‘તારક મહેતા’…ની આ જોડીના એક નિર્ણયથી ગોકુલધામમાં મચ્યો હડકંપ, શું દયા બાદ આ જોડી પણ છોડી દેશે ગોકુલધામ?
ટીવીની દુનિયામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલે એક નવો જ કિર્તિમાન સ્થાપિત કર્યો છે, નાના બાળકોથી લઈને મોટેરા સુધી બધાની પસંદ બન્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આટલા વર્ષો પછી પણ પોતાની લોકપ્રિયતા ટકાવી શક્યો છે.

ટોપ 5 શોમાં તે સામેલ હોય છે. હાલમાં જ આ સિરિયલે 28 જુલાઈના રોજ 12 વર્ષ પૂરા કર્યા અને 3000 એપિસોડ પણ પૂરા કર્યા. આ એક માત્ર એવો શો છે જેના તમને ભાગ્યે જ કોઈ વખોડનારા મળશે. પહેલા એપિસોડથી જ લોકોએ આ શોને વખાણ્યો છે અને ભરપૂર પ્રેમ આપ્યો છે.
બબીતાજીના પતિ ક્રિશ્નન ઐય્યર તેમના ગામ પાછા ફરશે

જેઠાલાલ તરીકે દિલિપ જોશી અને દયા તરીકે દિશા વાકાણીએ શોમાં પ્રાણ ફૂંકી દીધા હતા. દિલિપ જોશી હજુ શો સાથે જોડાયેલા છે પરંતુ દિશા વાકાણીએ શો છોડી દીધો છે. છતાં આ શોની લોકપ્રિયતા હજુ પણ યથાવત છે. આ જોડી ઉપરાંત બબિતા-ઐય્યરની જોડી પણ એટલી જ લોકપ્રિય છે. તો હવે આ શોમાં નવો વળાંત આવવા જઈ રહ્યો છે. આ સિરિયલમાં મુનમુન દત્તા અને તનુજ મહાશબ્દે બબીતા અને ઐય્યરનું પાત્ર ભજવે છે. જેઠાલાલનો બબીતાજી પ્રત્યેનું ગાઢ આકર્ષણ પણ સિરિયલનો પ્લસ પોઈન્ટ ગણાય છે. સ્ટોરીમાં હવે વળાંક આવે તેવી શક્યતા છે. બબીતાજીના પતિ ક્રિશ્નન ઐય્યર જાહેર કરે છે કે તેમણે અને બબીતાએ નક્કી કર્યું છે કે તેઓ તેમના ગામ પાછા ફરશે.
બબીતાજી પણ ઐય્યરના નિર્ણય સાથે સહમત

તો બીજી તરફ આ સાંભળીને જેઠાલાલ ચિંતામાં આવી જાય છે અને તેમને રોકવા માટે ધમપછાડા કરે છે. ઐય્યરને ખુબ સમજાવે છે અને ગામમાં રહેવાના ગેરફાયદા પણ ગણાવે છે. તે પૂછે છે કે ગામમાં તેઓ કામ કરી શકશે તો ઐય્યર કહે છે કે તેઓ ખેતી કરશે.

જેઠાલાલ કહે છે કે આ બધુ સરળ નથી. તે એમ પણ કહે છે કે બબીતાજી ગામડાની રહેણીકરણીમાં સેટ થઈ શકશે નહીં. બબીતાજી પણ ઐય્યરના નિર્ણય સાથે સહમત છે તે જાણીને જેઠાલાલને ખુબ નવાઈ લાગે છે.
દયા ભાભી નવરાત્રિમાં પરત ફરે તેવી અટકળો

સિરિયલમાં હવે એ રસપ્રદ રહેશે કે બબીતા અને ઐય્યર ગોકુલધામ છોડીને જઈ રહ્યા છે તો શું જેઠાલાલ તેમને જતા રોકી શકશે? હાલ આ શોની વાત કરીએ તો એવી વાતો ચાલી રહી છે કે દિશા વાકાણી ઉર્ફે દયા ભાભી કદાચ નવરાત્રિમાં પરત ફરશે. નોંધનિય છે કે આ પહેલા અંજલીભાભીનું પાત્ર ભજવનાર નેહા મહેતા હવે આ સિરિયલનો ભાગ નથી રહ્યા. તેમણે આ સિરિયલ છોડી દીધી છે આ પહેલા ટપ્પુ અને સોઢીના પાત્ર પણ બદલાઈ ચુક્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "‘તારક મહેતા’…ની આ જોડીના એક નિર્ણયથી ગોકુલધામમાં મચ્યો હડકંપ, શું દયા બાદ આ જોડી પણ છોડી દેશે ગોકુલધામ?"
ટિપ્પણી પોસ્ટ કરો