સરગવાના પાનથી માંડી તેલ સુધીની બધી વસ્તુઓ છે સ્વાસ્થ્ય માટે લાભદાયી, જાણો ઉપયોગની રીત
સરગવામાં ઘણા પોષક તત્વો હોય છે. તે એન્ટિઓકિસડન્ટથી ભરપૂર હોય તેનું તેલ વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. સરગવા નો ઉપયોગ માત્ર વાનગીઓમાં જ થતો નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. મોરિંગા અથવા સરગવા નું તેલ પણ ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેઓ ફેટી એસિડ અને એન્ટિઓકિસડન્ટ થી ભરપૂર છે. ચાલો જાણીએ કે તેનું તેલ વાળ અને ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે.
ત્વચા અને વાળ મજબૂત રાખે છે :

સરગવાનું તેલ આવશ્યક ફેટી એસિડ થી ભરપૂર છે. તેમાં ઓલીક એસિડ ની માત્રા વધારે છે. ઓલિક એસિડ માત્ર ત્વચા ને સ્વસ્થ રાખે છે, અને સાથે સાથે તે ત્વચાની ભેજ જાળવી રાખે છે. આ સિવાય તે વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે વાળના વિકાસમાં મદદ કરે છે.
ત્વચા સારી કરે છે :
સરગવાનું તેલ વિટામિન ઈ થી ભરપૂર છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે. વિટામિન ઈ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તે ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. વાળ માટે મોરિંગા તેલ ખૂબ ફાયદાકારક છે. તે વાળને મોઈશ્ચરાઈઝ કરે છે. તે વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
એન્ટિમાઈક્રોબાયલ અને એન્ટીબેક્ટેરિયલ :

મોરિંગા તેલ તેના એન્ટિમાઈક્રોબાયલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો થી ભરપૂર છે. વર્ષો થી તેનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ગુણધર્મો ને કારણે મોરિંગા નો ઉપયોગ ક્લીન્ઝર તરીકે થઈ શકે છે. તે ખીલ, અલ્સર, સોરાયસીસ અને ડેન્ડ્રફ જેવા બેક્ટેરિયાને રોકવામાં મદદ કરી શકે છે.
ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવે છે :

આ તેલ થાક જેવી ત્વચા ની સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. તે તેલના સ્ત્રાવ ને નિયંત્રિત કરે છે. તે તમારી ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવે છે. મોરિંગા તેલના બે થી ત્રણ ટીપાં ઓલિવ તેલના થોડા ટીપા સાથે મિક્સ કરીને તમારી ત્વચા પર હળવા હાથે મસાજ કરો. ત્વચાની સમસ્યાઓ ઘટાડવા માટે તમે તમારી દૈનિક સ્કિનકેર ક્રીમ અથવા લોશનમાં થોડા ટીપા ઉમેરી શકો છો.
વાળ માટે ફાયદાકારક :

મોરિંગા તેલમાં રહેલું ઓલિક એસિડ વાળ ને મજબૂત કરવામાં અને ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ડેન્ડ્રફ અને શુષ્કતા ને દૂર રાખવામાં પણ મદદ કરી શકે છે.
0 Response to "સરગવાના પાનથી માંડી તેલ સુધીની બધી વસ્તુઓ છે સ્વાસ્થ્ય માટે લાભદાયી, જાણો ઉપયોગની રીત"
ટિપ્પણી પોસ્ટ કરો