જો બાળક ના થતું હોય તો કરો આ ઉપાય, થોડા જ સમયમાં તમારી આ ઇચ્છા થઇ જશે પુરી…
નિ:સંતાન દંપત્તિઓએ સંતાન પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી અવશ્ય આ પ્રભાવિત ઉપાયોને એકવાર અજમાવવા જોઈએ.
લગ્ન કરી લીધા પછી ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ કેટલાક એવા દંપત્તિઓ હોય છે જેમના દ્વારા લાખો પ્રયત્નો કરવા છતાં પણ સંતાનસુખ પ્રાપ્ત કરી શકતા નથી. જેના લીધે એક વિવાહિત દંપત્તિના લગ્નજીવન પર ઘણી ઊંડી અસર પાડે છે. એટલા માટે ઘણા બધા દંપત્તિઓ સમય રહેતા સંતાન મેળવવા માટે પ્રયત્નો શરુ કરી દેતા હોય છે. આવી પરિસ્થિતિમાં કેટલીક એવી વસ્તુઓ હોઈ શકે છે જે એમની અસફળતાનું કારણ બની શકે છે.

આ અસફળતાના કેટલાક કારણો માંથી એક કારણ ઘરમાં રહેલ વાસ્તુદોષ પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. જેને આપ કેટલાક ઉપાયો કરીને દુર કરી શકો છો આજે અમે આપને એવા જ કેટલાક ઉપાયો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેને કરવાથી નિ:સંતાન દંપત્તિને સંતાન પ્રાપ્તિનું સુખ માણી શકે છે.

નિ:સંતાન દંપત્તિઓએ આ ઉપાયોને એકવાર જરૂરથી અજમાવવા જોઈએ.:
-વિવાહિત દંપત્તિએ પોતાના ઘરમાં શુક્લ પક્ષમાં આવતા ગુરુવારના દિવસે એક પિત્તળના લડ્ડુ ગોપાલજીની મૂર્તિને સ્થાપિત કરવી જોઈએ અને આ પિત્તળના લડ્ડુ ગોપાલજીની મૂર્તિનું એક નાના બાળકની જેમ પાલન- પોષણ કરવું જોઈએ.
-વિવાહિત દંપત્તિને સંતાન નથી થઈ રહ્યા તો તેમણે પોતાના પરિવારના અન્ય નાના બાળકને કે પછી પોતાની આસપાસ રહેતા પરિવારના કોઈ નાની ઉમરના બાળકની સાથે ભોજન કરવું જોઈએ અને શક્ય હોય તો આપે તે બાળકની થાળીમાં રહી ગયેલ ભોજન પણ જરૂરથી ખાઈ લેવું જોઈએ. આ ઉપાય આપના માટે અત્યંત જ ફળદાયી સાબિત થઈ શકે છે.

-ભગવાન ગણેશની એક નાની મૂર્તિને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ અને ભગવાન ગણેશની આ નાની મૂર્તિને રોજ નિયમિતપણે એક લાડવાનો ભોગ ધરાવવો જોઈએ, આપે રોજ પંખીઓને ચણ નાખવું જોઈએ.
-નિ:સંતાન દંપત્તિઓને પોતાની સંતાન પ્રાપ્તિની ઈચ્છાને પૂર્ણ કરવામાં આવતા વિઘ્નોને દુર કરવા માટે આપે દર રવિવારના દિવસે દહીં અને માખણનો ભોગ ભગવાન શ્રીકૃષ્ણને ધરાવવો જોઈએ અને ત્યાર બાદ તે ભોગને પોતે જ ગ્રહણ કરી લેવો જોઈએ.

-ઘણી વાર સંતાન પ્રાપ્ત કરવા સમયે એવું પણ થાય છે કે, મહિલાના ગર્ભમાં જ સંતાનનું જીવન પૂર્ણ થઈ જાય છે તો આવી મહિલાઓએ પોતાના ઘરના મંદિરમાં આપે મંગળવારના દિવસે એકવીસ નાગરવેલના પાનને લઈને આપે પાનના પાંદડા પર સિંદુરની મદદથી ‘શ્રીરામ’ લખવું અને ત્યાર બાદ આ એકવીસ પાનના પાંદડાને હનુમાનના મંદિરમાં લઈ જવા જોઈએ અને ત્યાર બાદ તેને એક લાલ કપડામાં બાંધી લેવા જોઈએ કે પછી વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જો બાળક ના થતું હોય તો કરો આ ઉપાય, થોડા જ સમયમાં તમારી આ ઇચ્છા થઇ જશે પુરી…"
ટિપ્પણી પોસ્ટ કરો