શિયાળામાં અકસીર છે ગોળની ચા, એક નહીં આપે છે આ અઢળક ફાયદા
શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જો તમે હજુ સુધી ખાંડની ચા પીઓ છો તો તમે તેને આજથી જ બંધ કરી દો તે જરૂરી છે. તમે ખાંડના બદલે ગોળનો ઉપયોગ શરૂ કરો. ગોળની પ્રકૃતિ ગરમ ગણાય છે અને તે કુદરતી ગળપણનું કામ કરે છે.
તમે ગોળની ચા પીઓ છો તો શિયાળામાં શરદી ખાંસી જ નહીં પણ આ સિવાય પણ અનેક તકલીફોમાં તે તમારી મદદ કરે છે.ગાયના દૂધ સાથે ગોળની ચા તમને સારું પરિણામ આપે છે. તો જાણો તમે ઘરે આ ચા કઈ રીતે બનાવી શકો છો અને શું છે તેના ફાયદા.
ગોળમાં હોય છે આ ખાસ વિટામીન્સ
વીટામિન્સ
આર્યન
કેલ્શિયમ
એન્ટી ઓક્સીડન્ટ્સ
એન્ટી વાયરલ
આ રીતે બનાવી લો ગોળવાળી ચા
પાણી – 2 કપ
દૂધ – 4 કપ
ગોળ – 8 ચમચી (પીસેલો)
ચા પત્તી – 4 ચમચી
વરિયાળી – 2 ચમચી
આદુ પાવડર – 1 ચમચી
નાની એલચી પાવડર – 1 ચમચી
કાળા મરી પાવડર – 1 ચમચી
સૌ પ્રથમ એક ઊંડું વાસણ લો. તેમાં પાણી, એલચી, વરિયાળી, કાળા મરી પાવડર, આદુ પાવડર તેમજ ચા પત્તી ઉમેરો. આ તમામ ચીજોને એકસાથે ઉકળવા દો. તે સારી રીતે ઉકળે અને તેમાંથી સ્મેલ આવે એટલે ગેસ બંધ કરી લો. હવે આ પાણીના મિશ્રણમાં ગોળ ઉમેરી લો. ગોળ મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરો અને ગરણીથી ગાળી લો. ગરમ ગરમ ચાને પીઓ. આમ કરવાથી અનેક રોગમાં અને ખાસ કરીને શરદી ખાંસીમાં રાહત મળે છે.
આ તકલીફોમાં રાહત આપે છે ગોળની ચા
પેટ ઓછું કરે છે
ખાંડથી શરદી વધે છે. પરંતુ શિયાળામાં ગોળની ચા પીવાથી પેટની ચરબી ઘટે છે અને શરીર સ્વસ્થ રહે છે.
પાચનતંત્ર સુધરે છે
ગોળ પાચનક્રિયાને સુધારવાનું કામ કરે છે. તેનાથી છાતીમાં બળતરા થતી નથી. તેમાં અનેક વિટામીન્સ અને ખનીજ હોય છે. ગોળની ચા પાચનતંત્રને ફાયદો કરે છે.
માઈગ્રેનમાં મળે છે રાહત
જો તમને માઈગ્રેન હોય તો ગાયના દૂધમાં ગોળ નાંખીને ચા બનાવો. આ ચાને પીવાથી તમને આ દર્દમાંથી ઝડપથી રાહત મળે છે.
વજનને રાખશે કંટ્રોલમાં
ગોળને કુદરતી ગળપણ ગણવામાં આવ્યું છે. ખાંડડના ઉપયોગથી તમારું વજન વધે છે પરંતુ ગોળનો ઉપયોગ વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે.
0 Response to "શિયાળામાં અકસીર છે ગોળની ચા, એક નહીં આપે છે આ અઢળક ફાયદા"
ટિપ્પણી પોસ્ટ કરો