વૈજ્ઞાનિકોની ચેતવણી: જો ‘આવું’ નહિં થાય તો કોરોનાનો ઇલાજ મુશ્કેલ, દરેક વ્યક્તિ માટે આ વાત જાણવી ખાસ જરૂરી કારણકે…
ભારતની તમામ કોરોના વાયરસની વેક્સીન જ નકામી થઈ જશે, ગંભીર બેદરકારી આવી સામે
આખરે સંક્રમણમાં આટલો ઝડપી ઉછાળો આવવાનું કારણ શું છે? શું વાયરસનો કોઈ નવો વેરિઅન્ટ પેદા થયો છે કે જે આટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે? નિષ્ણાતોના મતે, ભારત કોરોના સંક્રમણનાં પોઝિટિવ સેમ્પલોની પ્રયોગશાળાઓમાં પૂરતા પ્રમાણમાં તપાસ કરવામાં નિષ્ફળ રહ્યું છે, આથી આપણી પાસે પૂરતો ડેટા જ નથી, જેનાથી ઝડપથી વધતા કેસનું કારણ સમજવામાં મદદ મળી શકે. ભારતમાં કોરોનાની બીજી લહેર કહેર વરસાવી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યાં દરરોજ સરેરાશ 11000 નવા કેસ સામે આવી રહ્યા હતા, એ હવે 9 ગણાથી પણ વધુ ઉપર ગયા છે. મંગળવારે દેશભરમાં કોરોના સંક્રમણના 1 લાખ 15 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા.
હોસ્પિટલોમાં ઈલાજ મુશ્કેલ બની શકે

બ્લૂમબર્ગના તાજેતરના એક રિપોર્ટમાં એક્સપર્ટના હવાલાથી ચેતવણી અપાઈ છે કે જો ભારત જિનેટિક સિક્વન્સિંગના આંકડાઓને ઝડપથી નહીં વધારે તો ઈલાજ તો મુશ્કેલ થશે જ, પણ એવી હાલત થશે કે વેક્સિનની પણ વાયરસ પર કોઈ ખાસ અસર નહીં થાય. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે જો ભારત પોઝિટિવ સેમ્પલોનું ઝડપથી જિનેટિક સિક્વન્સિંગ નહીં કરે તો કોરોના વિરુદ્ધ તેની લડાઈ ખૂબ નબળી થઈ જશે. હોસ્પિટલોમાં કારગત ઈલાજ નહીં થઈ શકે અને ન તો વાયરસ વિરુદ્ધ વેક્સિન કામમાં આવશે.
વાસ્તવમાં કોરોના સંક્રમણ વિરુદ્ધની લડાઈમાં ટેસ્ટિંગ તો અગત્યનું છે જ પણ, એનાથી વધુ અગત્યનું છે પોઝિટિવ સેમ્પલોની જિનોમ સિક્વન્સનો અભ્યાસ. જે લોકો સંક્રમિત મળે છે એમાંથી તમામનાં સેમ્પલોની આગળ એ વાતની તપાસ થાય છે કે વાયરસનો કોઈ નવો વેરિએ્ટ તો પેદા થઈ રહ્યો નથીને અથવા તો એમાં કોઈ એવો ફેરફાર તો થઈ નથી રહ્યો ને કે જે વધુ ખતરનાક અને ચેપી હોય. યુનિવર્સિટી ઓફ મિશિગનની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રોફેસર ભ્રમર મુખર્જીના જણાવ્યા અનુસાર, ભારત પાસે કોરોનાવાયરસના નવા વેરિએન્ટ અંગેનો પૂરતો ડેટા જ નથી, જેનાથી ખ્યાલ આવે કે સંક્રમણમાં અચાનક જબરદસ્ત ઉછાળાનું કારણ કેટલાક નવા વેરિએન્ટ છે કે કેમ.

ડિસેમ્બરમાં 10 સરકારી લેબમાં શરૂ થયું હતું જિનેટિક સિક્વન્સિંગ
બ્રિટનમાં કોરોનાવાયરસના નવા વેરિએન્ટ મળ્યા પછી જ્યારે ગત વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં પણ ત્યાંથી આવનારા કેટલાક મુસાફરો એનાથી સંક્રમિત હોવાના કેસ સામે આવ્યા ત્યારે નવી દિલ્હીએ સેમ્પલોની તપાસ માટે 10 સરકારી લેબના કન્સોર્ટિયમની રચના કરી. જોકે જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી ભારતે માત્ર 11064 સેમ્પલોનું સિક્વન્સિંગ કર્યું હતું. આ જાણકારી આરોગ્ય મંત્રાલયે 30 માર્ચે આપી હતી. આ રીતે ભારતમાં એ સમયે નવા કેસોના 0.6 ટકાથી પણ ઓછાં સેમ્પલોનું સિક્વન્સિંગ થયું.
દેશમાં યુકે વેરિએન્ટના 807, આફ્રિકન સ્ટ્રેનના 47 કેસ
આરોગ્ય મંત્રાલયના અનુસાર, ભારતમાં 30 માર્ચ સુધીમાં કોરોનાના યુકે વેરિએન્ટ સાથે જોડાયેલા 807 કેસ, દક્ષિણ આફ્રિકન સ્ટ્રેનના 47 અને બ્રાઝિલિયન વેરિએન્ટનો એક કેસ સામે આવ્યો હતો. મંત્રાલય કહેતું રહ્યું છે કે નવા કેસોમાં ઝડપી ઉછાળાને નવા વેરિએન્ટ સાથે કોઈ સંબંધ નથી. અત્યારસુધી જે અભ્યાસ થયા છે, તેના અનુસાર આ નવા સ્ટ્રેનમાંથી કેટલાક ઘણા ઝડપથી ફેલાય એવા છે, જ્યારે એમાંથી એક ખૂબ ઘાતક છે. એક અન્ય સ્ટ્રેનમાં સંક્રમણમાંથી બહાર આવી ચૂકેલા લોકોને ફરી સંક્રમિત કરવાની ક્ષમતા છે.

જેટલું વધુ સંક્રમણ, વાયરસના મ્યૂટેન્ટ થવાની શક્યતા પણ એટલી જ વધુ
ભ્રમર મુખર્જી કહે છે, ‘તમે સંક્રમણને જેટલું વધુ ફેલાવા દેશો, વાયરસ મ્યૂટેન્ટ થવાની શક્યતા પણ એટલી વધશે.’ હૈદરાબાદસ્થિત સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (સીસીએમબી) પણ ભારતના એ 10 લેબમાં સામેલ છે, જ્યાં પોઝિટિવ સેમ્પલોનું જિનેટિક સિક્વન્સિંગ થઈ રહ્યું છે. સીસીએમબીના ડાયરેક્ટર રાકેશ મિશ્રા સિક્વન્સિંગના પડકારો વિશે કહે છે, ‘ભારત પાસે જિનોમ સિક્વન્સિંગ માટે પૂરતી લેબ ક્ષમતા છે, પણ દેશભરમાંથી નિયમિત રીતે સેમ્પલ મેળવવા પડકારરૂપ છે. ખાસ કરીને સુદૂર ગ્રામીણ વિસ્તારો અને સંભવિત સુપરસ્પ્રેડર ઈવેન્ટ્સથી સેમ્પલોને નિયમિત રીતે હાંસલ કરવા એ સમસ્યા છે.’
પ્રથમ લહેરથી પણ વધુ ખતરનાક છે બીજી લહેરઃ નિષ્ણાતો
કેરળસ્થિત અર્થશાસ્ત્રી અને પબ્લિક હેલ્થ પોલિસી એનેલિસ્ટ રિજો એમ. જોનના અનુસાર, વેક્સિનેશનની ધીમી ગતિ, લોકોની બેદરકારી, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા નિયમોનું પાલન નહીં કરવાને કારણે નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. જોન વિશ્વ આરોગ્ય સંગઠન સાથે પણ કન્સલ્ટન્ટ તરીકે જોડાયેલા છે. તેઓ ભારતમાં બીજી લહેર અંગે ચેતવણી આપે છે, ‘અત્યારસુધી બીજી લહેર ઓછી ઘાતક છે, એટલે કે મૃત્યુદર ઓછો છે, પણ એ પ્રથમ લહેરથી ઘણી વધુ ખરાબ રહેશે.’ જોનના અનુસાર, લોકોમાં વેક્સિન અંગે ખચકાટ ઓછો કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં સરકાર પોતાનાં જ લક્ષ્યથી ઘણી પાછળ છે.

માત્ર કોરોનાને વેક્સિનેશનથી અટકાવી શકાય છે
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST)ના સચિવ અને દેશના સૌથી મોટા વૈજ્ઞાનિક પ્રો. આશુતોષ શર્માએ કહ્યું હતું કે કોરોનાના આ તબક્કાની ઝડપ પહેલાં કરતાં ઘણી વધારે છે. આનો અર્થ એ છે કે આ તબક્કામાં લોકોમાં સંક્રમણ ખૂબ જ વધુ ઝડપથી ફેલાય છે. આને રોકવા માટે ફક્ત મોટા પાયે વેક્સિનેશન જ અસરકારક રહેશે. દેશની મોટા ભાગની વસતિમાં વેક્સિનેશન પછી સંક્રમણની અસર ઓછી થવા લાગશે.
આ જ ગતિથી તો આગામી 2 વર્ષમાં પણ રસીકરણ પૂરું નહીં થાય
ભારત અત્યારે સરેરાશ દરરોજ 26 લાખ વેક્સિન ડોઝ લગાવી રહ્યું છે. આ ગતિથી તેને 75 ટકા વસતિના રસીકરણમાં અત્યારે 2 વર્ષ વધારે લાગશે. બ્લૂમબર્ગ વેક્સિન ટ્રેકર અનુસાર, ભારતમાં લગભગ 5 ટકા લોકો પ્રથમ ડોઝ મેળવી ચૂક્યા છે, જ્યારે માત્ર 0.8 ટકા જ બંને ડોઝ મેળવી ચૂક્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "વૈજ્ઞાનિકોની ચેતવણી: જો ‘આવું’ નહિં થાય તો કોરોનાનો ઇલાજ મુશ્કેલ, દરેક વ્યક્તિ માટે આ વાત જાણવી ખાસ જરૂરી કારણકે…"
ટિપ્પણી પોસ્ટ કરો