ફટકડીનું પાણી પીવાથી કોરોના સંક્રમણથી બચી શકાય એવી વાતમાં માનનારા ખાસ આ સમાચાર વારંવાર વાંચે
કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં આતંક મચાવ્યો છે. એક તરફ હોસ્પિટલો કોરોના દર્દીઓથી છલકાઈ ગઈ છે તો બીજી તરફ વેક્સિન, ઇન્જેક્શન અને બેડ માટે લોકો લાઈનો લગાવી રહ્યાં છે. વધતા જતા આંકડોઓની સાથે લોકોમાં ભયનું વાતાવરણ પણ છે. દેશના દરેક રાજ્યની સ્થિતિ ખરાબ છે. આ સમયે લોકો કોરોના વાયરસથી બચાવવા માટે વિવિધ ઘરેલું ઉપાય પણ અપનાવી રહ્યાં છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના ઘરેલું ઉપચાર પણ વાયરલ થઈ રહ્યા છે. અહીં હાલમાં વાયરલ થઈ રહેલો એક ઘરેલુ ઉપચાર વિશે વાત થઈ રહી છે.

મળતી માહિતી મુજબ આજકાલ એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવે છે કે ફટકડીનાં પાણીના સેવનથી કોરોના વાયરસનો ચેપ ટાળી શકાય છે અને તે ચેપગ્રસ્ત વ્યક્તિને સ્વસ્થ પણ બનાવી શકે છે. વાયરલ થઇ રહેલાં આ વીડિયોમાં એક વ્યક્તિ જણાવી રહ્યો છે કે ખોરાક લીધા પછી અડધા ગ્લાસ પાણીમાં ફટકડી ઓગળીને પીવાથી કોરોનાનો ચેપ દૂર કરી શકાય છે.

વાયરલ થઇ રહેલી આ પોસ્ટમાં વ્યક્તિ એવો દાવો પણ કરી રહ્યો છે કે આ પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરીને ચેપગ્રસ્ત વ્યક્તિ પણ સ્વસ્થ થઈ શકે છે. પરંતુ પીઆઇબીની ફેક્ટ ચેક ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ વીડિયો બનાવટી સાબિત થયો હતો.

પીઆઇબી દ્વારા આ બાબતે આપેલી માહિતી મુજબ ફટકડી અંગેનો આ દાવો એકદમ ખોટો છે. આ પાછળનું કારણ કહેવામાં આવ્યું છે કે આ બાબતે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે ફટકડીનાં અને પાણીનાં ઉકાળા દ્વારા કોરોના ચેપને દૂર કરી શકાય છે. જાણવા મળ્યું છે કે ફટકડીનાં પાણીના સેવનથી કોઈ પણ આરોગ્ય નિષ્ણાંતે કોરોના ચેપને નાબૂદ કરવા વિશે કશું કહ્યું નથી. કોવિડ -19થી પોતાનું રક્ષણ કરવાની આડમાં કોઈ પણ બનાવટી સમાચારોથી બચવું જોઈએ.

મળતી માહિતી મુજબ હાલમાં કોરોનાથી બચવા માટે અનેક ઘરેલુ ઉપચાર સામે આવી રહ્યાં છે. આ સમયે લોકો આવી ખોટી અફવા તરફ ન વળે તે માટે સરકાર દ્વારા પીઆઈબીની સ્થાપના કરી છે. પીઆઈબી એટલે બનાવટી સમાચાર વગેરે અંગે ચકાસણી કરવી. ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી)એ આ સમાચારની ચકાસણી કરવા માટે પીઆઈબી ફેક્ટ ચેક ટીમ બનાવી છે.

આથી જો તમને પણ કોઈ સોશિયલ મીડીયાનાં માધ્યમ દ્વારા આવી નવા ઘરેલુ ઉપચાર કે અન્ય દવાઓ વિશે જણાવવામાં આવે છે તો આડેધડ તેનો ઉપયોગ કરવો નહીં અને સાચી માહિતીની ચકાસણી કરવી જોઈએ.
0 Response to "ફટકડીનું પાણી પીવાથી કોરોના સંક્રમણથી બચી શકાય એવી વાતમાં માનનારા ખાસ આ સમાચાર વારંવાર વાંચે"
ટિપ્પણી પોસ્ટ કરો