મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે આ શહેરના લોકો, આવો રહ્યો છે ભયંકર શહેરનો ઈતિહાસ

એક સમયે મેટ્સમોરને વિશ્વનો સૌથી ખતરનાક અણુઉર્જા પ્લાન્ટ તરીકે નામ આપવામાં આવ્યું હતું. કારણ કે તે ભૂકંપની દ્રષ્ટીએ સંવેદનશીલ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. તે આર્મેનિયાની રાજધાની યેરેવાનથી માત્ર 35 કિલોમીટર (22 માઇલ) દૂર આવેલુ છે. અહીંથી એક તુર્કીની સરહદની પેલે પાર બરફથી ઢેકાયેલ માઉન્ટ અરારતની ઝલક જોઈ શકાય છે.

આ પરમાણુ ઉર્જા પ્લાન્ટનું નિર્માણ 1970માં કરવામાં આવ્યું હતું

image source

આ પરમાણુ ઉર્જા પ્લાન્ટનું નિર્માણ ચેરનોબિલની સાથે 1970 માં કરવામાં આવ્યું હતું. તે દિવસોમાં, મેટ્સમોર રિએક્ટર વિશાળ સોવિયત સંઘની વધતી ઉર્જા જરૂરિયાતો પૂર્ણ થતી છે. સોવિયત સંઘે 2000 સુધીમાં પોતાની જરૂરિયાતની 60% વીજળી પરમાણુ ઉર્જા દ્વારા બનાવવાનું લક્ષ્ય બનાવ્યું હતું, પરંતુ 1988 માં બધું બદલાઈ ગયું.

6.8ની તીવ્રતાના ભુકંપના કારણે વિનાશ સર્જાયો

image source

આર્મેનિયામાં 6.8ની તીવ્રતાના ભુકંપના કારણે વિનાશ સર્જાયો હતો. ભૂકંપમાં લગભગ 25,000 લોકોનાં મોત નીપજ્યાં હતાં. સુરક્ષાના કારણોસર પરમાણુ વીજ પ્લાન્ટને બંધ કરવો પડ્યો હતો, કારણ કે પ્લાન્ટની સિસ્ટમમાં વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. મેટ્સમોર રિએક્ટરમાં કામ કરતા ઘણા કામદારો પોલેન્ડ, યુક્રેન અને રશિયામાં તેમના ઘરે પરત ફર્યા હતા. 30 વર્ષ પછી પણ મેટ્સમોર પ્લાન્ટ અને તેનું ભવિષ્ય આર્મેનિયામાં ચર્ચાનો વિષય છે. આ અંગે લોકોનો અભિપ્રાય વહેંચાયેલો છે. અહીયાનો એક રિએક્ટર 1995 માં ફરીથી શરૂ કરાયો હતો, જેમાંથી આર્મેનિયાની જરૂરિયાતની 40% વીજળી મળતી હતી. ટિકાકારો કહે છે કે આ પરમાણુ રિએક્ટર હજી પણ ખૂબ ખતરનાક છે કારણ કે તે જ્યાં બનાવવામાં આવ્યો છે ત્યાં ભૌગોલિક હલચલ થઈ રહે છે.

સરકારી અધિકારીઓ સહિત તેના સમર્થકો પણ છે

image source

બીજી તરફ સરકારી અધિકારીઓ સહિત તેના સમર્થકો પણ છે. તે કહે છે કે રિએક્ટર મૂળરૂપે કાયમી બેસાલ્ટ બ્લોકના ખડકો પર બનાવવામાં આવ્યો છે. પાછળથી કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે, જેનાથી તે પહેલા કરતા વધુ સુરક્ષિત બની ગયો છે. આ વિવાદની વચ્ચે મેટ્સમોર પરમાણુ પ્લાન્ટ અને શહેરમાં રહેતા લોકોની જીંદગી ચાલી રહી છે.

મેટ્સમોર શહેરનું નામ પરમાણુ રિએક્ટરના નામ પરથી જ રાખવામાં આવ્યું

image source

મેટ્સમોર શહેરનું નામ પરમાણુ રિએક્ટરના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. સોવિયત યુનિયનના આ શહેરને એક મોડેલ સિટી તરીકે બનાવવામાં આવ્યું હતું. તેને એટમોગ્રાડ કહેવામાં આવતું હતું. બાલ્ટિકથી લઈને કઝાકિસ્તાન સુધીના સમગ્ર સોવિયત સંઘના પ્રશિક્ષિત કામદારોને અહીં લાવવામાં આવ્યા હતા. અહીં 36,000 રહેવાસીઓને સ્થાયી કરવાની યોજના હતી.

મેટ્સમોરમાં શ્રેષ્ઠ ગુણવત્તાનું માખણ મળતું

image source

તેમના માટે કૃત્રિમ તળાવો, રમતગમતની સુવિધાઓ અને એક સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા. શરૂઆતના દિવસોમાં અહીંની દુકાનોમાં માલ ભરેલો રહેતો હતો. તે દિવસોમાં પણ યેરેવાનમાં, ચર્ચા હતી કે મેટ્સમોરમાં શ્રેષ્ઠ ગુણવત્તાનું માખણ મળે છે. ભુકંપ આવ્યો એટલે શહેરમાં બાંધકામનું કામ રોકી દેવામાં આવ્યું. તળાવને ખાલી કરાવી નાખવામાં આવ્યું.

બે મહિના પછી, સોવિયત સંઘની સરકારે નિર્ણય કર્યો કે પરમાણુ ઉર્જા પ્લાન્ટ બંધ કરી દેવામાં આને. કાકેશસ પ્રદેશમાં તોડફોડને કારણે વીજ પુરવઠામાં વિક્ષેપનો અર્થ એ હતો કે પ્લાન્ટને સુરક્ષિત રીતે ચલાવવો હવે શક્ય નથી. અડધા બનેલા મેટ્સમોરમાં રહેતા લોકોને લાગ્યુ કે આ શહેરમાં તેમના માટે રોજગારની ઘણી ઓછી તકો છે. છતાં પણ શહેરની વસ્તી સ્થિર ન રહી શકી.

450 થી વધુ શરણાર્થીઓ મેટ્સમોરમાં આવીને રહેવા લાગ્યા

જે વર્ષે ભૂકંપ આવ્યો તે જ વર્ષે અઝરબૈજાનના વિવાદિત નાગોરર્નો કોરાબાગ વિસ્તારમાં સંઘર્ષના કારણે શરણાર્થીઓ મેટ્સમોર આવવા લાગ્યા. સંઘર્ષના પ્રથમ વર્ષમાં, 450 થી વધુ શરણાર્થીઓ મેટ્સમોરમાં આવીને રહેવા લાગ્યા અને ખાલી પડેલી જમીન પર પોતાનાં ઘર બનાવ્યાં. તેઓ એ જગ્યાએ રહી રહ્યા હતા જ્યાં આત્મોગ્રાડમાં ત્રીજો હાઉસિંગ ડિસ્ટ્રિક્ટ બનાવવાની યોજના હતી.

અણુ વીજ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો

image source

જ્યારે અણુ વીજ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો ત્યારે આર્મેનિયા સરકારને મોટા પાવર સંકટનો સામનો કરવો પડ્યો. આખા દેશમાં વીજ પુરવઠાનું નિયંત્રિત વિતરણ

કરવું પડ્યું. લોકોને દિવસમાં માત્ર એક કલાક વીજળી આપવામાં આવતી હતી. 1993 માં, પ્લાન્ટના બે એકમોમાંથી એકને ફરીથી ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો. સલામતી ધોરણો ફરીથી બનાવવામાં આવ્યા હતા. રિએક્ટર આજે પણ કાર્યરત છે, પરંતુ નવીનીકરણની જરૂર છે.

1988 માં સ્પિટકના વિનાશક ભૂકંપનો સામનો કરવો પડ્યો

image source

યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) ના ઉર્જા નિષ્ણાત એરા માર્જાનિયન કહે છે, વીવીઆર ટાઇપ રિએક્ટરની ડિઝાઇન ઘણી જૂની છે. ઉદાહરણ તરીકે, સંભવિત વિસ્ફોટ થાય છે ત્યારે તેમાં કાટમાળને ફેલાતો અટકાવવામાં કોઈ નક્કર માળખું નથી. પરંતુ તેમણે એ પણ નિર્દેશ કર્યો કે આ રિએક્ટરને 1988 માં સ્પિટકના વિનાશક ભૂકંપનો સામનો કરવો પડ્યો હતો અને તે વિશ્વના કેટલાક એવા રિએક્ટરમાંનો એક છે કે જેણે ફુકુશીમા અકસ્માત પછી પ્રથમ દબાણ પરીક્ષણ પસાર કર્યો હતો.

ણી વખત તો લોકોને વીજળી વિના જીવવું પડ્યું હતું

image source

આજે મેટ્સમોરમાં 10,000 લોકોની વસ્તી છે, જેમાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે. રિએક્ટરના કુલિંગ ટાવરથી લગભગ પાંચ કિલોમીટર દૂર એપાર્ટમેન્ટમાં રહેતા લોકો વીજળીનો ઉણપ અને પ્લાન્ટના સંભવિત ભય વચ્ચે સંતુલન જાળવી રહ્યા છે. ફોટોગ્રાફર કેથરીના રોટર્સ કહે છે કે વીજ સમસ્યાના કાળા વર્ષોની યાદ લોકોના મનમાં હજી તાજી છે કે તેઓ આ પ્લાન્ટ વિના જીવનનો વિચાર પણ કરી શકતા નથી. 1991 અને 1994 ની વચ્ચે આર્મેનિયાને વીજળીની સમસ્યાનો ભારે સામનો કરવો પડ્યો. ઘણી વખત તો લોકોને વીજળી વિના જીવવું પડ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે આ શહેરના લોકો, આવો રહ્યો છે ભયંકર શહેરનો ઈતિહાસ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel