અસ્થામાથી પીડિત લોકોએ શિયાળામાં ખાસ રાખવું આ ધ્યાન, સાથે જાણો અસ્થમા એટેકથી બચવા શું કરશો
ઠંડીમાં માંદા પડવાથી કેવી રીતે બચવું:અસ્થમાથી પીડાતા લોકોએ વધારે સાવચેતી રાખવી, શિયાળામાં સ્વસ્થ રહેવાના ઉપાયો જાણો!
શિયાળાની ઋતુ આવી ગઈ છે. હવે આપણે સવાર અને રાત દરમિયાન ઠંડી અનુભવીએ છીએ. આ સિઝન ખાવા-પીવાની મજા માણવા અને રજાઓ માટે જાણીતી છે. પરંતુ આ સિઝનમાં બીમાર પડવાનું જોખમ પણ એટલું જ રહેતું હોય છે.

શિયાળાની ઋતુમાં અસ્થમા અને સાંધાના દુખાવાની તકલીફોમાં વધારો થાય છે. સિનિયર સિટીઝન અને બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ સિઝનમાં, ઉકાળો, તુલસીનો છોડ અને હળદરનું દૂધ ખૂબ જ અસરકારક ઉપાય છે, જે તમને માંદા પડતા બચાવી શકે છે.
અસ્થમા ખૂબ જ તકલીફ આપનાર રોગ છે. આ કોઇ પણ ઉંમરમાં થઇ શકે છે. તેનાથી પીડિત દર્દીને શ્વસન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે કેટલીક સાવધાનીઓ રાખીને તેને નિયંત્રિત કરી શકાય છે. મોટાભાગે શિયાળામાં અસ્થમા દર્દીની પરેશાની વધી જાય છે.

ગંભીર પરિસ્થિતિમાં તેના કારણે દર્દીને અસ્થમા અટેક આવવા લાગે છે. અસ્થમાનો અટેક આવવાના કેટલાય કારણ થઇ શકે છે. ત્યારે પ્રદૂષણ, સિગરેટનો ધુમાડો અને શરદી વગેરે પણ તેનું કારણ હોઇ શકે છે. શિયાળામાં આ સમસ્યા વધારે વધી જાય છે.
શિયાળાની ઋતુમાં અસ્થમા અટેકથી બચવા માટે વધારે સાવધાની રાખવાની જરૂર પડે છે. તેનું કારણ છે કે ઠંડી અને શુષ્ક હવા અને ઋતુમાં થતા બદલાવથી તેના દર્દીઓને અસ્થમા અટેક આવી શકે છે. હેલ્થલાઇનના એક રિપોર્ટ અનુસાર કેટલીક સાવધાનીઓ રાખવાથી અટેકને અટકાવવામાં મદદ મળી શકે છે.
બહાર નિકળવાથી બચો

અસ્થમા અટેકને અટકાવવા માટે જરૂરી છે કે તાપમાન ખૂબ જ ઓછુ હોવાને લીધે ઘરની અંદર જ રહેવાનો પ્રયાસ કરો. બહાર ન જાઓ. જો તમારે બહાર જવું પડે તો શ્વાસ લેતાં પહેલા પોતાના નાક અને મોંઢાને સ્કાર્ફથી સારી રીતે ઢાંકી લો. તેનાથી હવા લાગશે નહીં અને પરેશાની વધશે નહીં.
ડાયેટમાં ફેરફાર કરો
શિયાળામાં પોતાના આહારમાં જરૂરી ફેરફાર કરો. વધારે પ્રવાહી પદાર્થોનું સેવન કરો. આ તમારા ફેફસાંમાં લાળને પાતળુ રાખી શકે છે અને એટલા માટે આ સમસ્યા નિયંત્રણમાં રહી શકે છે. વધારે કફ જમા થઈ જાય તો અસ્થમાના દર્દીઓની મુશ્કેલી વધી શકે છે. અજમા સાથે નાની પીપર અને ખસખસનો ઉકાળો પીવાથી તરત જ આરામ મળે છે. આદુ અને સૂકાયેલું આદું અસ્થમા પીડિતો માટે ઘણું કારગત છે. ભોજન અને ચામાં આદુનો પ્રયોગ કરો. સૂકા આદુને મધ સાથે લો.

ઈન્ફેક્શનથી બચો
તે લોકોથી દૂર રહો જે બીમાર છે. તેનાથી તમે કોઇ પણ પ્રકારના વાયરલ ઈન્ફેક્શનથી બચી શકશો અને બીમાર પણ પડશો નહીં. આ સાથે જ તમારી સમસ્યા વધશે નહીં.

ઘરને સાફ રાખો
ઈનડોર એલર્જીને દૂર કરવા માટે પોતાના ઘરને સંપૂર્ણપણે સાફ રાખો. ઘરને વૈક્યૂમ કરો અને ધૂળ ન થવા દેશો. કારણ કે મોટાભાગની ધૂળ, માટીના કારણે પણ આ સમસ્યા વધવા લાગે છે. ધૂળના કણ સાફ કરવા માટે દર અઠવાડિયે પોતાની ચાદર અને ધાબળાને ગરમ પાણીમાં ધોઇ નાંખો.

ઠંડીની ઋતુમાં જ્યારે તમે બહાર કસરત કરો છો ત્યારે અસ્થમા અટેકને અટકાવવા માટે કેટલીક રીત અજમાવો
- કસરત કરવાના 15 થી 30 મિનિટ પહેલા પોતાના ઈન્હેલરનો ઉપયોગ કરો. આ તમારા વાયુમાર્ગને ખોલે છે, જેથી તમે સરળતાથી શ્વાસ લઇ શકો.
- અસ્થમા અટેકની પરિસ્થિતિમાં પોતાની સાથે એક ઈન્હેલર રાખો.
- વર્કઆઉટ કરતાં પહેલા ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ સુધી વાર્મઅપ કરો.
- જે હવામાં તમે શ્વાસ લો છો, તેને ગરમ કરવા માટે પોતાના ચહેરા પર માસ્ક અથવા સ્કાર્ફ પહેરો.

અસ્થમા અટેક આ કારણોસર આવી શકે છે
- તંબાકૂનો ધુમાડો
- ધૂળના રજકણ
- પ્રાણીઓ વગેરેથી એલર્જી
- તણાવ
- બેક્ટેરિયલ અથવા વાયરલ ઈન્ફેક્શન
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "અસ્થામાથી પીડિત લોકોએ શિયાળામાં ખાસ રાખવું આ ધ્યાન, સાથે જાણો અસ્થમા એટેકથી બચવા શું કરશો"
ટિપ્પણી પોસ્ટ કરો