લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદીએ દેશની દીકરીઓને આપી મોટી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્રતા દિવસના અવસરે દેશના નામે કરેલા સંબોધનમાં મોટુ એલાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ જાહેર કર્યું છે કે હવે દેશની દરેક સૈનિક સ્કૂલ માં દીકરીઓને પણ એડમિશન આપવામાં આવશે. જણાવી દઈએ કે અત્યાર સુધી દૈનિક સ્કૂલોમાં માત્ર યુવકોનો અભ્યાસ થતો હતો.

પરંતુ હવે યુવતીઓ પણ આ શિક્ષણ અને તાલીમની સમાન સહભાગી થશે. સૈનિક સ્કૂલોમાં યુવકોની જેમ યુવતીઓને પણ સમાન શિક્ષા અને તાલીમને સુનિશ્ચિત કરવા માટે સૈનિક સ્કૂલના દરવાજા પીએમ મોદીએ યુવતીઓ માટે ખોલ્યા છે.

દેશને સંબોધિત કરતા પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવા ભારતમાં મહિલાઓની સમાન સહભાગીતા સુનિશ્ચિત કરવામાં આવશે. સાથે જ રસ્તાથી લઈને વર્કપ્લેસ સુધી મહિલાઓને સુરક્ષા નો અનુભવ થાય તે માટે શાસન પ્રશાસને પોતાની જવાબદારી નિભાવવી પડશે. આ ઉદ્દેશ સાથે જ દેશની તમામ સૈનિક સ્કૂલોમાં દેશની દીકરીઓ માટે દરવાજા ખોલવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશની દરેક સૈનિક સ્કૂલ માં હવે દીકરીઓ પણ અભ્યાસ કરશે.

લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમને દેશની લાખો દીકરીઓના સંદેશ મળતા હતા કે તેઓ દૈનિક સ્કૂલમાં ભણવા માંગે છે. સરકારે મિઝોરમની એક સૈનિક સ્કૂલ માં દીકરીઓના એડમિશન ની શરૂઆત કરી એક પ્રયોગ પણ કર્યો હતો. વર્તમાનમાં દેશની 33 સૈનિક સ્કૂલ છે કે જ્યા માત્ર યુવકોના એડમિશન થાય છે. આ સ્કૂલ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે જે રક્ષા મંત્રાલયના નિયંત્રણમાં છે.
સૈનિક સ્કૂલોની સ્થાપનાનો ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓને નાની ઉંમરથી ભારતીય સશસ્ત્ર દળ માં પ્રવેશ માટે તૈયાર કરવામાં આવે.
सरकार अपनी अलग अलग योजनाओं के तहत जो चावल गरीबों को देती है, फोर्टिफाई करेगी। गरीबों को पोषणयुक्त चावल देगी। राशन की दुकान पर मिलने वाला चावल हो, मिड डे मिल में बालकों को मिलने वाला चावल हो वर्ष 2024 तक हर योजना के माध्यम से मिलने वाला चावल फोर्टिफाई कर दिया जाएग: PM https://t.co/xJLmzrXiER
— ANI_HindiNews (@AHindinews) August 15, 2021
જેમાં અત્યાર સુધીમાં યુવકોને જ એડમિશન મળતું હતું પરંતુ વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ આગામી સત્રથી સૈનિક સ્કૂલોમાં યુવતીઓ પણ પ્રશિક્ષણ માટે એડમિશન મેળવી શકશે અને સૈનિક સ્કૂલ નો એક ભાગ બની શકશે.
हमें अभी से जुट जाना है। हमारे पास गंवाने के लिए एक पल भी नहीं है। यही समय है, सही समय है। बदलते हुए युग के अनुकूल हमें भी अपनेआप को ढालना होगा। सबका साथ, सबका विकास और सबका विश्वास इसी श्रद्धा के साथ हम सब जुट चुके हैं: PM pic.twitter.com/eqlA01l8tZ
— ANI_HindiNews (@AHindinews) August 15, 2021
આ તકે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે દેશ માટે એક ગૌરવની વાત છે કે શિક્ષાથી લઈ રમત જગત અને ઓલિમ્પિક્સમાં પણ દેશની દીકરીઓ એ અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું.
भारत को आधुनिक इंफ्रास्ट्रक्चर के साथ ही इंफ्रास्ट्रक्चर निर्माण में होलिस्टिक अप्रोच अपनाने की भी जरूरत है। भारत आने वाले कुछ ही समय में प्रधानमंत्री गतिशक्ति- नेशनल मास्टर प्लान को लॉन्च करने जा रहा है: प्रधानमंत्री नरेंद्र मोदी https://t.co/uPbEfIasxc
— ANI_HindiNews (@AHindinews) August 15, 2021
ભારતની દીકરી દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવવા માટે આતુર છે તે માટે જ તેમને જરૂરી સહયોગ પુરો પાડવામાં આવશે.
0 Response to "લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદીએ દેશની દીકરીઓને આપી મોટી ભેટ"
ટિપ્પણી પોસ્ટ કરો