જો તમે આ ટોટકા કરશો તો ક્યારે ઘરમાં નહિં થાય ઝઘડા અને રહેશે શાંતિપૂર્ણ માહોલ
આમ તો ઘરમાં નાની નાની વાતો પર મજાક મસ્તી કે પછી નોક- જોક થવી સામાન્ય હોય છે. ઘણી વાર વ્યક્તિ ઘરના લડાઈ- ઝઘડાથી પરેશાન થઈ જાય છે. જો આપ અલગ અલગ પ્રકારની પરેશાનીઓથી પરેશાન રહો છો અને આપને તેનો કોઈ ઉપાય નથી મળી રહ્યો, તો આજે અમે આપને અહિયાં એવા કેટલાક ઉપાયો વિષે જણાવીશું. આજે અમે આપને કેટલાક એવા જ ઉપાયો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે આપને ઘરની કેટલીક સમસ્યાઓથી છુટકારો અપાવી શકે છે.
-આપે જરૂરથી કરવા જોઈએ આ ઉપાયો.:
-જો આપના લગ્ન થવામાં મુશ્કેલી આવી રહી છે, તો સૌથી પહેલા આપે પોતાના દેવી- દેવતાનું પૂજન કરવું જોઈએ અને જો આપની જન્મ પત્રિકામાં કોઈ દોષ છે તો તેને દુર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જન્મ પત્રિકાના દોષને દુર કરવા માટે આપે હળવા પીળા કે પછી ગુલાબી રંગના વસ્ત્રોનો પ્રયોગ કરવો જોઈએ.
-જો આપ આપના પોતાના ઘરના કલેશને દુર કરવા ઈચ્છો છો, તો આપે ઘરના સૌથી વડીલ વ્યક્તિને ઘરના મુખ્ય દરવાજા પર જળનો છંટકાવ કરવાનું કહેવું જોઈએ અને ઘરના સૌથી મોટા વડીલને આ કામ સવારના સમયે કરવાનું જણાવવું જોઈએ.
-આ સાથે જ આપે પોતાના પિતૃઓના નામથી ગાયના ઘીથી પીપળાના ઝાડની નીચે પ્રગટાવવો જોઈએ અને સમય- સમયે આપે પોતાના ઘરમાં પૂજા પાઠ અને હવન વિધિ વગેરે ઘરમાં કરાવતા રહેવું જોઈએ.
-જો આપને કોઈ વસ્તુથી ડર લાગી રહ્યો છે તો આપે આપના ડરના સમાધાન કરવા માટે આપે સવારના સમયે અને સાંજના સમયે હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ અને આપે પોતાના સુવાના રૂમમાં પાણીને ભરીને રાખવું જોઈએ નહી. આની સાથે જ આપે પોતાના કુલ ગુરુની પૂજા કરવી જોઈએ.
-આપે આપના ઘરના સભ્યોની મધ્યે થતા લડાઈ- ઝઘડાથી છુટકારો મેળવવા માટે આપે ઘરના સભ્યોની મધ્યે મધ્યસ્થી રહીને સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત આપે જયારે પણ ઘરના સભ્યો એકસાથે હોય ત્યારે હસી- મજાકનું વાતાવરણ ગંભીર ના બને તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
-આપે ઘરમાં થતા ઝઘડાને અટકાવવા માટે કે પછી છુટકારો મેળવવા માટે આપે શક્ય હોય ત્યાં સુધી કોઇપણ વસ્તુને મન પર લેવી જોઈએ નહી અને પરિવારના નાના સભ્યો પ્રત્યે હંમેશા પ્રેમપૂર્વક વર્તન કરવું. ઉપરાંત આપે ઘરના વડીલોનું હંમેશા માન જાળવવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "જો તમે આ ટોટકા કરશો તો ક્યારે ઘરમાં નહિં થાય ઝઘડા અને રહેશે શાંતિપૂર્ણ માહોલ"
ટિપ્પણી પોસ્ટ કરો