કરોડપતિ બનવું હોય તો કરવી પડશે માત્ર 74 રૂપિયાની દૈનિક બચત, જાણો શું છે ખાસ સ્કીમ
નિવૃત્તિનું આયોજન નોકરીની શરૂઆતથી જ થવું જોઈએ, કારણ કે આની મદદથી તમે નિવૃત્તિના સમયે પહોંચતા સુધીમાં એક મોટી રકમ એકઠી કરી શકો છો. નેશનલ પેન્શન સિસ્ટમ એક એવો વિકલ્પ છે કે જેમાં તમે એક સાથે રોકાણ કરી શકો છો તેમજ તમારી નિવૃત્તિ પછી માસિક પેન્શનની વ્યવસ્થા ગોઠવી શકો છો.
દરરોજના 74 રૂપિયા બચાવો નિવૃત્તિ સુધીમાં બનો કરોડપતિ :

જો તમે ઈચ્છો તો રોજ માત્ર ૭૪ રૂપિયા બચાવવીને એનપીએસ માં મૂકો તો નિવૃત્તિ સુધી તમારા હાથમાં એક કરોડ રૂપિયા હશે. જો તમે યુવાન છો અને તમારી ઉંમર વીસ વર્ષની છે, તો તમે અત્યારથી જ તમારી નિવૃત્તિનું પ્લાનિંગ કરી શકો છો. જોકે સામાન્ય રીતે લોકો આ ઉંમરે કામ કરતા હોતા નથી. તેમ છતાં, એક દિવસમાં ચિમોતેર રૂપિયાની બચત કરવી એ મોટી વાત નથી.
NPS માં રોકાણ કરવાથી તમે બનશો કરોડપતિ :
એનપીએસ એ બજાર સાથે જોડાયેલ નિવૃત્તિ લક્ષી રોકાણ નો વિકલ્પ છે. આ યોજના હેઠળ, એનપીએસના નાણાં બે જગ્યાએ રોકાણ કરવામાં આવે છે, ઈક્વિટી એટલે કે શેરબજારમાં અને ડેટ અર્થાત સરકારી બોન્ડ્સ અને કોર્પોરેટ બોન્ડ્સ. એનપીએસ ના કેટલા પૈસા ઈક્વિટીમાં જશે તે તમે ખાતું ખોલતી વખતે જ નક્કી કરી શકો છો. સામાન્ય રીતે પંચોતેર ટકા સુધી નાણાં ઇક્વિટીમાં જઈ શકે છે. આનો અર્થ એ કે આમાં તમને પીપીએફ અથવા ઈપીએફ કરતા થોડું વધારે વળતર મળવાની અપેક્ષા રહે છે.

જો તમે એનપીએસ દ્વારા કરોડપતિ બનવા માંગો છો, તો તેની પદ્ધતિ ખૂબ જ સરળ છે, માત્ર થોડી યુક્તિની જરૂર છે. ધારો કે આ સમયે તમારી ઉંમર વીસ વર્ષની છે. જો તમે દિવસ માટે ચિમોતેર રૂપિયા એટલે કે મહિના માટે બે હજાર બસો ત્રીસ રૂપિયા ની બચત કરીને એનપીએસ માં રોકાણ કરો છો. તો જ્યારે તમે ચાલીસ વર્ષ પછી નિવૃત્ત થશો, ત્યારે તમે કરોડપતિ બની જશો. ધારો કે તમને નવ ટકા ના દરે વળતર મળ્યું. તો તમે નિવૃત્ત થશો, ત્યારે તમારી કુલ પેન્શન સંપત્તિ એક કરોડ ત્રીસ લાખ રૂપિયા હશે.
એનપીએસમાં રોકાણની શરૂઆત :
ઉંમર વીસ વર્ષ, દર મહિને રોકાણ રૂ. બેહજાર બસો ત્રીસ, રોકાણ નો સમયગાળો ચાલીસ વર્ષ, અંદાજિત વળતર નવ ટકા.
એનપીએસ ઇન્વેસ્ટમેન્ટ બુક :

કુલ રોકાણ થી દસ લાખ સાત હજાર રૂપિયા, કુલ વ્યાજ ને રૂ. બાણું લાખ ચાલીસ હજાર મળ્યા. પેન્શન સંપત્તિ રૂ. એક કરોડ ત્રીસ લાખ. કુલ કર બચત રૂ. ત્રણ લાખ એકવીસ હજાર.
હવે તમે આ બધા પૈસા એક સાથે ઉપાડી શકતા નથી, તમે તેમાંથી માત્ર સાઠ ટકા જ ઉપાડી શકો છો, તમારે બાકીના ચાલીસ ટકા એન્યુઇટી પ્લાનમાં મૂકવા પડશે, જે તમને દર મહિને પેન્શન આપે છે. ધારો કે તમે વાર્ષિકીમાં ચાલીસ ટકા પૈસા મૂકો છો. તો જ્યારે તમારી ઉંમર સાઠ વર્ષની થશે ત્યારે તમે એકમુશ્ત રકમમાં એકસઠ લાખ છ્યાસી હજાર ઉપાડી શકશો અને વ્યાજ આઠ ટકા છે, એમ માનીને પેન્શન દર મહિને સત્તયાવીસ હજાર પાંચસો રૂપિયાની આસપાસ રહેશે.
પેન્શનનું ખાતું :

અંદાજિત વ્યાજ દર ૮ ટકાના દરે એકમુશ્ત રકમ ૬૧,૮૬,૦૦૦ મળી. આ સિવાય માસિક પેન્શન રૂ ૨૭,૪૯૬ રૂપિયા મળશે. જોકે તે માર્કેટ લિંક્ડ પ્રોડક્ટ છે, પરંતુ તેના વળતરમાં ફેરફાર કરવો શક્ય છે. કોઈપણ રોકાણ નો મંત્ર એ છે કે તેમાં ઝડપથી રોકાણ શરૂ કરવું.
0 Response to "કરોડપતિ બનવું હોય તો કરવી પડશે માત્ર 74 રૂપિયાની દૈનિક બચત, જાણો શું છે ખાસ સ્કીમ"
ટિપ્પણી પોસ્ટ કરો