દિવાળીમાં આ રીતે રાખી લો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, નહીં વધે વજન પણ
દિવાળી પ્રકાશ, મીઠાઈ સાથે પરિવાર અને સ્નેહીજનોને મળવાનો ઉત્સવ છે. દિવાળીનું એક ખરાબ પાસું એ છે કે ફટાકડા ફોડવાને આપણે ઊજવણીનો હિસ્સો બનાવી દીધો છે. ફટાકડાના કારણે દિવાળી દરમિયાન અને પછી દેશમાં વાયુ પ્રદૂષણમાં વધારો થવાના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ પ્રદૂષિત વાતાવરણ આપણા શરીરમાં દૂષિત તત્વો પેદા કરે છે જે ફેફસામાં મુશ્કેલી, ચામડીના રોગો, આંખોમાં બળતરા સહિતની અનેક વ્યાધિઓ લાવે છે. તમારા શરીરને દૂષિત પદાર્થોથી દૂર રાખવા માટે ફળો અને મિનરલ્સ ખાસ મદદ કરે છે, જેવા કે વિટામીન ઈ, વિટામીન સી, કારોટિનોઈડ્સ કોપર, ઝિંક, મેન્ગેનિઝ વગેરે.
વજન કંટ્રોલમાં રાખવાની સાથે સાથે દૂષિત પદાર્થોને કરશે દૂર

જો તમે આ દિવાળીમાં સ્વસ્થ રહેવા ઈચ્છો છો તો તમે વધુને વધુ પોષણક્ષમ આહાર લેવાઈ શકે તેવો પ્રયત્ન કરો. આ માટે તમારે શક્ય તેટલા ઠંડા પીણાનો ઉપયોગ કરવાના બદલે લીંબુ પાણી, નાળિયેરનું પાણી, છાશ અથવા ઠંડી લસ્સીનો ઉપયોગ કરવો જોઈએ. આ પદાર્થો તમને શરીરમાં દૂષિત પદાર્થોને દૂર રાખવામાં ખાસ મદદ કરે છે. આ પીણામાં શર્કરા અને કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે જેથી દિવાળી દરમિયાન વજનને પણ નિયંત્રણમાં રાખી શકે છે.
બહારની મીઠાઈ છોડો, ઘરે શુદ્ધ મીઠાઈઓ બનાવો

દિવાળી વિવિધ પ્રકારની પરંપરાગત મીઠાઈ અને ફરસાણ વગર અધૂરી ગણાય છે. બહારથી લાવવાના બદલે ઘરે મીઠાઈ બનાવવાનો આગ્રહ રાખો, કારણ કે દિવાળીમાં મીઠાઈની વધુ માંગના કારણે તેમાં ભેળસેળ કરવાની સાથે મીઠાઈને વધુ આકર્ષક બનાવાવા માટે આર્ટીફિશિયલ કલર ઉમેરવામાં આવતો હોય છે જેના કારણે તમને ઊલટી, ફૂડ પોઈઝનિંગ સહિતની અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો કારણ બની શકે છે.
ઘરે મીઠાઈ બનાવતી વખતે ખાસ આ ચીજોનો કરો પ્રયોગ

તમે ઘરે બનાવેલી મીઠાઈમાં ગોળ અથવા ખજૂરનો ઉપયોગ કરો (જે શરીરમાં આયર્નનું પ્રમાણ વધારે છે, જે હિમોગ્લોબિનની માત્રા જાળવી રાખવામાં મદદ કરે છે.) ખાંડનો ઓછી માત્રામાં પ્રયોગ કરી શકાય છે. તમે ડાયાબિટીક લોકોની મીઠાઈ માટે મીઠી તુલસી અથવા શુગર ફ્રીનો ઊપયોગ પણ કરી શકો છો.
દિવાળી દરમિયાન સ્વસ્થ રહેવાની ટિપ્સ
– સવારે ઊઠીને ગરમ પાણી પીવો જેથી મળતા સારા બેક્ટેરિયા પાચન શક્તિને વધુ મજબૂત બનાવે છે. ડ્રાયફ્રૂટ્સનું સેવન વિટામીન ઈ આપે છે. સવારે ચાલવું, દોડવું અને યોગ પણ ઉત્તમ વિકલ્પ છે

– સવારના સમયે નારંગી, શક્કર ટેટી, પપૈયા, રાસબરી, બ્લ્યૂ બેરી સહિતના ફળોનું સેવન કરવું જોઈએ. પપૈયા, જમરૂખ જેવા રસાળ ફળોનો જ્યુસ પણ લઈ શકાય

– દિવસ પૂરો થતા સમયે તળેલા ખોરાકને બદલે હળવો ખોરાક લેવો જોઈએ. ગ્રીન લીફ સૂપ, મશરૂમ સૂપ, બીટ-કેરટ સૂપ, વેજ સલાજ, ફણગાવેલા કઠોળ, દહીંનો ઉપયોગ કરવો જોઈએ

તો, આ દિવાળી ફટાકડા ફોડવાના બદલે યોગ્ય પોષક આહારનું સેવન અને કસરત સાથે કેલેરી ઘટાડીએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "દિવાળીમાં આ રીતે રાખી લો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, નહીં વધે વજન પણ"
ટિપ્પણી પોસ્ટ કરો