આ તકલીફનો સામનો કરવો પડે છે અમિતાભ બચ્ચનને, જાણી લો એ વિશે વધુ..
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ઘરમાં હાલના દિવસોમાં વોટર સપ્લાયની તકલીફ આવી રહી છે. અમિતાભ બચ્ચને એમના બ્લોગમાં આ તકલીફ વિશે વાત કરી છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે આ થકવી નાખે તેવો દિવસ રહ્યો…અને બની શકે છે કે કાલે દિવસના અંત સુધી કંઈ સોલ્યુશન નીકળી જાય. કંઈક કામનું નીકળવું જોઈએ, પણ જોઈએ છે.
બિગ બીના ઘરમાં છે પાણીની તકલીફ?
અમિતાભ બચ્ચને એમના બ્લોગમાં લખ્યું છે કે આજે મારે આડું પડી જવું થાકી જવાના કારણે હતું. એટલે બીજા દિવસે કોન બનેગા કરોડપતિના શૂટ માટે સમય કરતાં જલ્દી આવી ગયો. એ માટે સવારે 6 વાગે જાગ્યો. ખબર પડી કે ઘરે પાણી નથી આવી રહ્યું. એટલું જ નહીં અમિતાભ બચ્ચને આ ઘરેલુ સમસ્યા ફેન્સ સાથે શેર કરવા બદલ માફી માંગી. એમને કહ્યું કે પાણી નહિ આવવાના કારણે આજનો દિવસ થોડો મુશ્કેલ રહ્યો. પાણીની તકલીફની સાથે જ અમિતાભે એમના બ્લોગમાં એમની ફિલ્મ ચહેરે વિશે પણ લખ્યું છે.
અમિતાભ બચ્ચને ફિલ્મ ચહેરે વિશે લખ્યું છે કે આ ફિલ્મ બધી જગ્યાએ નહિ પણ અમુક રાજ્યોમાં રિલીઝ થઈ છે. એમને કહ્યું કે નિયમો અનુસાર સિનેમાઘરોની ખુલવાની રાહ જુઓ અને ત્યાં સુધી એ કામ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન એમના દિલની દરેક વાત ખુલીને એમના બ્લોગ પર લખે છે. એ છેલ્લા ઘણા સમયથી બ્લોગ લખી રહ્યા છે.
સતત બીઝી છે અમિતાભ બચ્ચન.
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન ઉંમરના આ પડાવ પર પણ સતત એક્ટિવ છે. બિગ બી હજી પણ દિવસના 12 કલાકથી વધુ સમય ફિલ્મો અને ટીવી શોના શૂટિંગમાં વિતાવી દે છે. વાત કરીએ એમના આવનાર પ્રોજેક્ટ્સની તો અમિતાભ બચ્ચનના શો કોન બનેગા કરોડપતિનું પ્રસારણ ફરી એકવાર નાના પડદા પર શરૂ થઈ ગયો છે અને એમની ઘણી ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે.
આવવાની છે અમિતાભ બચ્ચનની આ ફિલ્મો.
અમિતાભ બચ્ચનની બધી ફિલ્મો લોકડાઉન પહેલા જ રિલીઝ માટે અટકી ગઈ છે પણ કોવિડ 19 દરમિયાન બંધ રહેલા થિયેટર્સના કારણે એને રિલીઝ નહોતી કરવામાં આવી અમે હવે આશા કરવામાં આવી રહી છે કે જલ્દી જ એને રિલીઝ કરવામાં આવશે. અમિતાભ બચ્ચનની ફિલ્મ ચહેરે હાલમાં જ થિયેટર્સમાં રિલીઝ થઈ છે અને હજી પણ ઝૂંડ, બ્રહ્માસ્ત્ર, બટરફલાય, મેડે, ગુડ બાય અને નાગ અશ્વિનની એક ફિલ્મ રિલીઝ થવાની છે.
0 Response to "આ તકલીફનો સામનો કરવો પડે છે અમિતાભ બચ્ચનને, જાણી લો એ વિશે વધુ.."
ટિપ્પણી પોસ્ટ કરો