સંશોધનમાં જાણવા મળ્યું, આમાં હોય છે ચરબીમાં રહેલી શકિતને બાળવાની તાકાત

ઘણા લોકો ચરબી ઓછી કરવા માટે જમવાનું ઓછું કરી દે છે અને દોડવાનું પણ ચાલુ કરે છે. પરંતુ એનાથી ચરબીમાં ઘટાડો તો થાય છે, પરંતુ હાલમાં થયેલા સંશોધનમાં એવી વિગતો બહાર આવી છે કે ચરબી આ રીતે ઓગળતા નથી કે દૂર થતી નથી, પણ ચરબી ચેતા કોષોની સક્રિયતાથી દૂર થાય છે. મેડીકલ જર્નલ નેચરમાં ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગો પરથી જાણવા મળ્યું છે કે ચરબી બાળતા ચેતા કોષો પણ ઓળખાવેલી શકિત ધરાવે છે. જો તેમને યોગ્ય સંદેશા આપવામાં આવે તો ને વિકાસ પામે છે આ સંદેશા એટલે હોર્માન લેપ્ટીન છે. જેને ચરબીના કણો દ્વારા સ્વયં છોડવામાં આવે છે.

image source

ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગોથી જાણવા મળ્યું છે કે ચેતા કોષોમાં લેપ્ટીનની ગેરહાજરીમાં ચરબીના કોષો ઓગળી જાય છે અને લેપ્ટીન હોર્મોન આપતા ફરી વિકસે છે. હવે જાણી લઈએ કે ક્યાં ફેરફાર બતાવે છે કે પ્રાણીમાં ચરબીમાં રહેલી શકિતને બાળવાની તાકાત છે.

રોકફવર યુનિવર્સિટી ખાતેના મોલેલુલર જીનેસીસ્ટ જેફરી એમ. ફીડમેને જણાવ્યું હતું કે જેમ જેમ પ્રવાહીનો વિકાસ થતો જાય છે, તેમ તેમ તેના ચેતા તંત્રમાં ફેરફાર થતા રહે છે. જો આમ આગળ સંશોધનો થશે તો મેદસ્વિતા અને તેને આનુષાંગિક રોગો તથા ચરબી ઓગાળવા માટેની નવી ટેકનીક શોધવામાં સફળતા મળશે.

image source

ઉંદરોમાં જયારે સ્વયં લેપ્ટીન હોર્મોન બનતો નથી ત્યારે અને જયારે આ હોર્મોન આપવામાં આવે છે. ત્યારે શું થાય છે? તેના ઉપર સંશોધન ચાલે છે. આ હોર્મોન ચરબી અને મગજ વચ્ચે સંદેશા મોકલે છે. ચેતા કોષને સંદેશો મળતા ભૂખ ઓછી થાય છે. અને વજન જાળવવા શકિત ખર્ચાય છે. ઉંદરો પર થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે ઉંદરોને જીનેટીકલી લેપ્ટીન ઉત્પન્નન કરતા બંધ કરવામાં આવ્યા ત્યારે સામાન્ય વજનથી ત્રણ ગણુ વજન વધ્યું હતુ. જેમ વજન વધતુ ગયું, તેમ તેમ વધુ ખાવા લાગ્યા અને હેરફેર પણ બહુ ઓછી કરતા જોવા મળ્યા હતા.

image source

આ ઉપરાંત આવી સ્થિતિમાં તેના શરીરમાં પૂરતી ગરમી ઉત્પન્ન થઈ શકતી ન હોવાથી તે વદુ પડતી ઠંડી પણ સહન કરી શકતા ન હતા. તેને જેવા લેપ્ટીનનો ડોઝ આપવામાં આવ્યો હતો, સાથે જ ઓછું ખાવા લાગ્યા અને વધુ હેરફેર કરતા જોવા મળ્યા હતા. ઉંદરો પર આ પ્રયોગ બે અઠવાડીયા લંબાવવામાં આવતા વધુ ફેરફાર જોવા મળ્યા, પ્રાણીએ સફેદ ચરબીનાં ભોગવાથી શરૂ કરી હતી. સામાન્ય સંજોગોમાં વધારાની કેલેરી ચરબીનાં કણમાં સંગ્રહ થાય છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

Related Posts

0 Response to "સંશોધનમાં જાણવા મળ્યું, આમાં હોય છે ચરબીમાં રહેલી શકિતને બાળવાની તાકાત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel