કેમ શાહરૂખ ખાને મન્નતને કર્યું પ્લાસ્ટીકથી કવર, શું એનું કારણ કોરોના છે?

મુંબઈમાં કોરોના વાયરસનો પ્રકોપ તેજીથી વધતો દેખાઈ રહ્યો છે. હવે એની ચપેટમાં ફિલ્મી કલાકારો પણ શામેલ થઇ ગયા છે. હમણાં થોડા દિવસો પહેલા તો અમિતાભ બચ્ચન પણ કોરોના સંક્રમિત થઇ ગયા છે. અમિતાભ સિવાય, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અને આરાધ્યા બચ્ચન પણ કોરોના સંક્રમિત થઇ ગયા છે. એ પછીથી જ અન્ય કલાકારો પણ આ ખતરનાક વાયરસથી ખાસ સાવધાની રાખતા જોવા મળી રહ્યા છે.

બચ્ચન પરિવારના ઘણા સભ્યો અત્યારે હોસ્પીટલમાં દાખલ છે અને પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. કોરોનાના વધતા કેસને જોઇને એક્ટર શાહરૂખ ખાને પોતાના બંગલા મન્નતને ચારેબાજુએથી પ્લાસ્ટિકનું કવર લગાવી દીધું છે.

જણાવી દઈએ કે શાહરૂખ ખાન પોતાની પત્ની ગૌરી અને ત્રણેય બાળકો સાથે રહે છે. એ તો બધા જાણે છે કે શાહરૂખે પોતાની એક ૫ માળની ઓફીસ પણ કોરોનાના દર્દીઓના ઈલાજ માટે બીએમસીને આપી છે. શાહરૂખે પોતાની સાવધાની રાખતા પોતાના ઘરને ચારે તરફથી કવર લગાવી દીધું છે.


એવું પણ માનવામાં આવી રહ્યું છે કે શાહરૂખે કવર કોરોનાના ડરથી નહિ પણ વરસાદના ડરથી લગાવ્યું છે. શાહરૂખ ખાનનું આખું ઘર સફેદ રંગના પ્લાસ્ટીકથી કવર છે.

જ્યારથી WHO એ એવું માન્યું છે કે કોરોના વાયરસ હવામાં પણ છે, બધા પોત પોતાના ઘરમાં જ રહેવાનું જરૂરી સમજી રહ્યા છે. કોરોના વાયરસના કેસ દેશભરમાં ખુબ જ જડપથી વધી રહ્યા છે. શાહરૂખ ખાન પરિવાર સાથે ઘરમાં સારી રીતે સમય પસાર કરી રહ્યા છે. જો એમના કામની વાત કરીએ તો થોડા સમયથી શાહરૂખ ખાન ફિલ્મોથી દુર છે. એ વર્ષ ૨૦૧૮ માં જીરો ફિલ્મ પછી કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નથી.

શાહરૂખ ખાન જલ્દી જ એક્ટિંગની દુનિયામાં ફરી આવવા માટે બેકરાર છે. એ રાજકુમાર હિરાની સાથે મળીને ઈમિગ્રેશન પર બનેલી ફિલ્મમાં કામ કરતા જોવા મળશે. અત્યારે એનું શુટિંગ શરુ થવામાં વાર છે.

શાહરૂખ ખાનનું પડદા પર પાછા ફરવું ફેંસ માટે કોઈ મોટી ભેટથી ઓછુ નથી. સોશ્યલ મીડિયા પર શાહરૂખ ખાન અને ગૌરી ખાનની ટ્યુનીંગ ટોક ઓફ દ ટાઉન બની છે. બંને એકબીજાની તસ્વીરો પર મજેદાર રીપ્લાય કરે છે.

Related Posts

0 Response to "કેમ શાહરૂખ ખાને મન્નતને કર્યું પ્લાસ્ટીકથી કવર, શું એનું કારણ કોરોના છે?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel