આ છે ચમત્કારી શીતળા માતાનું મંદિર, જાણો કેમ લાખો ટન પાણીથી પણ નથી ભરાતો શીતળા માતાનો ઘડો ?

ભારતમાં દરેક જગ્યાએ એક અલગ મંદિર એની માન્યતા અને એની સાથે જોડાયેલા અદભુત રહસ્યથી ભરપૂર છે. જેને જાણવાની જિજ્ઞાસા દરેક વ્યક્તિમાં હોય છે પણ એની સાથે જોડાયેલા કેટલાક રહસ્ય એવા છે કે એમના વિષે વૈજ્ઞાનિક પણ જાણી શક્યા નથી. પણ આજે અમે તમને એક મંદિરના ઘડા વિષે જણાવીશું કે જે ક્યારેય પાણીથી નથી ભરાતો અને એ આજથી નહિ પણ સેંકડો વર્ષોથી ચાલતું આવે છે.


રાજસ્થાન બાલી જિલ્લા મુખ્યાલયથી 105 કિમિ વસેલા ભાટુંડ ગામમાં શીતળા માતાનું એક રહસ્યમયી મંદિર છે. જ્યાં એક એવો ચમત્કારિક ઘડો છે જેના દર્શન માટે ફક્ત બે વાર જ બહારે લાવવામાં આવે છે. એ ઘડામાં વિષે એક એવી પ્રાચિન માન્યતા છે કે એમાં કેટલું પણ પાણી ભરવામાં આવે તો પણ ક્યારેય નથી ભરાતું. એવું માનવામાં આવે છે કે આ ઘડામાં નાખવામાં આવતું પાણી રાક્ષસ પી જાય છે. હેરાન કરે એવી વાત એ છે કે આજે પણ વૈજ્ઞાનિકો એના વિષે માહિતી નથી મેળવી શક્યા કે એવું કેમ અને કઈ રીતે થાય છે ? એવું છેલ્લા 800 વર્ષોથી સતત થાય છે. મંદિરનો આ ચમત્કારિક ઘડો અડધો ફૂટ ઊંડો અને અડધો ફૂટ પહોળો છે.

વર્ષમાં ફક્ત બે જ વાર થાય છે ઘડાના દર્શન  

આ ચમત્કારી ઘડાના દર્શન માટે એને વર્ષમાં ફક્ત 2 જ વાર ભક્તોની સામે લાવવામાં આવે છે. આ ઘડો એક પથ્થરથી ઢાંકેલો છે અને એને વર્ષમાં ફક્ત 2 જ વાર શીતળા સાતમ અને જેઠ મહિનાની પૂનમના દિવસે જ હટાવવામાં આવે છે. આ બે દિવસોમાં માતાના ભક્તો કળશ ભરી ભરીને હજારો લીટર પાણી એમાં નાખે છે. ભક્તોનું માનવું છે કે આ ચમત્કારી ઘડામાં અત્યાર સુધી લાખો લીટર પાણી નંખાઈ ચૂક્યું છે પણ ઘડો છે કે ભરવાનું નામ જ નથી લેતો.

શીતળા માતાના મંદિરમાં રહેલા આ ઘડાની પહોળાઈ અડધો ફૂટ છે અને એટલો જ લગભગ ઊંડો પણ છે.ઘડામાં પાણી નથી ભરાતું એને ઘણા માતાનો ચમત્કાર માને છે તો ઘણા એ માન્યતા પર વિશ્વાસ કરે છે કે આ ઘડાનું પાણી રાક્ષસ પી જાય છે.


એવી માન્યતા છે કે આ જગ્યાએ લગભગ 800 વર્ષો પહેલા બાબરા નામનો એક રાક્ષસ હતો. જેનાથી આસપાસના બધા જ ગામના લોકો હેરાન હતા કારણકે જયારે ત્યાં રહેતા કોઈ પણ બ્રાહ્મણ ઘરમાં લગ્ન હોય તો રાક્ષસ વરરાજાને મારી નાખતો હતો. એ રાક્ષસથી મુક્તિ માટે અહીંયાના ગામના લોકોએ શીતળા માતાની પૂજા સાધના કરી. જેનાથી પ્રસન્ન થઈને શીતળાએ એક બ્રાહ્મણના સપનામાં આવીને કીધું કે જયારે એની દીકરીના લગ્ન થશે ત્યારે એ રાક્ષસનો સંહાર કરશે.

લગ્નના સમયે અહીંયા શીતળા માતા એક નાની કન્યાના રૂપમાં હાજર હતી અને એમણે પોતાના ઘૂંટણોથી રાક્ષસને પકડીને મારી નાખ્યો હતો. પોતાના અંત સમયમાં રાક્ષસે માં શીતળા પાસે એક વરદાન માંગ્યું કે ગરમીમાં એને ખુબ જ વધારે તરસ લાગે છે , માટે વર્ષમાં ફક્ત બે વાર માતાના ભક્તોના હાથે એને પાણી પીવડાવવામાં આવે. એ વાતે શીતળા માતાએ એની એ ઈચ્છા પૂરી કરવાનું વચન આપ્યું. કહેવાય છે કે ત્યારથી આ ઘડામાં વર્ષમાં બે વાર પાણી ભરવાની પરંપરા ચાલતી આવી રહી છે.


આ મંદિરમાં માતાના આશીર્વાદથી એક બીજો પણ ચમત્કાર થાય છે.મંદિરના પૂજારી જયારે માતાના ચરણોમાં દૂધ લગાવીને ભોગ ચડાવે છે , તો એ ઘડો આષ્ચર્યજનક રીતે આખો ભરાઈ જાય છે, મંદિરમાં હાજર આ ચમત્કારી ઘડાનું રહસ્ય જાણવા માટે ઘણા વૈજ્ઞાનિકો એના પર શોધ કરી ચુક્યા છે , પણ એમને હજી સુધી એની પાછળનું કારણ નથી મળી શક્યું.

0 Response to "આ છે ચમત્કારી શીતળા માતાનું મંદિર, જાણો કેમ લાખો ટન પાણીથી પણ નથી ભરાતો શીતળા માતાનો ઘડો ?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel