વાળ ખરવાનું એક કારણ આયર્નની ઉણપ પણ હોઈ શકે છે. જાણો આ સમસ્યા દૂર કરવાના ઉપાય
શું તમારા વાળ પણ વધુ પ્રમાણમાં ખરે છે ? જો આવું હોય તો તમારે આ સમસ્યાનું કારણ જાણવું જોઈએ અને જો તમે સારા તેલની માલિશથી લઈને ઘરેલું ઉપચાર સુધી બધું જ અજમાવ્યું હોય પરંતુ કંઈ કામ નથી કરતું તો તમારે એક વખત તમારા આયરન લેવલને તપાસવું જોઈએ. કારણ કે ક્યારેક શરીરમાં આયરનની ઉણપને કારણે વધારે પડતા વાળ ખરતા હોય છે. પરંતુ સારી બાબત એ છે કે તમે તેની જાતે સારવાર કરી શકો છો. જ્યારે તમારા શરીરને પૂરતું આયરન નથી મળતું, ત્યારે લોહીમાં હિમોગ્લોબિનમાં ઘટાડો થાય છે. જેના કારણે હિમોગ્લોબિન લોહીના કોષો, વાળ સુધી પણ સંપૂર્ણ માત્રામાં ઓક્સિજન પહોંચાડી શકતું નથી. આ વાળનો વિકાસ પણ રોકે છે. પરંતુ યોગ્ય સારવાર સાથે, તમે આયરનની ઉણપ પૂરી કરી શકો છો, સાથે વાળનો વિકાસ પણ વધારી શકો છો.
આયર્નની ઉણપને કારણે વાળ કેવી રીતે ખરતા હોય છે ?

આયર્નને કારણે તમારું શરીર હિમોગ્લોબિન બનાવે છે. આ તત્વ તમારા વાળને પૂરતું પોષણ અને ઓક્સિજન પહોંચાડે છે. તમારા વાળના વિકાસ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા શરીરમાં આયર્નનો અભાવ છે, તો આ પ્રક્રિયામાં તકલીફ થશે. તેનાથી તમારા વાળ નબળા પડી જશે. જેના કારણે તે ખરવા લાગશે. જો તમારા વાળ આયર્નની ઉણપને કારણે ખરતા હોય તો તમને માથામાં ક્યાંક ટાલ લાગશે. બધા વાળ એક જગ્યાએથી ઉતરી જશે.

શરીરમાં આયર્નની ઉણપના કેટલાક લક્ષણો
- – ખૂબ થાક લાગવો
- – કેટલીક એવી વસ્તુઓ ખાવાનું મન થવું, જે ખાવા લાયક ન હોય
- – વિચિત્ર નખ અને કેટલીક જગ્યા પરથી નખ તૂટવું.
- – માથાનો દુખાવો
- – નિસ્તેજ ત્વચા હોય છે
- – જોભમ સોજો આવવો
- – પગમાં કળતર થવી
- વાળ ખરવાની સારવાર
- મિનોક્સિડિલ
તે એક દવા છે જે વાળ ઉગાડવા અને વારંવાર વાળ ન ખરે તે માટે આપવામાં આવે છે. તે મુખ્યત્વે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને આપવામાં આવતું હતું. પરંતુ પછી જાણવામાં આવ્યું કે આ દર્દીઓના વાળ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ત્યારથી, તે પુરુષો અને સ્ત્રીઓને ટાલ પડવાથી છુટકારો મેળવવા અને વાળ ખરવાની સ્થિતિ ટાળવા માટે આપવામાં આવે છે.
પ્રોપેસિયા
આ દવા તમારા વાળના કોષોના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે અને વાળ ખરતા અટકાવે છે. જો કે તે પુરુષોને ભલામણ કરવામાં આવે છે કારણ કે તે હોર્મોનને નિયંત્રિત કરે છે, જે પુરુષોમાં ટાલ પડવાનું કારણ બને છે. જો તમે આ દવા લેવાનું બંધ કરો છો, તો તમે તેની અસર જોવાનું પણ બંધ કરી દેશો. તમારા વાળ ફરી ખરવા લાગશે.
સર્જરી

કેટલીકવાર સર્જરી અને પીઆરપી જેવી કેટલીક આક્રમક પદ્ધતિઓનો પણ આશરો લઈ શકાય છે. જો તમને દવા અથવા અન્ય કોઈ પદ્ધતિથી કોઈ ફાયદો દેખાતો નથી તો તમારે આ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે તમારા વાળ ટ્રાન્સપ્લાન્ટ થશે.
વાળ ખરતા રોકવા માટે તમારે શું ખાવું જોઈએ ?
- – પાલક જેવા લીલા અને પાંદડાવાળા શાકભાજી
- – કિસમિસ જેવા સુકા ફળો
- – જો તમને હાઈ કોલેસ્ટ્રોલ લેવલની સમસ્યા ન હોય તો તમે ઈંડાની જરદી પણ ખાઈ શકો છો.
- – સોયાબીન, બ્રોકોલી અને કઠોળ વગેરે.
વાળના વિકાસ માટે આયર્નનું સ્તર શું હોવું જોઈએ ?
ડોકટરોના મતે, સામાન્ય લોહનું સ્તર સ્ત્રીઓમાં 20 થી 200 નેનો ગ્રામ પ્રતિ મિલીલીટર અને પુરુષોમાં 20 થી 500 નેનો ગ્રામ પ્રતિ મિલીલીટર હોવું જોઈએ.

જો તમે સ્ત્રી છો, શાકાહારી છો અથવા વારંવાર રક્તદાન કરો છો, તો તમારા માટે આયર્નની ઉણપ હોય તે સામાન્ય બાબત છે. કારણ કે શાકાહારીઓને ઘણી વખત પૂરતું આયર્ન મળતું નથી. જો તેઓ લીલા શાકભાજી વગેરે ખાતા નથી, તો આવા લોકોમાં આયર્નની ઉણપ વધુ જોવા મળે છે. તેથી, તમારા પૂરતા આયર્નના જથ્થા પર વધુ ખલજી લો.
0 Response to "વાળ ખરવાનું એક કારણ આયર્નની ઉણપ પણ હોઈ શકે છે. જાણો આ સમસ્યા દૂર કરવાના ઉપાય"
ટિપ્પણી પોસ્ટ કરો