જામફળ વધારે પડતુ સેવન સ્વાસ્થ્ય માટે બની શકે છે નુકશાનકારક, વાંચો આ લેખ અને જાણો…
જામફળનું ફળ જ નહીં, તેના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જામફળના પાન ખાવાથી હૃદય, પાચન અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. પરંતુ તેમાં કેટલીક વસ્તુઓ એવી છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
જામફળ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે જેમાં કેલરીમાં ખૂબ ઓછી અને ફાઈબર ની માત્રા વધારે હોય છે. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તમે તેને અલગ અલગ રીતે ખાઈ શકો છો. તમે તેને સીધુ ખાઈ શકો છો, સોસ અથવા ખાટી-મીઠી ચટણી બનાવી શકો છો.
જામફળનું ફળ જ નહીં, તેના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જામફળના પાન ખાવાથી હૃદય, પાચન અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. પરંતુ તેમાં કેટલીક વસ્તુઓ એવી છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે ખાસ કરીને તે લોકો માટે હાનિકારક છે જે કોઈ ચોક્કસ રોગમાંથી પસાર થઈ રહ્યા છે.
જામફળ એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન સી અને પોટેશિયમ થી ભરપૂર છે. એક જામફળમાં એકસો બાર કેલરી અને ત્રેવીસ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, નવ ગ્રામ ફાઈબર અને નગણ્ય માત્રામાં સ્ટાર્ચ હોય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે તે ડાયાબિટીસ ના દર્દીઓ માટે ફાયદાકારક છે, કારણ કે તેમાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે. તેમાં ફોલેટ, બીટા કેરેટિન જેવા પોષક તત્વો છે. ચાલો જાણીએ કે કયા લોકોએ જામફળ ખાવાનું ટાળવું જોઈએ.
ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમથી પીડિત લોકોએ સેવન ન કરવું
જામફળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે કબજિયાત દૂર કરે છે અને પાચનમાં મદદ કરે છે. વધારે પડતું સેવન કરવાથી પાચન તંત્રને નુકસાન થાય છે. ખાસ કરીને જો તમે ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમથી પીડાતા હોય. આ પરિસ્થિતિમાં તમારે જામફળનું સેવન ન કરવું જ સારું રહેશે.
ડાયાબિટીસના દર્દીઓ
જામફળના સેવન થી બ્લડ સુગરનું સ્તર ઓછું થઈ શકે છે. આ કિસ્સામાં, જો તમને ડાયાબિટીસ છે, અને તમે વધુ પડતું જામફળ ખાઈ રહ્યા છો, તો તમારે તમારા લોહીમાં શર્કરાનું સ્તર તપાસતા રહેવાની જરૂર છે.
સર્જરી પછી કે પહેલાં ન ખાશો
જામફળ ના સેવનથી બ્લડ શુગરલેવલ પર અસર થઈ શકે છે. જે લોકોએ સર્જરી કરાવી છે, તેમણે થોડા દિવસ જામફળ થી દૂર રહેવું જોઈએ. આમ ન કરવાથી સર્જરી દરમિયાન લોહી નું વધુ નુકસાન અથવા બીપી કન્ટ્રોલ થઈ શકે છે.
ગેસની સમસ્યા
જામફળમાં વિટામિન સી અને ફ્રુક્ટોઝ નું પ્રમાણ ઘણું હોય છે, જે શરીરમાં ઊંચું હોય ત્યારે પેટમાં ગેસ અને પેટ ફૂલી શકે છે. આ કિસ્સામાં, જો તમને પેટ ફૂલવાની સમસ્યા હોય, તો તમારે તેને ખાવાનું ટાળવું જોઈએ.
0 Response to "જામફળ વધારે પડતુ સેવન સ્વાસ્થ્ય માટે બની શકે છે નુકશાનકારક, વાંચો આ લેખ અને જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો