સ્ત્રીઓની પ્રજનન ક્ષમતામાં વધારો કરવા આ યોગા છે એકદમ બેસ્ટ, જાણો તમે પણ વધુમાં
આ યોગાસન સ્ત્રીઓમાં પ્રજનનક્ષમતા વધારવામાં મદદગાર છે, નિયમિત અભ્યાસ અસર કરશે
Fertility Yoga Poses: આ યોગાસન પ્રજનનક્ષમતા વધારવામાં મદદગાર છે
Fertility Yoga Poses:-
યોગ માત્ર માનસિક અને શારીરિક વિકાસ માટે ફાયદાકારક નથી, તે મહિલાઓ અને પુરુષો બંનેની પ્રજનનક્ષમતા સુધારવામાં પણ મદદગાર છે. કેટલાક અભ્યાસોએ બહાર આવ્યું છે કે જો તમે પ્રેગ્નસી કંસીવ કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છો, તો પછી ખર્ચાળ દવાઓની જગ્યાએ યોગાસનનો અભ્યાસ કરવો એક સલામત વિકલ્પ હોઈ શકે છે. સંશોધનકારોએ ઘટસ્ફોટ કર્યો છે કે દર અઠવાડિયે 45 મિનિટના યોગાસનથી સ્ત્રીઓમાં ગર્ભધારણ થવાની સંભાવના સુધારવામાં મદદ મળી શકે છે.
સ્ત્રીઓમાં પ્રજનનક્ષમતાના અભાવનું કારણ તાણ અને અસ્વસ્થતા છે. જેના કારણે તે માતા બનવાના આનંદથી વંચિત રહી જાય છે. યોગ્ય ખોરાક અને જીવનશૈલીની સહાયથી તેમજ તમામ પ્રકારની સારવારથી આ સમસ્યામાંથી પણ મુક્તિ મળી શકે છે. યોગ પ્રજનનક્ષમતા વધારવામાં મદદ કરે છે. આ બાબતનો તમામ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે. તો આગળ જાણો કયા યોગાસનથી પ્રજનન વધારવામાં મદદ મળે છે.
બદ્ધ કોણાસન

બદ્ધ કોણાસન કરવાથી શરીરના સ્નાયુઓ ખેંચાય છે. બટરફ્લાયની સ્થિતિ તરીકે જાણીતો, આ યોગ ઘૂંટણથી હિપ્સ સુધી સ્નાયુઓને ખેંચે છે. જે મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે.
પ્રાણાયામ

દરરોજ શ્વાસ સંબંધિત આ આસન કરવાથી મનને શાંતિ અને રાહત મળે છે. જેના કારણે તણાવ ઓછો થાય છે અને માતા બનવાની શક્યતા વધી જાય છે.
બાલાસન

બાલાસન એટલે કે ચાઈલ્ડ પોઝ, આ આસનનો અભ્યાસ રોજ ખાલી પેટે કરવાથી તમામ રોગોમાં રાહત મળે છે. બાલાસન મહિલાઓમાં પ્રજનન ક્ષમતા વધારવામાં પણ મદદ કરે છે.
ભુજંગાસન (કોબ્રા પોઝ)

આ આસનનો ઉપયોગ કરવો તમારા પેલ્વિક ક્ષેત્રમાં લોહીનો પ્રવાહ વધારવામાં મદદ કરી શકે છે. ઉપરાંત, તે તમારા શરીરમાં આંતરસ્ત્રાવીય સંતુલન બનાવવામાં મદદ કરે છે અને તમારી પીઠને ખેંચે છે.
ઉત્તરાસન (સ્ટેન્ડિંગ ફોરવર્ડ બેન્ડ)

આ આસન તમારા કોષોમાં ઓક્સિજનનો પ્રવાહ વધારવામાં અને તમારા મનને સાફ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે તમારી પીઠના સ્નાયુઓને ખેંચે છે અને અંત:સ્ત્રાવી પ્રણાલીમાં આંતરસ્ત્રાવીય સંતુલન બનાવવામાં મદદ કરે છે.

શવાસન
શવાસના શરીરમાં નવી ઊર્જાનો સંચાર કરે છે. જેની મદદથી હાઈ બ્લડ પ્રેશર અને અનિદ્રા જેવા રોગોનો નાશ કરી શકાય છે. તેમજ આ આસનનો દૈનિક અભ્યાસ માનસિક શાંતિ પણ આપે છે જે અકારણ ક્રોધ અને હતાશાને દૂર કરીને ઊર્જાનો સંચાર કરવામાં મદદ કરે છે.
વજ્રાસન

વજ્રાસન કરવાથી શરીર મજબૂત અને સ્વસ્થ રહે છે. જો વ્રજસન દરરોજ કરવામાં આવે તો પાચનતંત્ર મજબૂત થાય છે અને આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ સરળતાથી શરૂ થાય છે.
પશ્ચિમોત્તાસન

બધા લોકો માટે પશ્ચિમોત્તાસનનો અભ્યાસ જરૂરી છે. આ આસન કરવાથી, જ્યાં પેટની આજુબાજુ રહેલી ચરબી દૂર થાય છે અને પાચન સુધરે છે. તેમજ પુરુષોમાં આ આસન કરવાથી અનેક ઘણા ફાયદા થાય છે. જેની મદદથી હોર્મોન્સના બદલાવો દૂર થાય છે અને તે સુખી લગ્નજીવન મેળવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "સ્ત્રીઓની પ્રજનન ક્ષમતામાં વધારો કરવા આ યોગા છે એકદમ બેસ્ટ, જાણો તમે પણ વધુમાં"
ટિપ્પણી પોસ્ટ કરો