ભાવનગર જેવી જ સનસનાટી ઘટના, 4 લોકોનું કુટુંબ આપઘાત કરીને મોતને ભેટ્યું, કારણ સામે આવતાં ફફડાટ મચી ગયો
ભાવનગર રિટાર્યડ DYSPના ઘરે 4 લોકોની આત્મહત્યા બાદ કમકમાટી ઉપડી ગઈ હતી. ત્યારે હવે ફરીથી આવો જ કિસ્સો ગુજરાત બહાર પ્રકાશમાં આવ્યો છે. રાજસ્થાનની રાજધાની જયપુરથી સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. એક જ પરિવારના 4 સભ્યોએ આત્મહત્યા કરી છે. માતા-પિતા અને બે બાળકોએ આત્મહત્યા કરી હતી.
આ ઘટના કનોટા પોલીસ સ્ટેશન વિસ્તારના જમડોલીની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર દેવાથી ત્રાસી ગયો હતો. જો કે, ત્યાંથી કોઈ સ્યુસાઇડ નોટ મળી કે નથી મળી પોલીસે હાલમાં તે વિશે કોઈ માહિતી આપી નથી. પોલીસે તપાસ શરૂ કરી છે. આ કેસ મુખ્યત્વે આત્મહત્યાથી સંબંધિત છે એવું માનવામાં આવે છે.
માતા પિતા અને બે બાળકો ફંદે લટકી ગયા
પોલીસે સમગ્ર ઘટના વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે માતા-પિતા અને બે બાળકોએ સામુહિક આત્મહત્યા કરી છે. પરિવારના આ સભ્યોએ ફંદો લટકાવીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફોરેન્સિક ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે. આ પરિવાર જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર દેવાથી ત્રાસી ગયો હતો.
વ્યાજ માફિયાઓની કરી અટકાયત
પોલીસના જણાવ્યા મુજબ ઝવેરાતનું કામ કરનાર આ પરિવાર દેવાનીચે ડૂબી ગયો હતો. આ પરિવાર દેવાના કારણે પરેશાન હતો કારણ કે વ્યાજ માફિયાઓ પરિવારને ખુબ હેરાન કરતા હતા. પોલીસે વ્યાજ માફિયાઓની અટકાયત કરી છે. જોકે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આ કેસમાં આગળની તપાસ હાથ ધરી છે. કસ્ટડીમાં લેવામાં આવતા વ્યાજ માફિયાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે કેસ અંગે શું ખુલાસો થાય એ જોવાનું રહ્યું.
ભાવનગરમાં પણ એક જ પરિવારના 4 લોકોએ કરી આત્મહત્યા
ભાવનગરમાં સામૂહિક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમા એક જ પરિવારના 4 લોકોએ આપઘાત કરી લીધો છે. આ બનાવ નિવૃત DySPના ઘરમાં બન્યો છે જ્યાં પુત્રના પરિવારે આપઘાત કરી લીધો છે. સમગ્ર પરિવારે રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. રિટાયર્ડ DySPનો પુત્ર પૂત્રવધુ અને 2 બાળકોના મોત થયા છે. રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બીનાબા અને બે દીકરીઓ નદીનીબા (ઉં.વ.18) અને યશસ્વીબા (ઉં.વ.11) સાથે સામૂહિક આપઘાત કર્યો છે. રિટાયર્ડ DySPના પુત્રના ‘પૃથ્વી રાજ બંગ્લો’માં આ ઘટના બની છે. પૃથ્વી રાજે બે બાળકોને રિવોલ્વરથી ગોળી માર્યા બાદ પોતાની પત્નીને પણ ગોળી મારી હતી અને બાદમાં તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી. એવું જાણવા મળ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ભાવનગર જેવી જ સનસનાટી ઘટના, 4 લોકોનું કુટુંબ આપઘાત કરીને મોતને ભેટ્યું, કારણ સામે આવતાં ફફડાટ મચી ગયો"
ટિપ્પણી પોસ્ટ કરો