‘યહા આને વાલે કે પાંવ કે નિશાન મિલતે હૈ જાને વાલે કે નહીં’ ફિલ્મના ડાયલોગની યાદ અપાવે છે આ ગામ

આ વિશ્વ રહસ્યોથી ભરેલું છે. પૃથ્વી પર ઘણા રહસ્યમય સ્થાનો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. વિશ્વમાં ઘણા એવા રહસ્યો છે જેને ઉકેલવા વૈજ્ઞાનિકો માટે પણ અસંભવ સાબિત થઈ રહ્યા છે. આજે અમે તમને આવા જ એક અનોખા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે કહેવામાં આવે છે કે જે પણ ત્યાં ગયો તે ક્યારેય પાછો આવ્યો નથી. આ રહસ્યમય ગામને ‘મૃતકોનું શહેર’ પણ કહેવામાં આવે છે.

ડરને કારણે આ સ્થળે કોઈ આવતું નથી

image source

વાસ્તવમાં આ ગામ રશિયાના ઉત્તર ઓશોટિયાના દર્ગાવ્સમાં છે. આ વિસ્તાર ખૂબ જ નિર્જન છે. ડરને કારણે આ સ્થળે કોઈ આવતું નથી. ઉંચા પર્વતોની વચ્ચે છુપાયેલા આ ગામમાં સફેદ પથ્થરમાં લગભગ 99 ભોંયરાઓ છે, જ્યાં સ્થાનિક લોકોએ તેમના પરિવારોના મૃતદેહને દફનાવી દીધા છે. આમાંથી કેટલાક મકાનો ચાર માળના પણ છે

પ્રવાસીઓ આ સ્થાનનું રહસ્ય જાણવા આવતા રહે છે

image source

આ કબરો 16 મી સદીમાં બાંધવામાં આવી હોવાનું કહેવાય છે. તે એક વિશાળ કબ્રસ્તાન છે. એવું કહેવામાં આવે છે કે દરેક ઇમારત એક પરિવાર સાથે સંબંધિત હોય છે, જેમાં ફક્ત તે જ પરિવારના સભ્યોને દફનાવવામાં આવે છે. એટલું જ નહીં, સ્થાનિકોમાં આ સ્થાન વિશે વિવિધ માન્યતાઓ પણ છે. તેઓ માને છે કે આ ઝૂંપડપટ્ટીજેવી ઇમારતોની મુલાકાત લેનાર કદી પાછો આવતો નથી. જો કે, અવારનવાર પ્રવાસીઓ આ સ્થાનનું રહસ્ય જાણવા આવતા રહે છે.

અહીંનું હવામાન હંમેશાં ખરાબ રહે છે

image source

આ સ્થાન પર પહોંચવાનો માર્ગ પણ ખૂબ મુશ્કેલ છે. અહીં પહાડોની વચ્ચેના સાંકડા માર્ગોથી પસાર થવામાં લગભગ ત્રણ કલાકનો સમય લાગે છે. અહીંનું હવામાન હંમેશાં ખરાબ રહે છે, જે મુસાફરી માટે એક મોટો અવરોધ છે.

image source

પુરાતત્ત્વવિદોના કહેવા મુજબ અહીં કબરો નજીક બોટ મળી આવી છે. નૌકાને લઇને સ્થાનિકોમાં એવી માન્યતા છે કે સ્વર્ગ સુધી પહોંચવા માટે આત્માએ નદી પાર કરવી પડે છે, તેથી મૃતદેહને બોટ પર રાખીને દફનાવવામાં આવ્યા હતા.

પુરાતત્ત્વવિદોએ ભોંયરાની સામે કૂવો પણ શોધી કાઢ્યો

image source

પુરાતત્ત્વવિદોએ દરેક ભોંયરાની સામે એક કૂવો પણ શોધી કાઢ્યો છે, જેના એમ કહેવામાં આવે છે કે લોકો તેમના સબંધીઓને અહીં દફનાવ્યા બાદ કુવામાં સિક્કા ફેંકે છે. જો સિક્કો તળિયે હાજર પત્થરો સાથે ટકરાય તો તેનો અર્થ એ કે આત્મા સ્વર્ગમાં પહોંચી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "‘યહા આને વાલે કે પાંવ કે નિશાન મિલતે હૈ જાને વાલે કે નહીં’ ફિલ્મના ડાયલોગની યાદ અપાવે છે આ ગામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel