અંતિમ સંસ્કાર કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, નહિં તો પાછળ પડશે આત્મા….
જે વ્યક્તિ આ સંસારમાં જન્મ લે છે તેમનું મરવું નિશ્ચિત છે. જન્મ અને મરણનું આ ચક્ર છે જે ચાલતું જ રહે છે. આજે અમે આપને અંતિમ સંસ્કારને લઈને કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છે જે ખુબ જ મહત્વપૂર્ણ છે. મનુસ્મૃતિમાં જણાવ્યા મુજબ અંતિમ સંસ્કાર કર્યા પછી
ક્યારેય પણ પાછળ વળીને જોવું જોઈએ નહી.
અંતિમ સંસ્કાર એક વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધીના સોળ સંસ્કાર માંથી એક સંસ્કાર છે. અંતિમ સંસ્કાર કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ રાતના સમયે થઈ જાય છે તો આ મૃત વ્યક્તિના મૃત દેહને રાતના સમયે અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. એવું એટલા માટે કેમ કે, રાતના સમયે નકારાત્મક શક્તિઓ વધતી જાય છે. જેના પરિણામ સ્વરૂપે રાતના સમયે કોઈ મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. એટલું જ નહી, રાતના સમયે મૃત વ્યક્તિના મૃતદેહને એકાંતમાં પણ રાખવામાં આવતા નથી.
જો રાતના સમયે મૃત પામેલ વ્યક્તિના મૃતદેહ એકલું રાખવાથી મૃતદેહની આસપાસ નકારાત્મક શક્તિઓ અને ભૂત- પ્રેતની આત્માઓ મૃત શરીરની આસપાસ ફરતી રહે છે આ આત્માઓ મૃત વ્યક્તિના શરીરને પોતાનો શિકાર બનાવવા માટે મીટ માંડીને રાહ જોઈ રહ્યા હોય છે.
એટલા માટે ધાર્મિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, જયરે કોઈ વ્યક્તિ રાતના સમયે મૃત્યુ થઈ જાય છે તો તે વ્યક્તિના મૃતદેહની પાસે તુલસીનો છોડ રાખી દેવામાં આવે છે. તુલસીનો છોડ રાખી દેવાથી મૃતદેહની આસપાસ કોઈ નકારાત્મક શક્તિઓ ભટકતી જોવા મળતી નથી. અને મૃતદેહને નકારાત્મક શક્તિને દુર રાખે છે.
આ વાતોનું ધ્યાન રાખવું.
જે વ્યક્તિ મૃત વ્યક્તિનું મૃતદેહને લઈને જાય છે તેમને ક્યારેય પણ પાછળ ફરીને જોવું જોઈએ નહી. પાછળ જોવાથી મૃત આત્મા એ જ
વ્યક્તિની પાછળ લાગી જાય છે. એટલા માટે એની મનાઈ કરવામાં આવી છે.
એના સિવાય પાછા ઘરે આવીને વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. આ સાથે જ મૃતદેહને કાંધ આપનાર વ્યક્તિએ લીમડાના પાંદડાને દાંતથી
ચાવીને સેવન કરવું જોઈએ અને આચમન કરવું જોઈએ. અગ્નિ, જળ, ગોબર અને સફેદ સરસોનો સ્પર્શ કરવો જોઈએ.
કોઈ પથ્થર પર પગ રાખવો જોઈએ અને ત્યાર પછી જ ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. એના સિવાય અગ્નિનો સ્પર્શ થાય છે અને પવિત્ર થવા
માટે ઘી પીવું જોઈએ. આમ કરવાથી બધી જ નકારાત્મક શક્તિઓ દુર થઈ જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અંતિમ સંસ્કાર કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, નહિં તો પાછળ પડશે આત્મા…."
ટિપ્પણી પોસ્ટ કરો