જાણો શું થશે આગામી દિવસમાં આ ભારેભરખમ 2000ની નોટનું, ઇગ્નોર કર્યા વગર અત્યારે જ જાણી લો મોદી સરકારે શું કરી આ વિશે મોટી જાહેરાત
થોડા સમય પહેલા એક અફલા ઉડી હતી કે મોદી સરકાર બે હજારની નોટ બંધ કરી છે. નોંધનિય છે કે આ પહેલા નોટબંધી વખતે 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવી હતી જેને લઈને લોકોએ એવી વાતો વહેતી કરી હતી કે સરકાર હવે 2000 ની નોટ પણ બંધ કરવા જઈ રહી છે. જો આ અંગે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે. નાણામંત્રાલયે શનિવારે લોકસભામાં જાણકારી આપતા કહ્યુ કે, 2 હજાર રૂપિયાની કરન્સી નોટ્સની પ્રિંટિંગ બંધ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
લોકસભામાં લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યુ કે, સરકાક કોઈપણ પ્રકારની કરંન્સી નોટ વિશે નિર્ણય લેતા પહેલા RBI ની સલાહ લે છે. તેનાથી સામાન્ય લોકોને ચલણી નોટો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ રહે. નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21માં 2000 રૂપિયાની નોટો મોકલવા માટે પ્રેસને કોઈ માંગ પત્ર મોકલ્યો ન હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે, સરકાર 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરવાનું વિચારી રહી છે.
કેટલાક સમય માટે નોટનું છાપકામ બંધ રહ્યુ
તમને જણાવી દઈએ કે, ભારતીય રીઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડમાં 23 માર્ચ 2020થી લઈને 3 મે 2020 સુધી નોટનું છાપકામ બંધ હતુ. 4મે પહેલા અહીંયા પર કામ શરૂ થઈ ગયુ હતુ. ઠાકુરે એ પણ જણાવ્યુ કે, સિક્યોરિટી પ્રિંટિંગ એન્ડ મિંટિંગ કોર્પોરેશન ઓફ ઈંડિયા લિમિટેડ (SPMCIL)માં પણ કેટલાક સમય માટે નોટનું છાપકામ બંધ રહ્યુ છે. SPMCIL ના નાસિક અને દેવાસ સ્થિત પ્રેસ લોકડાઉન દરમિયાન બંધ હતુ. નાણાં રાજ્ય પ્રધાને પણ એ માહિતી આપી હતી કે, 31 માર્ચ 2020 સુધીમાં 2000 રૂપિયાની 27,398 ચલણી નોટો ફરતી થઈ છે. 31 માર્ચ 2019 સુધીમાં આ આંકડો 32,910 ચલણી નોટનો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળાને પગલે લોકડાઉન લાગુકરવાના કારણે નોટોનું છાપકામ થોડા સમય માટે બંધ કરાયું હતું. જોકે, આ પ્રિંટિંગ પ્રેસમાં તબક્કાવાર રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે.
પ્રિંટિંગ પ્રેસમાં તબક્કાવાર રીતે કામગીરી શરૂ કરવામાં આવી
અનુરાગ ઠાકુરે પણ એ માહિતી આપી હતી કે, 31 માર્ચ 2020 સુધીમાં 2000 રૂપિયાની 27,398 ચલણી નોટો ફરતી થઈ છે. 31 માર્ચ 2019 સુધીમાં આ આંકડો 32,910 ચલણી નોટનો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળાને પગલે લોકડાઉન લાદવાના કારણે નોટોનું છાપકામ થોડા સમય માટે બંધ કરાયું હતું. જોકે, આ પ્રિંટિંગ પ્રેસમાં તબક્કાવાર રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે.
લોકડાઉન પ્રભાવિત છાપણી
જણાવી દઈએ કે, ભારતીય રીઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડમાં 23 માર્ચ 2020થી લઈને 3 મે 2020 સુધી નોટનું છાપકામ બંધ હતુ. 4મે પહેલા અહીંયા પર કામ શરૂ થઈ ગયુ હતુ. ઠાકુરે એ પણ જણાવ્યુ કે, સિક્યોરિટી પ્રિંટિંગ એન્ડ મિંટિંગ કોર્પોરેશન ઓફ ઈંડિયા લિમિટેડ (SPMCIL)માં પણ કેટલાક સમય માટે નોટનું છાપકામ બંધ રહ્યુ છે. SPMCIL ના નાસિક અને દેવાસ સ્થિત પ્રેસ લોકડાઉન દરમિયાન બંધ હતુ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જાણો શું થશે આગામી દિવસમાં આ ભારેભરખમ 2000ની નોટનું, ઇગ્નોર કર્યા વગર અત્યારે જ જાણી લો મોદી સરકારે શું કરી આ વિશે મોટી જાહેરાત"
ટિપ્પણી પોસ્ટ કરો