પેટમાં થતી ગેસની તકલીફથી કંટાળી ગયા છો? તો આજથી જ અપનાવો આ ઘરેલું ઉપાયો અને મેળવો છૂટકારો
પેટમાં ગેસ હોવું સામાન્ય છે. પરંતુ ઘણી વખત આ સમસ્યા એટલી વધી જાય છે કે છાતીમાં દુખાવો પણ થવા લાગે છે અથવા ગેસ માથામાં જાય છે અને ઉલ્ટીની સમસ્યા પણ થવા લાગે છે. આ સમસ્યા દૂર કરવા માટે ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ. ઘરેલુ ઉપાયથી આ સમસ્યા દૂર કરી શકાય છે. આજે અમે તમને આવી જ કેટલીક રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમારા ગેસની સમસ્યા મૂળમાંથી દૂર થશે.
હીંગ

ગેસ, એસિડિટીની સમસ્યાને નિયંત્રણમાં રાખવા માટે હીંગનું સેવન ખૂબ અસરકારક છે. એક ગ્લાસ ગરમ પાણીમાં હીંગ મિક્સ કરીને પીવાથી ગેસ અથવા એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.
તજ

તજ તમારી ગેસની સમસ્યાને દૂર કરી શકે છે. આ માટે તજને પાણીમાં ઉકાળો અને તે પાણીને ગાળી લો. આ પાણી પીવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.
કાળા મરી
કાળા મરી ગેસની સમસ્યાને દૂર કરી શકે છે. કાળા મરીની ચા ગેસ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
લસણ
લસણ ગેસ અથવા એસીડીટીની સમસ્યાથી રાહત આપી શકે છે. ગેસ અથવા એસીડીટીની સમસ્યા દૂર કરવા માટે દરરોજ કાચા લસણનું સેવન કરો.
જીરું
જો પેટમાં ગેસની સમસ્યા હોય તો જીરું તમારા માટે ખૂબ ઉપયોગી છે. તમે જીરુંને સલાડ, સૂપ, દહીં અથવા કાળા મીઠા સાથે મિક્સ કરીને શિકંજી બનાવીને પણ પી શકો છો.
અજમો

અજમો, જીરું, નાની હરડ અને કાળું મીઠું સમાન પ્રમાણમાં ગ્રાઇન્ડ કરો અને આ મિક્ષણનું સેવન પાણી સાથે કરવું. પુખ્ત વયના લોકો જમ્યા પછી તરત જ 2 થી 6 ગ્રામ મિક્ષણ પાણી સાથે લો. બાળકો માટેના પ્રમાણમાં ઘટાડો કરો .
કાળા મરી
ગેસની સમસ્યા દૂર કરવા માટે કાળા મરી ફાયદાકારક માનવામાં આવે છે. તમે કાળા મરીને દૂધમાં ભેળવીને પણ પી શકો છો.
છાસમાં

છાસ પેટમાં ઠંડક આપે છે. તેથી છાસ તમારા ગેસની સમસ્યા દૂર કરી શકે છે. આ માટે છાશમાં કાળું મીઠું અને અજમો મિક્સ કરીને પીવો.
ગેસની સમસ્યા થવા પર આ ચીજોથી દૂર રહો.

– જો કોઈ કારણોસર તમે બહારનો ખોરાક ખાવ છો, તો ઓછામાં ઓછું મસાલેદાર ખોરાક ખાવાનો પ્રયત્ન કરો. વધુ મસાલેદાર ખોરાક લેવાનું ટાળો. આ એટલા માટે કારણ કે બહારનું ખોરાક પોષક નથી હોતું અને આ ખોરાક સ્વચ્છ બનાવવામાં નથી આવતું. આ સિવાય તેને રાંધવા માટે વપરાતું તેલ અને મસાલા પચવામાં થોડું મુશ્કેલ હોય છે. તેથી પેટમાં કબજિયાત થાય છે અને કબજિયાતને કારણે પેટમાં ગેસ થાય છે. જો તમારે કોઈ કારણસર બહાર જમવાનું હોય તો થોડો હળવો ખોરાક ખાવાનો પ્રયત્ન કરો.
– જો તમે કોઈ સમસ્યાને કારણે એન્ટિબાયોટિક્સ ખાવ છો તો તેના કારણે પેટમાં ગેસની સમસ્યા પણ થઈ શકે છે. ખરેખર, આ દવાઓ ખાવાથી પેટમાં પાચક શક્તિ રહે તેવા ‘સારા બેક્ટેરિયા’ ની સંખ્યા ઓછી થાય છે, જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને ગેસની મુશ્કેલીઓ શરૂ થાય છે. જો કોઈ કારણોસર તમારું પેટ સાફ થઈ શકતું નથી, તો પછી ગેસની સમસ્યાઓ વધતી રહેશે. આવી સ્થિતિમાં, તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ, જેથી તે તમને તમારી સમસ્યાનું નિરાકરણ લાવવાનો ઉપાય જણાવી શકે.

– લોકોના પેટમાં હંમેશા ગેસની સમસ્યા હોય છે, તેઓએ વધારે પડતી ચા અને કોફી ન પીવી જોઇએ કારણ કે ચા અને કોફીમાં જે પ્રકારનું તત્વ જોવા મળે છે, તે આપણા પેટમાં ગેસ ઉત્પન્ન કરવા માટે અસરકારક છે. જો તમે ચા અથવા કોફીનું વધુ પડતું સેવન કરો છો, તો તમારા પેટમાં વારંવાર ગેસની તકલીફ થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "પેટમાં થતી ગેસની તકલીફથી કંટાળી ગયા છો? તો આજથી જ અપનાવો આ ઘરેલું ઉપાયો અને મેળવો છૂટકારો"
ટિપ્પણી પોસ્ટ કરો