આ ઉપાય કરશો તો શનિ દોષથી બચી જશો, શનિવારે ભૂલથી પણ કયારેય ન ખરીદો આ વસ્તુઓ…

શનિવારનો દિવસ ન્યાયના ભગવાન શનિદેવને સમર્પિત છે. એવું કહેવામાં આવે છે કે શનિદેવ માણસના કાર્યો અનુસાર જ ફળ આપે છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં સારું કાર્ય કરે છે અને સાચા માર્ગે પર ચાલીને તેનું જીવન પસાર કરે છે તેને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ જે લોકો હંમેશા ખરાબ કામો કરે છે.
બીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, આવા લોકોને શનિદેવના ખરાબ પરિણામોનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિથી સંબંધિત તમામ દોષને દૂર કરવાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જે ખૂબ અસરકારક સાબિત થાય છે.
શનિ મહારાજ ન્યાયના ભગવાન છે, શનિની ચાલ ખૂબ જ ધીમી માનવામાં આવે છે. આ કારણથી જો વ્યક્તિ પર શનિની ત્રાસી નજર પડી જાય છે તો લાંબા સમય સુધી વ્યક્તિને મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે.
જો તમે શનિ દોષથી પીડિત છો તો તમે તેનાથી મુક્તિ મેળવવા માટે કેટલાક ઉપાય કરી શકો છો. ખરેખર, શનિવારના દિવસે કેટલીક વસ્તુઓ હોય છે જે ભૂલથી પણ ખરીદવી ન જોઈએ. જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખો છો તો તમે શનિ દોષથી બચી શકો છો.
કાળા તલ:
શનિવારના દિવસે ભૂલથી પણ કાળા તલ ન ખરીદવા જોઈએ. તમને જણાવી દઈએ કે શનિવારે કાળા તલનું દાન કરવાથી શનિ દોષ દૂર થાય છે, એટલું જ નહીં પરંતુ પીપળના ઝાડ પર પણ કાળા તલ ચડાવવાનો નિયમ છે. જો તમે શનિવારે કાળો તલ ખરીદો છો તો તેનાથી કામમાં અવરોધ આવે છે.
લોખંડ:
શનિવારના દિવસે લોખંડથી બનેલી કોઈ પણ વસ્તુ ન ખરીદવી જોઈએ નહીં તો તે કારણથી શનિ મહારાજ તમારાથી નારાજ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે શનિવારના દિવસે લોખંડની બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે. તમે શનિવાર સિવાય કોઈપણ દિવસે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદી શકો છો પરંતુ શનિવારે ન ખરીદવી.
કાળા બૂટ:
શનિવારના દિવસે કાળા પગરખાં ન ખરીદશો. જો તમે શનિવારે ખરીદેલા કાળા પગરખાં પહેરો છો તો તેનાથી કાર્યોમાં સફળતા નથી મળી શકતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો ભૂલથી પણ શનિવારે કાળા પગરખાં ન ખરીદો.
મીઠું:
શનિવારના દિવસે મીઠું ભૂલથી પણ ન ખરીદવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો શનિવારના દિવસે મીઠું ખરીદવામાં આવે તો તેનાથી દેવાનો ભાર વધે છે. જો તમે દેવાથી મુક્તિ મેળવવા ઈચ્છો છો અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવી રાખવા ઈચ્છતા હોય તો શનિવારે મીઠું ન ખરીદો.
શનિવારના દિવસે કરો આ કામ:
શનિવારના દિવસે ઘરમાં નવી સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિવારના દિવસે કાળા રંગના કપડાં પહેરવા જોઈએ, જેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેની કૃપા તમારા પર બની રહેશે. જ્યોતિષ અનુસાર શનિવારના દિવસે સરસવનું તેલ દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
0 Response to "આ ઉપાય કરશો તો શનિ દોષથી બચી જશો, શનિવારે ભૂલથી પણ કયારેય ન ખરીદો આ વસ્તુઓ…"
ટિપ્પણી પોસ્ટ કરો