જાણો આ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો પર હોય છે મહાદેવની અપાર કૃપા અને એમની દરેક મનોકામના ભોળાનાથ કરે છે પૂર્ણ

આપણે જાણીએ છીએ કે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસ ને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ માસ માટે દેવી-દેવતાઓ માટે પૂજનીય માસ છે. પવિત્ર શ્રાવણ માસનો પૌરાણિક શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. હિન્દુ ધર્મની અંદર ધૂમધામથી મનાવવામાં આવે છે. શ્રાવણ માસની અંદર ભગવાન શિવની ભક્તિ કરવાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થતા હોય છે. રીતિ-રિવાજ અનુસાર આ મહિનામાં લોકો પોતાની શક્તિ અનુસાર પૂજાપાઠ કરે છે. શ્રાવણ માસ ની અંદર ની કૃપાથી અમુક અક્ષરના લોકો માટે સારા સમાચાર છે. આજે અમે તમને એ નામવાળા વ્યક્તિ વિશે જણાવીશું, જે વ્યક્તિ પર મહાદેવની અપાર કૃપા વરશે છે.. તો ચાલો જાણી લઈએ એ અક્ષરના નામવાળા વ્યક્તિ વિશે///

image source

S નામવાળા વ્યક્તિ 

આ અક્ષર થી બનતા નામ વાળા વ્યક્તિઓ ઉપર પણ ભગવાન શંકર ની સદેવ કૃપાદૃષ્ટિ બની રહે છે. તેમની પૂજા-અર્ચના તમને તમામ મુશ્કેલીઓ થી પાર ઉતારશે. તમને તમારા સ્નેહીજનો નો પૂરો સાથ સહકાર મળશે. તેમજ કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તમારો પરિવાર તમારી સાથે હશે. આ શ્રાવણ માસ દરમિયાન સાચા હ્રદય થી શિવ ઉપાસના કરવામાં આવે તો તમને સંતાન તરફ થી કોઈ પણ સારા સમાચાર મળી શકે છે.આ સુખદ સચામાર થી તમારી ચિંતાઓ હળવી થશે અને તમારું મન પ્રફુલ્લિત થઇ ઉઠશે.

image source

J નામ વાળા વ્યક્તિ

આ અક્ષરના નામ વાળા વ્યક્તિઓ સ્વભાવે શર્મિલા અને ઓછું બોલવા વાળા હોય છે. આ શ્રાવણ માસ માં ભગવાન ભોળાનાથ ની વિશેષ કૃપા થી પ્રવાસ નો યોગ બને છે. તેમજ જુના મિત્રો સાથે ની મુલાકાત તમને પ્રફુલ્લિત કરી દેશે. મિત્રો નો સાથ સહકાર તેમને વિશેષ ફળ આપશે. ભગવાન ભોળાનાથ ની ઉપાસના તેમને વિશેષ ફળ આપશે અને સાથે શ્રાવણ માસ માં કરેલ ભક્તિ થી તેમના દરેક કર્યો સિદ્ધ થઇ જશે.

image source

P નામવાળા વ્યક્તિ

જે વ્યક્તિ નું નામ P અક્ષર થી શરૂ થતું હોય તે વ્યક્તિ થી મહાદેવ હમેશાં ખુશ રહે છે. આ લોકો ભગવાન શિવ પર અતુટ વિશ્વાસ રાખે છે. માટે હંમેશા મહાદેવ આ વ્યક્તિઓને દરેક પરેશાની માંથી બહાર લાવવાનો માર્ગ શોધી રાખે છે . જેના કારણે મહાદેવના આશીર્વાદ હંમેશા તેમની સાથે રહે છે અને હમેંશા તેમનો સાથ આપે છે. તેઓ ખુલ્લા વિચારોના માલિક હોય છે. તેઓને સાફ સફાઈમાં ખુબ રૂચી હોય છે. તેઓને સુંદર લોકો પસંદ આવે છે.

image source

R નામવાળા વ્યક્તિ

જે વ્યક્તિનું નામ R અક્ષર થી શરૂ થતું હોય તે વ્યક્તિ પર ભગવાન ભોળાનાથ ની વિશેષ કૃપાદૃષ્ટિ રહતી હોય છે. આ શ્રાવણ માસ તેમના માટે ઘણો ફળદાયી નીવડે તેમ છે. રુદ્ર સ્વરૂપ ભગવાન ભોળાનાથ ના ઘણા નામો નુ ઉલ્લેખ શિવ પુરાણ મા જોવા મળે છે કે જે આ અક્ષર R થી બનતા હોય છે. તમારે તો માત્ર ભાવ અને શ્રદ્ધા થી શિવ ઉપાસના કરવી જોઈએ. જે કરવા માત્ર થી તમારી તમામ મુશ્કેલીઓ ભાંગી ને ભુક્કો થશે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "જાણો આ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો પર હોય છે મહાદેવની અપાર કૃપા અને એમની દરેક મનોકામના ભોળાનાથ કરે છે પૂર્ણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel