આ રાજ્યમાં મંદિરમાં કાર પાર્કિંગ ને લઈને શરૂ થયો વિવાદ, જાણો શું છે સમગ્ર ઘટના
કર્ણાટકના મંગલોર સ્થિત એક મંદિરમાં હિન્દુ સિવાયના ધર્મના લોકોની કાર ને પાર્કિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ બાદ નહીં વિવાદ શરૂ થયો છે.
આ મામલો દક્ષિણ જિલ્લાના પુત્તુર શહેરનો છે. અહીં એક બારમી સદીનું શ્રી મહાલીગેશ્વર મંદિર આવેલું છે. આ મંદિરના પરિસરમાં હિન્દુ સિવાયના ધર્મના લોકોની કાર પાર્ક કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ મંદિર ટ્રસ્ટ તરફથી અહીં એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું જેના પર લખાયેલું હતું કે મંદિર પરિસરમાં માત્ર હિન્દુ ભક્તો જ પોતાની ગાડી પાર્ક કરી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ જાણકારી ના આધાર પર એ પણ જણાવવામાં આવ્યું હતું કે હિન્દુ સિવાયના ધર્મના લોકોને એમ પણ કહેવાયું હતું કે જો તેઓ અહીં પોતાની કાર પાર્ક કરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
કર્ણાટક સરકાર હેઠળ આવતા આ મંદિર ના આ નિર્ણયને લઇને રાજ્યના કેટલાક વર્ગોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ નિર્ણયને લઈને મંદિર પ્રશાસન ની આલોચના પણ કરવામાં આવી છે.

આ વિવાદની ચર્ચા દેશભરમાં થતાં સ્થાનિક અધિકારીએ નિર્ણય લીધો છે કે આ મામલે મંદિરના કાર્યકારી અધિકારીને નોટિસ ફટકારવામાં આવશે. સાથે જ કારણ પૂછવામાં આવશે કે પાર્કિંગ પર આ પ્રકારનું બોર્ડ શા માટે લગાડવામાં આવ્યું છે.

આ મામલે મંદિરના ટ્રસ્ટના મુખ્ય વ્યક્તિનું કહેવું છે કે અને લેવાનું કારણ છે કે મંદિર અને તેની આસપાસની સુરક્ષા ને નિશ્ચિત કરી શકાય. આ સાથે જ મંદિર સમિતિનું કહેવું છે કે જો કોઈ પાર્કિંગ ને લઈને અરજી લઈને આવશે તો તેના પર વિચાર કરી શકાશે અને એટલા માટે લેવાયો છે કે મંદિર પરિસરમાં કોઈ અવાંછિત ઘટના ન બને.

એવો દાવો કરવામાં આવ્યો છે કે ભક્તો માટે મંદિર પરિસરમાં પાર્કિંગની પર્યાપ્ત વ્યવસ્થા નથી અને મંદિર બહાર બજાર જેવી જગ્યાએ જવા માટે અન્ય ધર્મના લોકો આ પાર્કિંગ નો ઉપયોગ કરતા હતા.
0 Response to "આ રાજ્યમાં મંદિરમાં કાર પાર્કિંગ ને લઈને શરૂ થયો વિવાદ, જાણો શું છે સમગ્ર ઘટના"
ટિપ્પણી પોસ્ટ કરો