સુશાંતની યાદમાં આ કલાકારે કર્યુ અદભૂત કામ અને આપી અનોખી સેવા, જે જાણીને તમે પણ બોલી ઉઠશો ખરો સેવાભાવી માણસ આને કહેવાય!
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે દુનિયા છોડ્યાને ત્રણ મહિના થયા છે. તેના ચાહકો અને નજીકના મિત્રો તેમને હજી સુધી ભૂલ્યા નથી. એટલું જ નહીં, સુશાંતસિંહ રાજપૂતની યાદમાં વિશેષ અભિયાન ચલાવીને તેઓ શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે. દરમિયાન, પ્રખ્યાત ટીવી નિર્માતા અને બિગ બોસના પૂર્વ સ્પર્ધક વિકાસ ગુપ્તાએ સુશાંત સિંહ રાજપૂતને ખાસ રીતે શ્રદ્ધાંજલિ આપી છે.
આ વાતની માહિતી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી
વિકાસ ગુપ્તાએ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવીને સુશાંતસિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી છે. આ વાતની માહિતી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. વાસ્તવમાં સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ તેના ભાઈની યાદમાં સોશિયલ મીડિયા દ્વારા જુદા જુદા અભિયાન ચલાવી રહી છે. તેણે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર #FeedFood4SSR ઝુંબેશ ચલાવી છે. જેમાં તેમણે લોકોને અપીલ કરી હતી કે ગરીબો અને જરૂરીયાતમંદોને ભોજન કરાવો.
બાળકોને આજે તેમની પસંદગીનું ભોજન મળશે
In Corona Pandemic – do this with Utmost Care – Feed on the loving memory of our SSR – #Feedfood4SSR
— Nilotpal Mrinal (@nilotpalm3) September 12, 2020
શ્વેતાસિંહ કિર્તીના આ અભિયાનને સમર્થન આપતાં વિકાસ ગુપ્તાએ ગરીબ બાળકોને ભોજન કરાવ્યું હતુ. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બે વીડિયો શેર કર્યા છે જેમાં તે ઘણા બાળકો સાથે જોવા મળે છે. આ વીડિયો શેર કરતા વિકાસ ગુપ્તાએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, #FeedFood4SSR અને હું અહીં છું. બાળકોને આજે તેમની પસંદગીનું ભોજન મળશે, હસતી આંખોની સાથે સાથે હસતો ચહેરો.
વિકાસ ગુપ્તાનું આ ટ્વિટ વાયરલ
Thanks for making campaign #FeedFood4SSR a success, feeling so grateful for all the support. Bhai must be so happy! 🙏🔱🙏 https://t.co/UGBgYXnCGI pic.twitter.com/8GGvur3206
— Shweta Singh Kirti (@shwetasinghkirt) September 13, 2020
વિકાસ ગુપ્તાએ પોતાની ટ્વિટના અંતમાં લખ્યું છે, આવો પ્રેમાળ અવસર આપવા બદલ સુશાંત સિંહ રાજપૂતનો આભાર. સોશિયલ મીડિયા પર વિકાસ ગુપ્તાનું આ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. તેમના અને સુશાંત સિંહ રાજપૂત ચાહકો તેમની ટ્વીટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિકાસ ગુપ્તાના બીજા વીડિયોમાં ઘણા બાળકો રમતા જોવા મળે છે. જેને પણ લોકો પસંદ કરે છે.
સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ 14 જૂને મળી આવ્યો હતો
I am grateful to @itsSSR @nilotpalm3 @shwetasinghkirt for giving me us this wonderful opportunity. Today I am able to feed 20 people of orphanage and small children. The smile that I see is priceless and I will continue doing it 🙂 #FeedFood4SSR pic.twitter.com/eHrbxLYAdp
— JusticeforSSR 💫✨ (@Justice4SSRsoon) September 12, 2020
તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ 14 જૂને મુંબઇમાં બાંદ્રા સ્થિત તેમના મકાનમાંથી મળી આવ્યો હતો. શરૂઆતમાં, તેમના મૃત્યુની તપાસ મુંબઈ પોલીસ અને ત્યારબાદ પટના પોલીસે કરી હતી. જો કે હવે આ મામલો સીબીઆઈ, ઇડી અને એનસીબી સુધી પહોંચ્યો છે. આ કેસમાં એનસીબીએ અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક સહિત ઘણા લોકોની ધરપકડ કરી છે. આ તમામની ડ્રગ્સનો ઉપયોગ અને ટ્રાન્ઝેક્શન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સુશાંતની યાદમાં આ કલાકારે કર્યુ અદભૂત કામ અને આપી અનોખી સેવા, જે જાણીને તમે પણ બોલી ઉઠશો ખરો સેવાભાવી માણસ આને કહેવાય!"
ટિપ્પણી પોસ્ટ કરો