કોરોના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે કે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય માત્રા કરતા ઘટવા લાગે તો શું કરવામાં આવે છે, જાણો વેન્ટીલેટરના ૫ તબક્કા..

કોરોનાનો વાઇરસનો આકાર અને સતત બદલાતી તેની પ્રોટીન રચનાને કારણે તે વધારે જોખમી અને જીવલેણ બની રહ્યો છે. કોરોના વાઇરસ દ્વારા ફેફસાંમાં હજારોની સંખ્યામાં માઇક્રો બ્લોકેજ ઊભા કરવામાં આવે છે જેના કારણે વ્યક્તિનો શ્વાસ રૃંધાય છે અને તેનું મોત થાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો કહે છે કે, દર્દી વેન્ટિલેટર  પર છે એટલે અતિગંભીર હાલતમાં છે તેવું હોતું નથી.

કોરોનાની અસર દર્દીના ફેફસાં પર મહદઅંશે થાય છે, દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે અથવા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે ત્યારે તેને ઓક્સિજન પર રાખવું જરૂરી બની રહે છે. વેન્ટિલેટર ના પાંચ તબક્કા હોય છે.

image source

ઓક્સિજન પર દર્દી હોય એટલે વેન્ટિલેટર  પર જ છે તેમ ઘણાં માની બેસે છે પરંતુ તેવું નથી.. કોરોના એનેસ્થેસિયા વિભાગના વડા જણાવે છે કે વેન્ટિલેટર  મારફ્તે ઓક્સિજન આપવામાં આવે છે જે પાંચ તબક્કા પ્રમાણે અલગ નિતરી આવે છે.

નાકમાં બે નળી નાંખીને ઓક્સિજન આપવો

શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય માત્રા કરતા ઘટતુ જણાઈ આવે તેવી વ્યક્તિમાં નેઝલ પ્રોંગ એટલે નાકમાં બે નળી નાંખીને ઓક્સિજન આપવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા ઓક્સિજન સેચ્યુરેશનનું પ્રમાણ ૯૩% સુધી જાળવવામાં આવે છે.

image source

માસ્ક મૂકી ઓક્સિજન આપવો

બીજા તબક્કામાં જ્યારે હ્લૈંર્ં૨ની જરૂરીયાત વધારે જણાઈ આવે ત્યારે એન.આર.બી.એમ. (નોન રી બ્રીધિંગ માસ્ક) લગાડવામાં આવે છે કે જેમાં ફ્ક્ત મોં અને નાક કવર થાય તે રીતે માસ્ક મૂકી ઓક્સિજન આપવામાં આવે છે. જે માસ્કમાં રિઝર્વ બેગ પણ જોડાયેલી હોય છે જેમાં ૬ થી ૧૫ લિટર ઓક્સિજન આપી તેનું પ્રમાણ ૯૦ થી ૯૫% સુધી જાળવી શકાય છે.

નાક દ્વારા જ ઓક્સિજન આપવો

ત્રીજા તબક્કામાં હાઇ ફ્લો નેઝલ ઓક્સિજનેશન એટલે કે નાક દ્વારા જ ઓક્સિજન આપવામાં આવે છે જેમાં ઓક્સિજનનો ફ્લો વધારે રાખવામાં આવે છે.તેમાં  હ્યુમીડીફયર હાઈ ફ્લો સાથે જોડવામાં આવે છે. આ તબક્કામાં દર્દી સભાન અવસ્થામાં હોય છે જેમાં નેઝલ કેન્યુલા દ્વારા ૧૦ થી ૭૫ લીટર સુધી ઓક્સિજનનો ફ્લો આપી શકાય છે. આ તબક્કામાં હ્લૈંર્ં૨નુ. પ્રમાણ ૪૦ થી ૧૦૦% સુધી જાળવી શકાય છે આ તબક્કો દર્દીને વધારે માફ્ક આવે છે

image source

શ્વાસનળીમાં નળી નાંખ્યા વિના માસ્ક દ્વારા વેન્ટીલેટરથી શ્વાસ આપવો

આ ત્રણેય ઓક્સિજનના તબક્કા પછી પણ સ્થિતિ નિયંત્રણમાં ન રહે અને દર્દીની હાલત ગંભીર બનતી જણાય ત્યારે બાય પેપ માસ્ક એમાં પણ નોન ઇનવેઝિવ વેન્ટિલેટર કે જેમાં શ્વાસનળીમાં નળી નાંખ્યા સિવાય માસ્ક દ્વારા વેન્ટિલેટર થી દર્દીને શ્વાસ આપવામાં આવે છે. જેમાં કૃત્રિમ રીતે ૪૦ થી ૧૦૦ ટકા સુધી ઓક્સિજન પ્રેશર નક્કી કરી શકાય છે.

image source

શ્વાસનળીમાં નળી નાંખીને ઓક્સિજન આપવો

આ તમામ તબક્કાઓમાં છેલ્લે ઇનવેઝિવ વેન્ટિલેટર નો તબક્કો ખૂબ સંવેદનશીલ છે. શરીરમાં ઓક્સિજનનું. પ્રમાણ ન જળવાય, દર્દી બેભાન કેઅર્ધબેભાન અવસ્થામાં પહોંચી જાય, શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં સમતોલન ન જળવાય ત્યારે છેલ્લા ઉપાય તરીકે દર્દીને ઇન્ટયૂબેશન કરીને એટલે કે ટ્રેકીયા (શ્વાસનળીમાં) નળી નાંખીને , તે નળીને વેન્ટિલેટર  સાથે જોડીને દર્દીને સંપૂર્ણપણે વેન્ટિલેટર થી શરીરમાં ઓક્સિજન પહોંચતું કરાય છે. વૈશ્વિક રેકર્ડ પ્રમાણે છેલ્લા તબક્કામાં પહોંચ્યા બાદ વ્યક્તિના જીવ બચવાની શક્યતાઓ ઘણી ઓછી રહેલી હોવાનું જોવાયું છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "કોરોના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે કે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય માત્રા કરતા ઘટવા લાગે તો શું કરવામાં આવે છે, જાણો વેન્ટીલેટરના ૫ તબક્કા.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel