આ ફેમસ ટીવી એક્ટરે કિચનમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા કરી, મનોરંજન જગત શોકમાં…
ટીવી શો ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ થી પ્રસિદ્ધ થયેલ અભિનેતા સમીર શર્માએ મુંબઈ શહેરના મલાડ વિસ્તારમાં આવેલ પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ અભિનેતા સમીર શર્માએ બે દિવસ પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. જો કે, અભિનેતા સમીર શર્માના ઘરેથી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી.
અભિનેતા સમીર શર્મા સાથે સંબંધિત સુત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોથી સમીર શર્માનું સ્વાસ્થ્ય સારું ના રહેતું હોવાથી સમીર શર્મા દવાઓનું સેવન કરી રહ્યા હતા. પણ છેલ્લા કેટલાક મહિનાથી અભિનેતા સમીર શર્માના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળતા તેઓ સેટ પર આવીને શુટિંગ પણ કરતા જોવા મળ્યા હતા.
જો કે, દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે લાગુ કરવામાં આવેલ લોકડાઉન હવે અનલોક થઈ ગયા પછી પણ અભિનેતા સમીર શર્માનો ટ્રેક શરુ થયો હતો નહી. અભિનેતા સમીર શર્મા ટીવી શો ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ માં કુહુ (કાવેરી પ્રિયમ)ના પિતા એટલે કે શૌર્ય મહેશ્વરીનું પાત્ર નિભાવતા જોવા મળ્યા હતા.
અભિનેતા સમીર શર્માએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન ‘જ્યોતિ’, ‘કહાની ઘર ઘર કી’, ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’, ‘ઈસ પ્યાર કો ક્યાં નામ દુ’, ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ જેવા પ્રસિદ્ધ ટીવી શોમાં કામ કર્યું હતું.
TV actor & model Sameer Sharma was found hanging from his kitchen ceiling at his residence in Malad West last night. Accidental Death Report registered, body sent for autopsy. Looking at body’s condition, it’s suspected that he died by suicide two days back: Malad Police. #Mumbai
— ANI (@ANI) August 6, 2020
૪૪ વર્ષીય અભિનેતા સમીર શર્માએ ૫ ઓગસ્ટ, ૨૦૨૦ બુધવારના રોજ મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં આવેલ નેહા CHS બિલ્ડીંગમાં આવેલ પોતાના જ ઘરમાં ફાંસી લગાવી દીધી અને પોતાનું જીવન ટુંકાવી દીધું હતું.
મુંબઈની મલાડ વિસ્તારની પોલીસના મતે એવું જણાવાઈ રહ્યું છે કે, અભિનેતા સમીર શર્માએ આ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં આ ઘર ભાડે રાખ્યું હતું. CHS બિલ્ડીંગના રાતના સમયે ફરજ બજાવી રહેલ ચોકીદારે રાતના સમયે અભિનેતા સમીર શર્માને તેમના ઘરમાં લટકતી સ્થિતિમાં જોયા હતા.
અભિનેતા સમીર શર્માએ ઇન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ તા. ૨૯ જુલાઈ, ૨૦૨૦ ના દિવસે કરી હતી.:
અભિનેતા સમીર શર્માએ ઇન્સ્ટાગ્રામ પર છેલ્લે તા. ૨૯ જુલાઈ, ૨૦૨૦ન રોજ છેલ્લી પોસ્ટ શેર કરવામાં આવી હતી. સમીર શર્માની આ પોસ્ટમાં દરિયાનો ફોટો શેર કર્યો હતો.
તાજેતરમાં જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતએ આત્મહત્યા કરી હતી.:
તા. ૧૪ જુન ,૨૦૨૦ રવિવારના રોજ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતએ આત્મહત્યા કરી હતી. એની પહેલા ૩૨ વર્ષીય મનમીત ગ્રેવાલ તા. ૧૫ મેં ૨૦૨૦ ના રોજ આત્મહત્યા કરી હતી. જો કે, મનમીત ગ્રેવાલએ આર્થિક ભીસના કારણે આત્મહત્યા કરી હતી. અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ તા. ૨૫ મે, ૨૦૨૦ ના રોજ આત્મહત્યા કરી હતી. અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘લાલ ઈશ્ક’ અને ‘મેરી દુર્ગા’ જેવા શોમાં કામ કર્યું હતું.
જો કે, પ્રેક્ષા મહેતાએ લખેલ સુસાઈડ નોટ પરથી જાણવા મળ્યું છે કે, તેના તૂટી ગયેલ સપનાઓએ તેના સેલ્ફ કોન્ફિડન્સને ડગાવી દીધો છે અને તે પોતાના તૂટી ગયેલ સપનાઓ સાથે વધુ નહી જીવી શકે તેને એક વર્ષ સુધી ઘણા પ્રયત્નો કર્યા પણ હવે તે થાકી ગઈ છે. જયારે સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયને તા. ૮ જુન, ૨૦૨૦ ના રોજ મલાડ વિસ્તારમાં આવેલ બિલ્ડીંગના ૧૪મા માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ ફેમસ ટીવી એક્ટરે કિચનમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા કરી, મનોરંજન જગત શોકમાં…"
ટિપ્પણી પોસ્ટ કરો