જો આ નંબરોના ફોન ઉઠાવશો તો ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, સૌથી મોટી બેંકે આપ્યું એલર્ટ

આજકાલ દેશમાં દગાખોરીના કેસ વધી રહ્યા છે. આ સમયે બેંકના નામે ફ્રોડ કરનારાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જો તમે પણ એલર્ટ નહીં રહો તો તમે આવા ફ્રોડનો ભોગ બની શકો છો અને સાથે તમારું લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. બેંક તેના ગ્રાહકોને વારેઘડી આ માટે એલર્ટ કરતી રહે છે પણ તમારે પણ ખાસ સાવધાની રાખવી જરૂરી બની છે.

image source

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ પોતાના ગ્રાહકોને માટે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં બેંકે તેના ગ્રાહકોને એલર્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. બેંકે ટ્વિટમાં ગ્રાહકોને ચેતવણી આપી છે કે આજકાલ લોકો એસબીઆઈ બેંકના નામે ફોન કરીને તેમની પર્સનલ ડિટેલ્સ માંગી રહ્યા છે. જો તમારી પાસે પણ આવો ફોન આવે છે તો સાવધાન થઈ જાઓ અને જાણકારી કે ખરાઈ કર્યા વિના તમારી કોઈ ડિટેલ્સને તેમની સાથે ફોન પર શેર ન કરો. એવામાં જો તમે ધ્યાન નહીં રાખો અને એક નાની ભૂલ કરશો તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે અને તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

હાલમાં બનેલી એક ઘટનામાં એક વ્યક્તિને ફોન આવ્યો અને તેને પોતાને એસબીઆઈ બેંકનો અધિકારી કહ્યું અને સાથે ગ્રાહકની વિગતો જાણીને તેના ખાતામાંથી 2.22 લાખ રૂપિયાની દગાખોરી કરી. આ ઘટના બાદ ગ્રાહક બેંક પહોચ્યા અને વિગત તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ફ્રોડ કોલ હતો. તો હવેથી તમે પણ એલર્ટ રહો. તમને કોઈ પણ ફોન આવે અને બેંક ડિટેલ્સ માંગવામાં આવે તો ચેતો. તેમને કોઈ જાણકારી ન આપો. આ ચેતવણી તમારા હિતમાં છે.

કેવાયસી વેરિફિકેશનના નામે આવી રહ્યા છે કોલ

image source

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના તમામ ગ્રહકોને એલર્ટ કરતાં કહ્યું છે કે કેટલાક સાઈબર ઠગ બેંક અધિકારીના નામે કેવાયસી વેરિફિકેશનની ડિટેલ્સ માંગી રહ્યા છે. આમ કર્યા બાદ તેઓ તમારા ખાતાામાંથી મોટી રકમ કાઢી લેતા હોય છે. બેંકે સ્પષ્ટ કર્યં છે કે એવા કોલ કે મેસેજથી સાવાધાન રહો.

image source

એસબીઆઈએ કહ્યું છે કે આજકાલ ફ્રોડ વધી રહ્યું છે અને વ્યક્તિગત માહિતી કંપનીના પ્રતિનિધિના નામે ફ્રોડ લોકો મેળવી રહ્યા છે. જો તમારી પાસે આવો કોઈ ફોન કે ટેક્સ્ટ મેસેજ આવે છે તો તમારે તરત જ cybercrime.gov.in જાણ કરવાની રહે છે.

image source

એસબીઆઈના એક ગ્રાહક સાથે આવું બન્યું છે. તેની પર ફોન આવ્યો અને તેણે પોતાની જાણકારી શેર કરી. પછી નેટ બેંકિંગની મદદથી ફ્રોડ વ્યક્તિએ તેના નામે એકાઉન્ટ વેરિફાઈના બહાને 10 રૂપિયા નાંખ્યા અને કહ્યું કે તમે મોબાઈલ બેંકિંગની મદદથી રકમ ટ્રાન્સફર કરી શકો છો. આવું કર્યા બાદ તરત જ તેના ખાતામાંથી 1.35 લાખ રૂપિયા કપાઈ ગયા હતા. ગ્રાહકે જ્યારે કોલરને ડેબિટ કાર્ડથી 10 રૂપિયા આપવા કહ્યું ત્યારે ફરીથી ખાતામાંથી 72000 રૂપિયા કપાયા, આમ આ ગ્રહકના કુલ 2.22 લાખ રૂપિયાની રકમ ખાતામાંથી કપાઈ ગઈ અને તે ફ્રોડ કોલનો શિકાર બન્યો. તો હવેથી એસબીઆઈના અધિકારીના નામે પણ કોલ આવે તો સાવધાન રહો અને તમારી કોઈ પર્સનલ ડિટેલ્સ શેર ન કરો તે ઈચ્છનીય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "જો આ નંબરોના ફોન ઉઠાવશો તો ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, સૌથી મોટી બેંકે આપ્યું એલર્ટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel