પલાળેલા અખરોટને નિયમિત ખાવાથી થાય છે અનેક ફાયદાઓ….

સુકામેવાને આપણા સ્વાસ્થ્ય માટે લાભપ્રદ ગણાવવામાં આવે છે. બદામ, કાજુ, પિસ્તા, કીશમીશ તેમજ અખરોટ ને જો યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં નિયમિત રીતે ખાવામા આવે તો તે આપણા શરીરને અગણિત આશ્ચર્યજનક ફાયદા પહોંચાડી શકે છે.
અખરોટ એક શ્રેષ્ઠ ડ્રાયફ્રુટ છે. અખરોટ નું બાહ્ય આવરણ લાકડા જેવું ખૂબ જ સખત હોય છે. ભારત દેશમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે. અખરોટ માં ફાઇબર, વિટામિન બી, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.
ભારત દેશમાં અખરોટ નું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે. આ સુકા મેવાનો ઉપયોગ ખાદ્ય પદાર્થ જેવા કે આઈસ્ક્રીમ, શીખંડ, ચોકલેટ, જેલી વગેરેની બનાવટમાં પણ કરવામાં આવે છે. અખરોટનું તેલ પણ બનાવવામાં આવે છે. અખરોટના ગર્ભનો આકાર મગજ જેવો હોવાને કારણે તેને ખાવાથી ખાનારના મગજને પોષણ મળે છે એવું માનવામાં આવે છે.
અખરોટ અખરોટ મા બહુ ઓછા પ્રમાણમા ચરબી હોય છે. એના નિયમિત સેવન થી આયુષ્ય માં પાંચ થી દસ વષનો વધારો થાય છે. તે હ્રદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાતં કાજુ, બદામ, પિસ્તા પણ પ્રોટીન અને વિટામીનથી ભરપૂર હોય છે. અખરોટને સલાડમાં દળીને નાસ્તામાં ખાઈ શકાય.
ગુણધર્મ:
અખરોટ મધુર, સ્નિગ્ધ, શીતળ, ધાતુવર્ધક, રુચીકારક, કફ- પીત્તકારક, બળકારક, વજન વધારનાર, મળને બાંધનાર, ક્ષયમાં હીતકર, હૃદયરોગ, પાતળાપણું, રક્તદોષ અને વાતરક્ત માં હીતાવહ છે. એ શરીરની આંતરિક બળતરા મટાડે છે. અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે.
અખરોટના નિયમિત સેવનથી આયુષ્ય માં પાંચ થી દસ વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર હોય છે. અખરોટના મગજનું દરરોજ નિયમિતપણે સેવન કરવાથી ચક્કર, અંધારાં, સ્નાયુની નબળાઈ સાથે મગજની નબળાઈ પણ દૂર થાય છે.
પલાળેલા અખરોટને નિયમિત ખાવાના ફાયદા:
ડાયાબીટીસ ને કંટ્રોલ માં રાખે, વજન ઘટાડવામાં મદદ કરે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે, તણાવ અને ડિપ્રેશન થી રાહત અપાવે, વાળને લાંબા અને મજબૂત બનાવે, અનિંદ્રાની સમસ્યાથી રાહત અપાવે, હાડકાં અને દાંતને મજબૂત બનાવે, હૃદયરોગથી રાહત અપાવે, કેન્સરના સેલ્સને વિકસતા અટકાવે વગેરે ફાયદા પલાળેલા અખરોટ નું સેવન કરવાથી થાય છે.
0 Response to "પલાળેલા અખરોટને નિયમિત ખાવાથી થાય છે અનેક ફાયદાઓ…."
ટિપ્પણી પોસ્ટ કરો