ખાંસીની સાથે આ તકલીફ હશે તો ફેલાઈ શકે છે કોરોનાનું સંક્રમણ, થયો મોટો ખુલાસો
કોરોના મહામારી જ્યારથી આવી છે ત્યારથી માથાનો દુઃખાવો બની ચૂકી છે. રોજ આવતા નવા રિસર્ચ અને તારણોથી લોકોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હાલમાં આઈઆઈટી મુંબઈમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ખાંસી સમયે નીકળતા સૂક્ષ્મ બૂંદોની (ગળફા) મદદથી ફેલાતા સંક્રમણ પર શોધ કરાઈ છે.
આ સમયે જાણવા મળ્યું છે તે તેઓએ સૂક્ષ્મ બૂંદોના વાષ્પ બનવાના અને તેમાં વાયરસની હાજરી પર શોધ કરી છે. હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે મહામારી મુખ્ય રૂપે સંક્રમિત વ્યક્તિના ખાંસી અને છીંકના કારણે નીકળતા સૂક્ષ્મ બૂંદોના કારણે ફેલાય છે. બંને શોધમાં સૂક્ષ્મ બૂંદ પર શોધ કરાઈ છે.
હવા -પાણીથી ઉત્પન્ન થયા કણોથી ફેલાય છે વાયરસ
શોધમાં કહેવાયું છે કે મહામારીને ફેલાવવામાં ખાસ કરીને સૂક્ષ્મ અને દ્વવ્ય પદાર્થો મદદ કરે છે. તેનાથી કોરોનાના પ્રસારને વેગ મળે છે. ખાસ કરીને વધારે વિષાણુ અને જીવાણુઓ આ સૂક્ષ્મ કણોનું સંચરણ કરે છે. તેના વાહક બને છે. જેના કારણે આ વાયરસ ઝડપથી ફેલાય છે.
સ્ટડીમાં અપાયું માસ્કને મહત્વ
કોરોનાના સંબંધમાં અનેક રિસર્ચ થઈ ચૂક્યા છે. જેના કારણે લોકોની વચ્ચે કેટલું અંતર રાખવું તે પણ અવારનવાર કહેવામાં આવી રહ્યું છે. આ સાથે માસ્કની ઉપયોગિતાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આ પ્રક્રિયા સમયે થોડા કણ થોડા અંતરે રહ્યા બાદ પણ સપાટ જગ્યાઓએ ચાલતા રહે છે. તે હવામાં લાંબા સમય સુધી જોવા મળવાના કારણે વાયરસને ફેલાવવામાં મદદ કરે છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ખાંસીની સાથે આવતા બૂંદોની વરાળ બનવાના કારણે અને અત્યંત સૂક્ષ્મ કણોમાં બદલાવવાના કારણે વાયરસની હાજરીને જાણી શકાય છે. આ માટે વૈજ્ઞાનિકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્કને મહત્વ આપવાનું કહ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ખાંસીની સાથે આ તકલીફ હશે તો ફેલાઈ શકે છે કોરોનાનું સંક્રમણ, થયો મોટો ખુલાસો"
ટિપ્પણી પોસ્ટ કરો