બાબરી મસ્જિદ કેસ વિશે એ બધું જે તમે જાણવા માગો છો, Date To Date ઘટનાક્રમ

બાબરી વિધ્વંસ કેસ 28 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે જેમા ભાજપના દિગ્ગજ નેતાઓને નિર્દેોષ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી સહિત કુલ 32 લોકો આરોપી હતા. જજ એસ.કે યાદવે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે. કુલ 48 લોકો પર આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાંથી 16 લોકોના નિધન થઈ ગયા છે. ચૂકાદો આપતા જજે નિર્ણયમાં કહ્યું કે, ઘટના અચાનક થઈ હતી, તેની કોઈ પૂર્વ તૈયારી કરવામાં આવી નહતી. આરોપીઓ વિરુદ્ધ અમને કોઈ પુરાવા મળ્યા નથી. તસવીરોના આધારે કોઈને આરોપી ન ગણાવી શકીએ. તો આવો જાણીએ આ વિવાદ શરૂ ક્યારે થયો અને ક્યાં સમયે શું શું ઘટના બની.

1528-29: મંદિર તોડી પાડવામાં આવ્યું

આ વિવાદના મૂળ બાબરના સાશન દરમિયાન રોપાયા હતા. અયોધ્યામાં એક સ્થળ પર એક મસ્જિદ બનાવવામાં આવી હતી, જેને હિન્દુઓ તેમના દેવતા ભગવાન રામનું જન્મસ્થાન માનતા હતા. એવું કહેવામાં આવે છે કે મોગલ રાજા બાબરના સેનાપતિ મીર બાકીએ અહીં એક મસ્જિદ બનાવી, જે બાબરી મસ્જિદ તરીકે જાણીતી હતી. બાબર 1526 માં ભારત આવ્યો હતો. 1528 સુધીમાં તેનું સામ્રાજ્ય અવધ (અયોધ્યા) પર પહોંચી ગયું. આ પછી, ઇતિહાસની ત્રણ સદીઓ વિશેની માહિતી હાલમાં પ્રાપ્ત નથી.

1853: અયોધ્યામાં પ્રથમ વખત હિંસાની ઘટના બની

imagw source

માનવામં આવે છે કે હિન્દુ-મુસ્લિમ હિંસાની પહેલી ઘટના 1853 માં અયોધ્યામાં બની હતી. જ્યારે નિર્મોહી અખાડાએ આ રચના અંગે દાવો કર્યો ત્યારે કહ્યું કે જ્યાં જ્યાં મસ્જિદ ઉભી છે ત્યાં એક મંદિર હતું. જેનો નાશ બાબરના શાસન દરમિયાન થયો હતો. આવતા 2 વર્ષ સુધી, આ મુદ્દે અવધમાં હિંસા ચાલુ રહી. ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ ગેઝેટ 1905 મુજબ 1855 સુધી હિન્દુઓ અને મુસ્લિમો એક જ બિલ્ડિંગમાં પૂજા-અર્ચના કરતા રહ્યા.

1859: હિન્દુઓને પ્રાર્થના કરવાની છૂટ મળી

ત્યાર બાદ બ્રિટિશ શાસકોએ પ્રથમ સ્વતંત્રતા ચળવળ પછી પરિસરમાં ભાગ પાડ્યો. પરંતુ 1857 માં સ્વતંત્રતાની પહેલી ચળવળને કારણે વાતાવરણ થોડુંક ઠંડુ પડ્યું. 1859 માં બ્રિટીશ શાસકોએ મસ્જિદની સામે દિવાલ બનાવી. મુસ્લિમોને સંકુલના આંતરિક ભાગમાં અને બાહ્ય ભાગમાં હિન્દુઓની પ્રાર્થના કરવાની છૂટ આપવામાં આવી હતી.

1885: પ્રથમ વખત આ મામલો અદાલતમાં પહોંચ્યો

Babri masjid demolition case verdict: Latest developments | India News - Times of India
image source

મંદિર-મસ્જિદનો વિવાદ થોડા વર્ષોમાં એટલો ગંભીર અને ભયાનક બન્યો કે આ કેસ 1885 માં પ્રથમ વખત કોર્ટમાં ગયો. હિન્દુ સાધુ મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં બાબરી મસ્જિદ સંકુલમાં રામ મંદિર બનાવવાની મંજૂરી માંગી હતી, જોકે કોર્ટે અપીલ નામંજૂર કરી હતી. ત્યારથી આ મામલો વધુ જટીલ બન્યો અને પછી શરૂ થયો કોર્ટની તારીખોનો દોર.

1934: કોમી રમખાણો થયાં

1934માં આ વિવાદ વધુ ઉગ્ર બન્યો અને આ વર્ષે ફરીથી કોમી રમખાણો થયાં. આ તોફાનોથી મસ્જિદની આજુબાજુની દિવાલો અને ગુંબજોને નુકસાન થયું હતું. બ્રિટીશ સરકારે તેને ફરીથી બનાવ્યું.

1949: સરકારે લોક લગાવ્યું

image source

ભગવાનની મૂર્તિ મસ્જિદમાં મળી હતી. એવું કહેવામાં આવે છે કે હિન્દુઓએ મસ્જિદમાં ભગવાન રામની મૂર્તિ રાખી હતી. મુસ્લિમોએ વિરોધ કર્યો અને મસ્જિદમાં નમાઝ વાંચવાનું બંધ કરી દીધું. ત્યારબાદ બંને પક્ષના લોકોએ કોર્ટમાં દાવો કર્યો હતો. આ પછી, સરકારે સ્થળને વિવાદિત જાહેર કરી તેને લોક કરી દેવાયું હતું.

1950:

ભગવાનની પૂજા માટે કોર્ટમાં અરજી

image source

ગોપાલસિંહ વિશારાદે ફૈઝાબાદ કોર્ટમાં ભગવાન રામની ઉપાસનાની મંજૂરી માટે અપીલ દાખલ કરી. મહંત રામચંદ્રદાસે હિન્દુઓ પૂજા ચાલુ રાખવા અરજી કરી હતી. આ સમય દરમિયાન મસ્જિદને ‘સ્ટ્રક્ચર’ તરીકે સંબોધન કરવામાં આવ્યું હતું.

1959-61: બંને પક્ષોએ કર્યો દાવો

image source

1959 માં નિર્મોહી અખાડાએ વિવાદિત સ્થળના સ્થાળાંતરણ માટે દાવો કર્યો. તે જ સમયે, મુસ્લિમો વતી, ઉત્તર પ્રદેશ સુન્ની વકફ બોર્ડે પણ બાબરી મસ્જિદની માલિકી માટે દાવો કર્યો.

1984: રામ જન્મભૂમિ મુક્તિ સમિતિની રચના

ત્યાર બાદ 1984માં વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં, હિન્દુઓએ ભગવાન રામના જન્મસ્થળને મુક્ત કરવા અને ત્યાં રામ મંદિર બનાવવા માટે એક સમિતિની રચના કરી હતી. તે જ સમયે ગોરખનાથ ધામના મહંત અવૈદ્યનાથે રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિની સ્થાપના કરી. અવૈદ્યનાથે તેમના શિષ્યો અને લોકોને કહ્યું હતું કે તે જ પક્ષને મત આપો જે હિન્દુઓના પવિત્ર સ્થાનોને મુક્ત કરવામાં આગળ આવે. પાછળથી આ અભિયાનની આગેવાની ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ કરી હતી.

ફેબ્રુઆરી 1986: બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના

image source

જિલ્લા મેજિસ્ટ્રેટે હિન્દુઓને આદેશ આપ્યો કે વિવાદિત સ્થળના દરવાજામાંથી પ્રાર્થના કરવા માટેના તાળા ખોલવા. મુસ્લિમોએ તેનો વિરોધ કરવા બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ / બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના કરી.

જૂન 1989: રામ મંદિરનો શિલાન્યાસ

ભારતીય જનતા પાર્ટીએ આ મામલે વિશ્વ હિન્દુ પરિષદને ઓપચારિક ટેકો આપ્યો હતો. વિહિપના નેતા દેવકીનંદન અગ્રવાલે રામલાલા વતી મંદિરના દાવા પર દાવો કર્યો. નવેમ્બરમાં મસ્જિદથી થોડે દૂર રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

25 સપ્ટેમ્બર 1990: અડવાણીની રથયાત્રા

image source

હિન્દુઓને આ મહત્વપૂર્ણ મુદ્દાથી વાકેફ કરવા માટે તત્કાલીન ભાજપ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી હતી. અયોધ્યામાં હજારો કાર સેવકો એકઠા થયા હતા. પરિણામે, ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં તોફાનો ફાટી નીકળ્યા. ઘણા વિસ્તારો કર્ફ્યુ લગાવવો પડ્યો હતો. બિહારમાં લાલુ યાદવે અડવાણીની રથયાત્રા રોકી અને તેની ધરપકડ કરી હતી. પરંતુ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી લાખો ઇંટો અયોધ્યા મોકલવામાં આવી હતી. આ પછી ભાજપે તત્કાલીન વડા પ્રધાન વી.પી.સિંઘની સરકારનો ટેકો પાછો ખેંચી લીધો.

30 ઓક્ટોબર, 1990: અયોધ્યામાં ફાયરિંગ

image source

અયોધ્યામાં રામ જન્મભૂમિ આંદોલન માટે પ્રથમ વખત કારસેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કારસેવકો મસ્જિદ ઉપર ચડ્યા અને ધ્વજ ફરકાવ્યો. આ પછી, પોલીસ ફાયરિંગમાં પાંચ કાર સેવકો માર્યા ગયા હતા.

આ કેસ શું છે અને એમાં નોંધાયેલા FIR શું છે?

6 ડિસેમ્બર 1992ના રોજ પોલીસે બાબરી મસ્જિદ તોડી પાડ્યા બાદ બે FIR નોંધાઈ હતી. પ્રથમ FIR-નંબર 197/92 હતો, જે લાખો અજાણ્યા કારસેવકો વિરુદ્ધ હતો. આ કારસેવકોએ વિવાદિત બંધારણને હથોડી અને કોદાળીથી તોડી પાડ્યું હતું.

બીજો FIR – નંબર 198/92 આઠ લોકોની વિરુદ્ધ હતો. એમાં અડવાણી, જોશી, ઉમા ભારતી અને વિનય કટિયાર ભાજપનાં હતાં તેમજ વિહિપના અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુ હરિ દાલમિયા અને સાધ્વી ઋતંભરા હતાં. તેમાંથી દાલમિયા, કિશોર અને સિંહલ મૃત્યુ પામ્યા છે. 47 વધુ FIR નોંધાયા હતા, જે બાબરી બંધારણના ધ્વંસ પછી પત્રકારો પરના હુમલા સાથે જોડાયેલા હતા.

ગુનાહિત ષડયંત્રનો આરોપ ક્યારે ઘડાયો?

image source

CBIએ 5 ઓક્ટોબર 1993એ પહેલી ચાર્જશીટ દાખલ કરી. એમાં 40 લોકોને આરોપી બનાવાયા હતા. તેમાં ભાજપ-વિહિપના 8 નેતા સામેલ હતા. 2 વર્ષની તપાસ બાદ 10 જાન્યુઆરી 1996ના રોજ CBIએ સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી. આરોપ લગાવ્યો કે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા માટે સુનિયોજિત કાવતરું ઘડાયું હતું.

CBIએ FIRમાં 9 લોકોનાં નામ ઉમેર્યાં. તેમના વિરુદ્ધ ગુનાહિત ષડ્યંત્ર અર્થાત IPCની ધારા 120(બી) હેઠળ આરોપ લાગ્યા. તેમાં શિવસેનાના નેતા બાળ ઠાકરે અને મોરેશ્વર સાવે સામેલ હતા. 1997માં લખનઉ મેજિસ્ટ્રેટે પણ તમામ આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો, પરંતુ 34 આરોપીએ અલાહાબાદ હાઈકોર્ટે નક્કી આરોપ વિરુદ્ધ અરજી કરી અને પ્રક્રિયા પર રોક લગાવાઈ.

imge source

3 મહિનાની અંદર 4 મે 2001ના રોજ લખનઉની સ્પેશિયલ કોર્ટે FIR 197/92 અને 198/92ને અલગ અલગ સુનાવણી માટે લીધા. એ પણ કહેવામાં આવ્યું કે 21 આરોપી વિરુદ્ધ રાયબરેલીની કોર્ટમાં સુનાવણી થશે. તો 27 આરોપીની સુનાવણી લખનઉમાં થશે.
CBIએ ત્યારે અલાહાબાદ હાઈકોર્ટમાં ગુનાહિત ષડયંત્રના આરોપ હટાવવાના આદેશના રિવ્યુ માટે અરજી થઈ, પરંતુ અરજી ફગાવાઈ હતી. 16 જૂને CBIએ યુપી સરકારને પત્ર લખી કહ્યું હતું કે ટ્રાયલ ફરી શરૂ કરવા માટે નોટિફિકેશન જાહેર કરે.

2003માં CBIએ અડવાણી વિરુદ્ધ આરોપ પરત ખેંચ્યો

જુલાઈ 2003માં CBIએ અડવાણી વિરુદ્ધ આરોપ પરત ખેંચ્યો અને રાયબરેલી કોર્ટમાં નવેસરથી ચાર્જશીટ દાખલ થઈ, પરંતુ જુલાઈ 2005માં હાઈકોર્ટે અડવાણી વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ નક્કી કર્યો. 2010 સુધી બંને કેસ અલગ અલગ કોર્ટમાં ચાલતા રહ્યા.

image source

2011માં CBI આખરે સુપ્રીમ કોર્ટ પહોંચી અને ત્યાં એ નક્કી થયું કે રાયબરેલીની સુનાવણી પણ લખનઉ ટ્રાન્સફર કરવામાં આવે. આગામી 7 વર્ષ સુધી અદાલતોમાં આરોપ નક્કી થવા માટે રિવ્યુની અરજી દાખલ થતી રહી. 19 એપ્રિલ 2017ના રોજ અડવાણી અને અન્ય આરોપીઓ પર ફરી ગુનાહિત ષડ્યંત્રનો આરોપ નક્કી થયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "બાબરી મસ્જિદ કેસ વિશે એ બધું જે તમે જાણવા માગો છો, Date To Date ઘટનાક્રમ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel