ઠંડીની સીઝનમાં કરી લો આ ઉપાય, નહીં થાઓ શરદી, ઉધરસ અને તાવનો શિકાર
આપણે ઘરમાં બનેલા સ્વસ્થ ભોજનનું જ સેવન કરવું જોઇએ. આવા સમયે બહારના ભોજનનું સેવન કરવાથી સંક્રમણ અને બીજી કેટલીક બિમારીઓનો ખતરો રહે છે.આમ કરવા થી આપણે સ્વસ્થ રહીશ શકીશું. સંક્રમણ અને અન્ય બિમારીઓ જેમ કે શરદી અને ઉધરસની સાથે ફ્લુથી પણ સરળતાથી બચી શકીશું. આ આપણો બિમારીઓથી બચવા માટેનું પહેલું કદમ રહેશે બહારના જંક ફૂડ કરતા ભોજનમાં આખા અનાજ, ઈંડા, ફેટી ફિશ, ફ્રૂટ્સ કે નટ્સની સાથે સાથે શાક ખાઓ.
વધતા શિયાળા અને ટેમ્પ્રેચરના ઉચ-નીચથી લોકો કંટાળી ગયા છે. આવા વાતાવરણનાં કારણે કેટલીક બિમારીઓનો ખતરો વધી ગયો છે. જેમ કે શરદી, સૂકી ઉધરસ, બલગમ વાળી ઉધરસ, તાવ, ફ્લુ, વાયરલ ઇન્ફેકશન વગેરેના કારણે કોરોના મહામારીના સમયમાં અને વધતી ઠંડીના કારણે હ્રદયનાં રોગનો ખતરો પણ વધી જાય છે. શિયાળામાં ઠંડીના લીધે રક્તની વાહિનીઓ સંકોચાઇ જાય છે. આથી કેટલીક વખત રક્ત સરખી રીતે પ્રભાવિત નથી થઇ શકતું ,આજ કારણ છે કે શિયાળામાં હ્રદયની બિમારીયોનાં કેસ વધારે આવે છે. હવામાનનું બદલાવું એક સામાન્ય ઘટના છે, આવામાં આપણે હવામાનના કારણે આપણા શરીરને ચેન્જ આવડવું જોઇએ. આવો જાણીએ આવી કેટલીક સાવધાનીઓને વિશે કે જેની મદદથી શિયાળામાં થતી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમને કઇ રીતે રોકી શકાય અથવા ઓછું કરાય છે.
સ્વસ્થ આહાર
સ્વસ્થ આહારનું સેવન કરવાથી આપણે સંક્રમણ અને અન્ય બિમારીઓ જેમ કે શરદી, ઉધરસ અને ફ્લૂથી બચી શકીયે. આ બચાવ માટેનું પહેલું પહલું આહારના માનવામાં આવે છે. સ્વસ્થ આહારમાં આખા અનાજ, ઈંડા, ફેટી ફિશ, ફળ, નટ્સ, તાજા ફળો, શાક વગેરે સામેલ રહેશે. આ સિવાય આખા અને ગરમ મસાલા અને જડીબુટ્ટીઓનું સેવન લાભદાયી રહેશે. આ ચીજોના ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં અને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
વ્યાયામ
યોગથી કે ચાલવાથી અને જલ્દી ચાલવાથી કોઇ પણ પ્રકારની શારીરિક ગતિવિધિને રૂટિનમાં શામિલ કરવાથી તમે તમારી ફિટનેસને જાળવી શકશો. નિયમિત વ્યાયામમાં થાય એટલી વધારે કૈલોરી બર્ન કરો, શરીરને ગર્મ રાખવા અને પ્રતિરક્ષામાં સુધાર કરવામાં મદદ કરી શકે છે. જેથી ઉધરસ અને શરદી જેવી વાતાવરણની બિમારિયોથી બચવામાં મદદ મળે છે. જો તમે અસ્થમા કે હ્રદય રોગના દર્દી છો તો માસ્ક પહેરવું જરૂરી બને છે. એવામાં હવાના પ્રદૂષકો અને એલર્જીથી બચી શકાય છે.
પોતે સ્વસ્થ રહો
સ્વચ્છતા જળવાઈ રહે તેવી આદતો કેળવો. જેમાં સાબુ અને પાણીથી હાથ ધોવા, આંખો, નાક અને મોઢાને અડવાથી બચવું વગેરે સામેલ છે. પોતાને બેક્ટેરિયા અને કીટાણુઓથી બચાવવાની આ ખાસ રીતે છે.
ઘરની કેટલીક ચીજોને રાખો સાફ
ઘરના દરવાજાની કડી, કીબોર્ડ, ઈલેક્ટ્રિક સ્વિચ, ફોનથી લઈને ડ્રોઅરના હેન્ડલ, સિંક વગેરે કોઈ સંક્રમતિ વ્યક્તિએ વાપર્યા છે તો તેને થોડા કલાકો સુધી અડો નહીં. તેની પર કોરોના વાયરસ હોઈ શકે છે. તેને સારી રીતે સાબુ કે ડિસઈન્ફેક્ટેડ સોલ્યુશનથી સાફ કરો.
પૂરતું પાણી પીઓ
યાદ રાખો કે દિવસમાં તમે પૂરતું પાણી પીઓ. આ હાઈડ્રેટેડ રહેવા માટે અને હાનિકારક વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાં તરલ પદાર્થોની સાથે સાથે પોષક તત્વોને શરીરની કોશિકાઓ સુધી લઈ જવામાં મદદ મળે છે. આ કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ત્વચાની નમીયુક્ત અને તેની બનાવટ અને રૂપ રંગ બનાવી રાખવામાં પાણીની જરૂરિયાત મુખ્ય હોય છે.
ઊંઘ પણ છે જરૂરી
ઊંઘના મહત્વને ઓછું ગણવું નહીં. પૂરતી અને યોગ્ય ઊંઘ લઈને વ્યાયામ કરવાથી અને સ્વસ્થ ભોજન લેવાથી પણ સ્વાસ્થ્ય સારું રહે છે. ઊંઘની ખામીના કારણે વજન વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ નબળી બની શકે છે. તેનાથી બીમારીનો ખતરો પણ વધે છે. બીમારીથી સાજા થયા બાદ તેનાથી સાજા થવાની ક્ષમતા પણ ઊંઘની ખામીના કારણે પ્રભાવિત થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ઠંડીની સીઝનમાં કરી લો આ ઉપાય, નહીં થાઓ શરદી, ઉધરસ અને તાવનો શિકાર"
ટિપ્પણી પોસ્ટ કરો