બિલીપત્ર તોડતા સમયે આ વાતોનું રાખવું ધ્યાન, નહિતો થઇ શકે છે નુકશાન..

ભગવાન ભોલેનાથની પુજનમાં, અભિષેક અને બિલીપત્ર નું પ્રથમ સ્થાન માનવામાં આવે છે. જો તેમને બિલીપત્ર અર્પણ કરવામાં આવે અને તેઓનો અભિષેક કરવામાં આવે તો મોટો ફાયદો થાય છે. એમાં પણ શ્રાવણ મહિનામાં ભોલેનાથ ભક્ત પર વધારે પ્રસન્ન થાય છે. શ્રાવણ માસની અંદર ભગવાન શંકર પર બીલીપત્ર ચઢાવવાં ના કારણે તેના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. બીલીપત્ર અને સંસ્કૃત ભાષામાં બિલ્વપત્ર પણ કહેવામાં આવે છે. જ્યારે તમે ભગવાન શંકર પર અર્પિત કરવા માટે આ બીલીપત્રો તોડવા જતાં હોવ ત્યારે તમારે અમુક ખાસ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે.

image source

આ વાતોનું રાખવું ધ્યાન

વેલોનું ઝાડ જે ઘરમાં હોય છે, તે આખી સિદ્ધિનું આશ્રયસ્થાન બની જાય છે. જે ઘરમાં આ હોય છે, ત્યાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે.

image source

આ વારે ન તોડવું બિલિપત્ર

બીલીપત્ર તોડતી વખતે મનમાં અને મનમાં ભગવાન શંકરને નમન કરીને ત્યાર બાદ જ બીલીપત્રને તોડવું જોઈએ. ચતુર્થી, આઠમ, નોમ અને ચૌદસના દિવસે તથા અમાવસની રાત્રે બીલીપત્ર ક્યારેય ન તોડવા જોઈએ, કેમકે આ તિથિઓમાં કાલ યોગ હોય છે. ત્યારે બીલીપત્ર તોડવા અશુભ માનવામાં આવે છે. મોટે ભાગે બીલીપત્ર અને સોમવારે તોડવા ખૂબ જ સારા માનવામાં આવે છે અને બીલીપત્રને ક્યારેય ડાળખી સહિત ન તોડવા જોઈએ. ભગવાન શંકરને આ રીતે જ અર્પણ કરવા જોઈએ.

image source

આ રીતે ચઢાવો બિલિપત્ર

ભગવાન શંકરને બીલીપત્ર ચડાવતી વખતે હંમેશા બીલીપત્ર અને ઊલટું ચઢાવવું જોઈએ. એટલે કે બીલીપત્ર નો એકદમ ચીકણો અને સુવાળો ભાગ હોય તે ભગવાન શંકરને સ્પર્શ કરે તે રીતે બિલિપત્ર ચઢાવવું જોઈએ. બીલીપત્ર અને હંમેશા તમારી અનામિકા અને અંગૂઠા તથા તમારી મધ્યમા આંગળી વડે જ પકડીને ભગવાન શંકરને ચઢાવવું જોઈએ. સાથે સાથે તેના ઉપર જળની ધારા પણ અર્પણ કરવી જોઈએ.

image source

બિલીપત્રનું મહત્વ

શિવ પુરાણ અનુસાર શ્રાવણ માસના સોમવારના દિવસે ભગવાન શંકર ની લિંગ પર બીલીપત્ર ચઢાવવાં આ કારણે કરોડ કન્યાનાં દાન સમાન ફળ મળે છે. શિવલિંગ પર બીલીપત્રનું પૂજન કરવાના કારણે ઘરમાં રહેલી દરિદ્રતા દૂર થાય છે તથા તમારા ઘરમાં સૌભાગ્ય નો વાસ થાય છે.

ભગવાન શંકર પર બીલીપત્ર ચઢાવવાં આ કારણે માત્ર ભગવાન શંકર જ નહીં પરંતુ ભગવાન શંકરના એક અંશ સમાન ભગવાન અનુમાન પણ તમારા ઉપર ખૂબ જ કૃપા વરસાવે છે અને તમારા ઘરમાં રહેલી બધી જ અશુરી શક્તિઓનો નાશ થાય છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "બિલીપત્ર તોડતા સમયે આ વાતોનું રાખવું ધ્યાન, નહિતો થઇ શકે છે નુકશાન.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel