ભૂલથી પણ ઘરના આંગણામાં ના રોપશો આ છોડ, નહિં તો પરિવારમાં વધશે કંકાશ અને…
વાસ્તુશાસ્ત્ર આપણને કઇ દિશા થી લાભ મળશે ક્યા ફાયદો કે ક્યા નુકસાન થશે તે દર્શાવે છે. કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરતા પહેલા વાસ્તુદોષ જોવામાં આવે છે. વાસ્તુ અનુસાર વૃક્ષ અને ફૂલ છોડ થી ઘરમાં ખુશહાલી આવે છે. જો આવા ફૂલ છોડ યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો પરિવારમાં ખુશીઓ મહેકતી રહે છે. જો કે આજે આપણે ઘરના આંગણે ક્યાં ફૂલ છોડ ન લાગવવા જોઈએ તેના વિષે જાણીશું.
એવો કોઇ ફૂલ છોડ જેમાં કાંટા હોય તેને ઘરના આંગણામાં લગાવવા થી અશુભ ફળ મળે છે. કાંટાવાળા વૃક્ષ અને ફૂલ છોડથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, જીવનમાં કોઇ ને કોઇ સમસ્યા આવે છે. એવા છોડ વાવાથી ઘરમાં ગૃહ ક્લેશ અને કંકાશ વધે છે. જો કે ગુલાબનો છોડ તેમાં અપવાદ છે.

આંબલીનો છોડ :
આંબલીનો છોડ પણ ક્યારેય ઘરમાં ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આંબલીનો છોડ વાવવા થી ઘરમાં અનેક રોગ થાય છે. તમારા સંબંધોમાં ખટાશ વધે છે, જે ઘરના વાતાવરણને બગાડે છે. તે જ સમયે, નકારાત્મક શક્તિઓ નો પણ ઘરમા વાસ થાય છે.
પીપળાનું ઝાડ :
પીપળાના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને તેની પૂજા પણ કરવામાં આવે છે. પરંતુ આ ઝાડ ઘરની અંદર અથવા બહારના દરવાજા ની આસપાસ ક્યારેય વાવવુ જોઈએ નહીં તો એવું માનવામાં આવે છે કે તેનાથી પૈસાની ખોટ થાય છે. જો કે, આ માટેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે પીપળાના મૂળિયા દૂર સુધી ફેલાય છે, તેથી ઘરમાં રહેલી દિવાલોને નુકસાન પહોંચાડે છે.
મંદારનું ઝાડ :

ઘણા લોકો ઘરમાં મંદારનું ઝાડ રોપતા હોય છે, પરંતુ વાસ્તુ મુજબ તે સારું માનવામાં આવતું નથી. એવું કહેવામાં આવે છે કે મંદાર સહિત આવા કોઈ પણ વૃક્ષ જેમાંથી દૂધ નીકળે છે, તેમને ઘરની અંદર વાવવા ન જોઈએ. આ નકારાત્મકતા તરફ દોરી જાય છે.
ખજૂરનું વૃક્ષ :
ખજૂરનું વૃક્ષ ઘરની સુંદરતામાં ચોક્કસ પણે વૃદ્ધિ કરે છે, પરંતુ તેને ઘરની અંદર ઉછેરવાનું ટાળવું જોઈએ. વાસ્તુ મુજબ ઘરના સભ્યોની પ્રગતિ અટકે છે, અને પરિવારના લોકો પર આર્થિક સંકટ આવે છે.
તાડનું ઝાડ :

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે લોકોના ઘરમાં કે ઘરની નજીક તાડનું ઝાડ હોય છે. તેમના જીવનમાં હંમેશાં ગરીબી હોય છે. આ વૃક્ષને બિલકુલ શુભ માનવામાં આવતું નથી અને તેની આસપાસના વાતાવરણને કારણે તેને આર્થિક અવરોધોનો સામનો કરવો પડે છે. માનવામાં આવે છે કે આ ઝાડ આર્થિક વિકાસમાં અવરોધ પેદા કરે છે.
બોર નું ઝાડ :
ઘરમાં બોર ના ઝાડ ને પણ શુભ માનવામાં આવતું નથી. આ વૃક્ષ ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે. હકીકતમાં, પ્લમ વૃક્ષોમાં કાંટા હોય છે, અને શાસ્ત્રો કાંટાવાળા વૃક્ષો અને છોડને ઘરે રાખવા પર પ્રતિબંધ મૂકે છે. કાંટાવાળા છોડ અને વૃક્ષો નકારાત્મક ઊર્જા માં વધારો કરે છે. તેથી તમારા ઘરમાં કાંટા હોય તેવા પ્લમ અને છોડ રોપવાનું ટાળો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "ભૂલથી પણ ઘરના આંગણામાં ના રોપશો આ છોડ, નહિં તો પરિવારમાં વધશે કંકાશ અને…"
ટિપ્પણી પોસ્ટ કરો