જો તમે શનિવારના દિવસે કરશો આ નાનકડું કામ, તો જીવન થઇ જશે ધન્ય અને ક્યારે નહિં પડે કોઇ તકલીફ
શનિવારના દિવસે શનિદેવ અને હનુમાનજીની પૂજા- અર્ચના કરવામાં આવે છે. શનિવારના દિવસે શનિદેવ અને હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કેટલાક સરળ ઉપાયોની મદદથી પણ કરવામાં આવે છે. આજે અમે આપને શનિવારના દિવસે કરી શકાતા કેટલાક ઉપાયો વિષે જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ આ ઉપાયો વિષે.
-શનિવારના દિવસે સવારના સમયે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી હનુમાનજીની પૂજા કરો. આપે પૂજામાં હનુમાનજીને કોઈ ગળી વસ્તુનો ભોગ ધરાવવો જોઈએ. નિયમિત રીતે હનુમાનજીની પૂજા કરવાથી શનિ ગ્રહના અશુભ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે.
-આપે શનિવારના દિવસે પૂજા કરતા સમયે હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.
-શનિવારના દિવસે હનુમાનજીની સામે દીવો પ્રગટાવ્યા પછી હનુમાન ચાલીસાનું પઠન કરો. શનિવારના દિવસે જો સંભવ હોય તો હનુમાન ચાલીસના એક કરતા વધારે વાર પઠન કરવું. જો આપ નિયમિત રીતે હનુમાન ચાલીસાનું પઠન નથી કરતા તો આજથી જ નિયમિત રીતે હનુમાન ચાલીસના પાઠ કરવાનો નિયમ બનાવી લો.
-શનિવારના દિવસે સુંદરકાંડના પથનું ખુબ જ વધારે મહત્વ હોય છે. શનિવારના દિવસે સુંદરકાંડના પાઠ કરવાથી શનિ ગ્રહની ખરાબથી ખરાબ દશા પણ ટળી જાય છે. સુંદરકાંડના પાઠ કરવાથી આપના જીવનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે અને આત્મવિશ્વાસ પણ વધી જાય છે.
મંત્ર જાપ:
શનિવારના દિવસે મંત્ર જાપ કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને શનિ ગ્રહની દશાથી મુક્તિ મળે છે.
મંત્ર:
ऊॅं राम रामदूताय नम:
આ મંત્રના જાપ કરવાથી આપની તમામ પ્રકારની મુશ્કેલીઓ દુર થઈ જાય છે. શક્ય હોય તો નિયમિત આ મંત્રના જાપ કરવા જોઈએ.
ऊॅं हं हनुमंते नम:
હનુમાનજીના આ મંત્ર ખુબ જ પ્રભાવશાળી છે. આ મંત્રના જાપ કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આપે આ મંત્રના જાપ નિયમિત રીતે કરવા જોઈએ.
-રામ નામના સંકીર્તન કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. ભગવાન રામના નામનું સંકીર્તન કરવાથી આપની તમામ મુશ્કેલીઓ દુર થઈ જાય છે.
-આપે શનિદેવને પૂજામાં ગંધ, ચોખા, ફૂલ, તેલ, તલ, કાળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. આ સાથે જ શનિદેવને તલની
વાનગીઓનો ભોગ ધરાવવો જોઈએ. તેમજ આપે શનિદેવના મંત્રનો જાપ કરવા જોઈએ. આપે શનિદેવની પૂજા- અર્ચના કરી લીધા પછી ધૂપ- દીપ આરતી કરી લીધા પછી સફળતા અને સૌભાગ્યની મનોકામના વ્યક્ત કરવી.
શનિ સ્મરણ મંત્ર:
नीलाञ्जनं समाभासं रविपुत्रं विनायकम्।
छायामार्तण्ड सम्भूतं तं नमामि शनैश्चरम्।। …
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "જો તમે શનિવારના દિવસે કરશો આ નાનકડું કામ, તો જીવન થઇ જશે ધન્ય અને ક્યારે નહિં પડે કોઇ તકલીફ"
ટિપ્પણી પોસ્ટ કરો