી દેવા જોઈએ અને હવે બાકી રહેલ ગોમતી ચક્રને કોઈપણ મંદિરમાં જઈને પોતાની સમસ્યા બોલીને મૂકી દેવા જોઈએ.
-જો આપને એવું લાગે છે કે, આપના બીઝનેસ પર કોઈની ખરાબ નજર લાગી ગઈ છે તો આપે ૨૧ અભિમંત્રિત ગોમતી ચક્ર અને ૩ શ્રીફળને સાથે લેવા. ગોમતી ચક્ર અને શ્રીફળની પૂજા કરવી. ત્યાર બાદ તેમને એક પીળા કપડામાં બાંધીને તેને પોતાના દરવાજા પર લટકાવી દેવા જોઈએ.
-જો આપના વેપારમાં પ્રગતિ કે પછી જોબમાં પ્રમોશન નથી થઈ રહ્યું તો પાંચ સિદ્ધ ગોમતી ચક્રને શિવ મંદિરમાં શિવલિંગ પર અર્પિત કરો અને ભગવાન શિવજીને પોતાના કર્ય સંપન્નતાની પ્રાર્થના કરવી, આપના કાર્ય સિદ્ધ થશે.
-વેપાર કે પછી સમૃદ્ધિ વધારવા માટે છ ગોમતી ચક્રને લાલ રંગના કપડામાં બાંધીને ધૂપ- દીપ કરવા જોઈએ અને મુખ્ય પ્રવેશ દ્વાર પર લટકાવી દેવા જોઈએ. આપના વેપારના સ્થાન પર આવતા એ ચક્રોની નીચેથી પસાર થશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "આર્થિક તંગીથી કંટાળી ગયા હોવ તો કરી લો આ નાનકડી વસ્તુનો ઉપાય, દૂર થઇ જશે બધી સમસ્યાઓ"
ટિપ્પણી પોસ્ટ કરો