ઈમ્યુનિટી પાવર વધારવાથી લઈને ગળાની અનેક સમસ્યાઓમાં લાભ આપે છે મધનું પાણી, કરો ટ્રાય
હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી વજન કંટ્રોલમાં રહે છે, પાચન ક્રિયા સારી રહે છે અને ગળાના ઈન્ફેક્શનમાં પણ રાહત મળે છે.
હૂંફાળા પાણીને હેલ્થ માટે લાભદાયી માનવામાં આવે છે અને તેમાં મધ મિક્સ કરીને પીવામાં આવે તો તેનો ફાયદો બમણો થાય છે. કોરોના સંકટમાં લોકોને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. કોરોના સામે લડવા માટે ઈમ્યુનિટીને મજબૂત કરવાનું કહેવાયુ છે. એવામાં મધ કામની ચીજ સાબિત થઈ શકે છે. મધમાં એન્ટી ઓક્સીડન્ટ્સ મળે છે જે શરીરને વાયરલ ઈન્ફેક્શનથી લડવામા મદદ કરે છે. એટલું નહીં હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. પાચન ક્રિયા સારી રહે છે અને ગળાના ઈન્ફેક્શનમાં રાહત મળે છે. તમને જણાવી દઇએ કે હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી કયા ફાયદા થાય છે.
ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે
સવારે ખાલી પેટ હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ રહે છે. ઈમ્યુનિટીને મજબૂત કરવાથી શરીર અનેક પ્રકારના વાયરલ ઈન્ફેક્શનથી બચે છે. એવામાં કોરોના કાળમાં પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી અનેક ફાયદા થાય છે.
ગળાના ઈન્ફેક્શનમાં મળે છે આરામ
રોજ હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી ગળામાં રહેતા બેક્ટેરિયા નિષ્ક્રિય બને છે. સાથ શરદી, ખાંસી અને સામાન્ય તાવ જેવી સમસ્યામાં આરામ મળે છે. બંધ નાક, શરદી હોય તો પણ મધનું પાણી ફાયદો કરે છે. તેનાથી ગળાના ઈન્ફેક્શનમાં રાહત મળે છે. સાથે ગળાની અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત મળે છે.
પાચનક્રિયાને સુધારે છે
હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી પાચન ક્રિયામાં સુધારો આવે છે. આ પાણી પીવાથી પેટ સાફ રહે છે અને સાથે કબજિયાતની તકલીફ દૂર થાય છે. પેટ સાફ રહેવાથી અન્ય અનેક બીમારીઓમાં પણ રાહત મળે છે. રોજ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં મધ પીવાથી પેટ સંબંધી તકલીફથી છૂટકારો મળે છે.
વજન ઘટાડે છે
મધને સામાન્ય ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી વજન ઝડપથી ઉતરે છે. જે લોકોને વજન ઘટાડવું છે તેઓએ સવારે ઉઠીને હૂંફાળા ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પીવુંય જો તમે ઝડપથી વજન ઘટાડવા ઈચ્છો છો તો આ ઉપાય બેસ્ટ છે. તેનાથી કોઈ નુકસાન પણ થતું નથી.
વધે છે સ્કીનનો ગ્લો
હૂંફાળા પાણીમાં મધને મિક્સ કરીને પીવાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળે છે અને સ્કીનનો ગ્લો વધે છે. પાણી બ્લડમાંથી દૂષિત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે જેનાથી સ્કીનમાં નિખાર આવે છે. હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. તેનાથી વાળના મૂળ પણ મજબૂત બને છે.
સ્ટ્રેસમાં મળે છે રાહત
જો તમે રોજ 1 ગ્લાસ હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવો છો તો તમને સ્ટ્રેસ એટલે કે ચિંતામાં રાહત મળે છે. મધ સ્ટ્રેસને દૂર કરવામાં રામબાણ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ઈમ્યુનિટી પાવર વધારવાથી લઈને ગળાની અનેક સમસ્યાઓમાં લાભ આપે છે મધનું પાણી, કરો ટ્રાય"
ટિપ્પણી પોસ્ટ કરો