તમે પણ રાતે કરો છો આ ચીજોનું સેવન, તો બની શકો છો સ્થૂળતાનું કારણ, આજથી બનાવી લો દૂરી
આજના સમયમાં ખાન પાનની ખોટી આદતોના કારણે વજન વધે છે અને તેનાથી અનેક મુસીબતો પણ વધે છે. મોડી રાતે ભોજન ખાઈને તરત પથારીમાં સૂવાની આદતના કારણે પણ તમારું વજન વધી શકે છે.

એવામાં તમે પણ ડિનરના સમયે કેટલીક ભૂલો કરો છો તો તમારે ચેતી જવાની જરૂર છે અને સાથે તમે સ્થૂળતાથી દૂર રહેવા માટે કઈ ચીજોને ટાળશો તે જાણવાની પણ જરૂર છે.
ચોકલેટ
ચોકલેટમાં કેફીનની સાથે સાથે શુગરનું પ્રમાણ પણ વધારે હોય છે જેનાથી તમારું વજન જલ્દી વધે છે. આ કારણે જ્યારે તમે રાતના સમયે ચોકલેટ ખાવાનું વિચારો છો કે પછી ચોકલેટ આઈસ્ક્રીમ, ચોકલેટ શેક, ચોકલેટ કુકિઝ કે ચોકલેટ મફિન્સ કે કેક, આ બધી ચીજોને ટાળવું જરૂરી છે. તમે તેને દિવસે ખાઈ શકો છો. આ સમયે ખાવાથી તે દિવસમાં પચી જાય છે અને શરીરમાં સ્થૂળતા વધતી નથી.
ફ્રાઈડ ફૂડ

જ્યારે તમે તળેલા ખોરાક પસંદ કરો છો ત્યારે કાર્બ અને ફેટી એસિડ તમારા પેટની એસિડિટિ અને વજનને વધારે છે. આ કારણ છે કે રાતના સમયે હંમેશા હળવું ફૂડ લેવું. જે સરળતાથી પચી શકે અને તમને રાહત મળી રહે.
નૂડલ્સ
જો તમે રાતના સમયે નૂડલ્સ બનાવો છો તો તે તમારી હેલ્થને માટે સૌથી મોટું નુકસાન કરી શકે છે. નૂડલ્સ ખાવાથી વજન ઝડપથી વધે છે. તેમાં મળતા કર્બ અને ફેટ્સ તમારી હેલ્થને નુકસાન કરે છે. તો તમે તેને બપોરના મેન્યૂમાં સામેલ કરો પણ રાતે નહીં. આ સિવાય તેમાં પડતા મસાલા પણ રાતના સમયે તમારી હેલ્થને નુકસાન કરી શકે છે. આ કારણે તમે સ્થૂળતાની સાથે બળતરાનો અનુભવ પણ કરી શકો છો.
બર્ગર પિત્ઝા

બર્ગર કે પિત્ઝા જેવી ચીજોમાં હાઈ કેલેરી હોય છે. જેને પચાવવામાં લિવરને કલાકોનો સમય લાગી શકે છે. આ સિવાય તેમાં રહેલી ફેટ ધીરે ધીરે બ્લડ સ્ટીમમાં જામવા લાગે છે. જે થોડા સમય બાદ ફેટ ટિશ્યૂમાં ફેરવાઈ જાય છે. આ જે તે સમયે સારો ટેસ્ટ આપે છે અને આનંદ પણ આપે છે પરંતુ લાંબા ગાળે આ આદત શરીરને માટે સ્થૂળતા વધારવાની સાથે નુકસાન કરવા લાગે છે. માટે શક્ય હોય તો રાતના સમયે પિત્ઝા કે બર્ગરનો ઉપયોગ ટાળો.
સોડા

જે લોકો ડિનર પચાવવા માટે રાતના સમયે સોડા પીવાનું પસંદ કરે છે તેઓ તરત પોતાની આદત બદલી લે તે જરૂરી છે. સોડામાં હાઈ શુગર કન્ટેન્ટ હોય છે. જે ઝડપથી બેલી ફેટ વધારવાનું કામ કરે છે. ગેસ કે એસિડિટીની સમસ્યામાં તમે તેનો ઉપયોગ કરો તે યોગ્ય છે પણ આ સિવાય તમારે તેનો ઉપયોગ ટાળવો જોઈએ.
0 Response to "તમે પણ રાતે કરો છો આ ચીજોનું સેવન, તો બની શકો છો સ્થૂળતાનું કારણ, આજથી બનાવી લો દૂરી"
ટિપ્પણી પોસ્ટ કરો