ભારતીય રેલ્વેના ખાસ નિયમો, કન્ફર્મ ટિકિટ ખોવાઈ જાય તો કરો આ કામ, થઈ શકશે મુસાફરી

જો તમે ટ્રેનથી મુસાફરી કરવાના છો અને અચાનક તમારી ટ્રેનની કન્ફર્મ ટિકિટ ક્યાંક ખોવાઈ જાય છે તો તમે ટિકિટ વિના પણ યાત્રા કરી શકો છો. આ સવાલ જેટલો અધરો છે તેનો જવાબ તેટલો જ સરળ છે. ભારતીય રેલ્વેના કેટલાક ખાસ નિયમો આ માટે તમારી મદદ કરી શકે છે. તમારી મુસાફરીને સરળ બનાવી શકે છે.

લઈ શકો છો ડુપ્લીકેટ ટ્રેન ટિકિટ

image source

જો તમારી કન્ફર્મ ટિકિટ ક્યાંક ખોવાઈ ગઈ છે તો તમારે ગભરાવવાની જરૂર નથી કેમકે રેલ્વેને ખ્યાલ છે કે આ એક સામાન્ય ભૂલ છે જે કોઈનાથી પણ થઈ શકે છે. આ માટે ભારતીય રેલ્લે પોતાના યાત્રીઓને આ સ્થિતિમાં એક નવી સુવિધા આપે છે. જો તમારી ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય છે તો તમે તેની ડુપ્લીકેટ ટ્રેન ટિકિટ બનાવડાવીને યાત્રા કરી શકો છો. આ માટે તમારે થોડા એકસ્ટ્રા રૂપિયા ખર્ચ કરવાના રહે છે.

ડુપ્લીકેટ ટિકિટ બનાવડાવવા માટે લાગે છે એકસ્ટ્રા ચાર્જ

image source

ભારતીય રેલ્વેની વેબસાઈટ indianrail.gov.inના આધારે આરક્ષણ ચાર્ટ તૈયાર કરતા પહેલા કન્ફર્મ ટિકિટના ગુમ હોવાની સૂચના આપવામાં આવે છે તો તેની જગ્યા પર નવી ડુપ્લીકેટ ટિકિટના જાહેર કરી દેવામાં આવે છે. રેલ્વેના આધારે તેના માટે કેટલોક ચાર્જ આપવાનો રહે છે. સેકન્ડ અને સ્લીપર ક્લાસ માટે તમારે ડુપ્લીકેટ ટિકિટ માટે 50 રૂપિયા આપવાના રહે છે. તો અન્ય કઓી પણ ક્લાસ માટે તમારે તેને માટે 100 રૂપિયાનો ચાર્જ આપવાનો રહે છે. જો ચાર્ટ તૈયાર થયા બાદ કન્ફર્મ ટિકિટ ખોવાઈ જવાની સૂચના આપો છો તો તેવી સ્થિતિમાં તમારે ભાડાના 50 ટકાની રકમ ડુપ્લીકેટ ટિકિટ મેળવવા માટે આપવાની રહે છે.

આ 5 વાતોનું રાખો ધ્યાન

image source

ડુપ્લીકેટ ટિકિટ સાથે જોડાયેલી 5 વાતોને ધ્યાનથી વાંચી લેવી જરૂરી છે. કેમકે તે ક્યાંકને ક્યાંક તમને મદદ કરી શકે છે.

જો તમે કન્ફર્મ કે RAC ટિકિટ છે તો તે કપાઈ કે ફાટી જાય છે તો એક ડુપ્લીકેટ ટિકિટ મળી જાય છે. તેનાથી રિઝર્વેશન ચાર્ટને તૈયાર કર્યા બાદ યાત્રીને કુલ ભાડાના 25 ટકા આપવાના રહે છે. જો રિઝર્વેશન ચાર્ટ તૈયાર થતા પહેલા તમે એપ્લાય કર્યું છે તો ચાર્જ લાગશે તે જ લેવાશે. ટિકિટ ખોવાઈ જવા પર પણ આ નિયમ લાગૂ થશે.

image source

ભારતીય રેલ્વેના આધારે વેટિંગ લિસ્ટ વાળા કપાયેલા કે ફાટેલા ટિકિટને માટે કોઈ ડુપ્લીકેટ ટિકિટ મળશે નહીં.

આ સિવાય જો ટિકિટની વાસ્તવિકતા અને પ્રામાણિકતા વિવરણના આઘારે સત્યાપિત કરાય છે. જે ફાટેલા કે કપાયેલા ફાટેલા ટિકિટ પર રિફંડ આપે છે.

RAC ટિકિટના કેસમાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર થયા બાદ કોઈ પણ ડુપ્લીકેટ ટિકિટ જાહેર કરવામાં આવતી નથી.

image source

જો ડુપ્લીકેટ ટિકિટ જાહેર કર્યા બાદ ઓરિજિનલ ટિકિટ મળી જાય છે તો બંને ટિકિટ ટ્રેનના છૂટતા પહેલા રેલ્વેને બતાવવામાં આવે છે તો ડુપ્લીકેટ ટિકિટ માટે આપવામાં આવેલા રૂપિયા પરત મેળવી શકાય છે. તેના 5 ટકા એમાઉન્ટ જ લેવાશે. જે મિનિમમ 20 રૂપિયા હશે.

Related Posts

0 Response to "ભારતીય રેલ્વેના ખાસ નિયમો, કન્ફર્મ ટિકિટ ખોવાઈ જાય તો કરો આ કામ, થઈ શકશે મુસાફરી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel