આ પ્રકારના વાસણમાં ખાવાનું બનાવવાથી થાય છે જીવલેણ બીમારીઓ, આજથી જ બદલો આદત

આજની ભાગદોડવાળી જિંદગીમાં દરેક વ્યકિતે જેમ કંઈ પણ ખાઈ લે છે તેવી જ રીતે જે વાસણ હાથમાં આવે તેનો ઉપયોગ કરી લે છે. જો તમે પણ આવું કરો છો તો ચેતો. કારણ કે એલ્યુમિનિયમના વાસણમાં ખાવાનું બનાવવું એ જીવલેણ સાબિત થાય છે અને સાથે જ તમે ખોરાકની સાથે કેટેલીક ખાસ બીમારીઓને પણ અજાણતા આમંત્રણ આપી દો છો. સમગ્ર દુનિયામાં લગભગ 60 ટકા વાસણો એલ્યુમિનિયમથી બનાવવામાં આવે છે. તેનુ સૌથી મોટું કારણ એ છે કે, એક તો તે અન્ય ધાતુઓની સરખામણીમાં સસ્તા અને ટકાઉ હોય છે. સાથે જ ઉષ્માના સારા સુચાલક પણ હોય છે.

શું ખરાબ અસર થાય છે

image source

એલ્યુમિનિયમના વાસણો ભલે સસ્તા પડતા હોય, પરંતુ તમારી હેલ્થ પર તેની ખરાબ અસર થાય છે. આ વાસણોમાં બનેલ ખોરાકના સેવનથી અંદાજે મનુષ્યના શરીરમાં રોજ 4 થી 5 મિલીગ્રામ એલ્યુમિનિયમ જાય છે. માનવ શરીર આટલા એલ્યુમિનિયમને શરીરની બહાર કરવામાં સમર્થ નથી હોતું. તમે ધ્યાન આપીને જોશો તો એલ્યુમિનિયમના વાસણોમાં બનેલ ભોજનનો રંગ થોડો બદલાઈ જાય છે.

image source

સ્ટીલની ધાતુ કરતાં એલ્યુમિનિયમ ધાતુ નરમ હોય છે તેથી વાસણમાં ચમચો ફેરવતી વખતે એલ્યુમિનિયમ ઉખડે છે અને ખોરાકમાં ભળે છે. એલ્યુમિનિયમ ધાતુ મગજના કોષો પર માઠી અસર કરે છે. થાક લાગે, ખાવાની રુચિ ઘટે, ચક્કર આવે, વગર કારણે શ્રમ લાગે તેથી મગજના આગલા ભાગના કોષો વારાફરથી નાશ પામે છે. આવાં વાસણમાં ખાટા પદાર્થો રાંધવામાં આવે તો તેમાં થોડા પ્રમાણમાં જસત ઓગળે છે અને ખોરાકમાં ભળે છે.

image source

આપણું જઠર જસતના આ જથ્થાનો યોગ્ય રીતે નિકાલ કરી શકતું નથી. વધારાનું જસત યકૃતમાં અને થાઇરોઇડ ગ્રંથિમાં તથા મગજના કોષોમાં એકઠું થાય છે અને જ્ઞાાનતંત્રની કાર્યવાહીને ખોરવે છે.

image source

તેનાથી યાદશક્તિ નબળી પડે છે. ક્યારેક લકવાનો હુમલો થવાની શક્યતા રહે છે. બને ત્યાં સુધી એલ્યુમિનિયમનાં વાસણોમાં રાંધેલો ખોરાક ખાવાનું ટાળો.

બીમારીની સ્વાસ્થ્ય પર કેવી અસર થશે

સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થાય છે. કેમ કે, એલ્યુમિનિયમ ખાવાની સાથે રિએક્શન કરે છે. ખાસ કરીને એસિડીક પદાર્થો જેમ કે ટામેટા. તે રિએકશન કરીને એલ્યુમિનિયમ આપણા શરીરમાં પહોંચી જાય છે. વર્ષો સુધી જો આપણે એલ્યુમિનિયમમાં ખોરાક પકવો છો, તો આ એલ્યુમિનિયમ આપણા માંસપેશીઓ, કિડની, લિવર અને હાડકામાં જમા થઈ જાય છે.

image source

જેને કારણે અનેક ગંભીર બમીરીઓ ઘર કરી જાય છે. તેથી હંમેશા લોખંડ કે માટીના પાત્રોમાં જ ભોજન પકાવવુ જોઈએ. તે તમારા ભોજનની વધુ સ્વાદિષ્ટ અને તમારા સ્વાસ્થય માટે સારુ થઈ શકે છે.

થાય છે આવી ખાસ બીમારીઓ

નબળી યાદગીરી અને ડિપ્રેશન

image source

મોઢામાં છાલા

દમ

એપેન્ડિક્સ

image source

કિડનીનુ ફેલાઈ જવું

અલ્ઝાઈમર

આંખોમાં સમસ્યા

ડાયેરિયા

0 Response to "આ પ્રકારના વાસણમાં ખાવાનું બનાવવાથી થાય છે જીવલેણ બીમારીઓ, આજથી જ બદલો આદત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel